Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં ગટર કામગીરી દરમિયાન વીજ વાયર તૂટ્યો:જીવંત વાયરથી દુર્ઘટનાનો ભય, DGVCLએ જોડાણ કર્યું

    2 days ago

    સોનગઢ નગરપાલિકા વિસ્તારના દેવજીપુરા માર્કેટ ફળિયામાં ગટર લાઈનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક વીજળીનો વાયર તૂટી પડ્યો હતો. સૌથી ગંભીર બાબત એ હતી કે આ તૂટેલો વાયર જીવંત હતો, જેમાં કરંટ વહી રહ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભય અને રોષ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, જે ઘર પાસે આ ઘટના બની, તેના માલિક 5 જૂને પરિવાર સાથે બહારગામ ગયા હતા. તેઓ પરત ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગટરના કામ દરમિયાન તેમના ઘર પાસે વીજળીનો વાયર તૂટી ગયો છે અને તે હજુ પણ જીવંત છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ જો કોઈ વ્યક્તિ કે પશુનો સંપર્ક આ જીવંત વાયર સાથે થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. સ્થાનિકો દ્વારા DGVCL ને જાણ કરવામાં આવતા, 12 જૂનની રાત્રે DGVCL ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને વાયરનું જોડાણ કર્યું હતું. સ્થાનિકોના મતે, આ ગટર લાઈનનું કામ GUDC દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ કામ પર યોગ્ય દેખરેખ રાખવાની જવાબદારી નગરપાલિકાની પણ બને છે. તંત્રની આવી બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા, જેને લઈને લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભારતીય વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ:આસામમાં AN-32 વિમાનમાં લેન્ડ થતાં જ આગ લાગી, બે ટુકડા થયા; પાયલટના મોતની આશંકા
    Next Article
    કલેક્ટર સોલંકીએ થાનગઢ, મૂળી તાલુકાની મુલાકાત લીધી:વહીવટી કામગીરીની સમીક્ષા કરી, લોકપ્રશ્નો સાંભળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment