Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલડીની અંકુર વિદ્યાલયે જાહેર રજામાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું:DEOએ નોટિસ ફટકારી તો જાહેર રજાના નવા કાર્યક્રમથી અજાણ હોવાનો શાળાનો લૂલો બચાવ, રૂબરૂ ખુલાસો રજૂ કરવા આદેશ

    12 hours ago

    પાલડીની અંકુર વિદ્યાલયમાં ગઈકાલે (26 માર્ચે) રામનવમીની જાહેર રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા વિવાદ થયો છે. જાહેર રજા હોવા છતાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવતા કેટલાક વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને શો કોઝ નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા માટે આદેશ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળા, કોલેજો અને કચેરીઓમાં જાહેર રજાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતો હોય છે. ગત વર્ષે પણ સરકાર દ્વારા જાહેર રજાનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રામનવમીની જાહેર રજા 27 માર્ચના જાહેર કરી હતી. પરંતુ તેમાં ફેરફાર કરીને 26 માર્ચ જાહેર રજા નક્કી કરવામાં આવી હતી. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા નવો જાહેર રજાનો કાર્યક્રમ પણ તમામ શાળાઓને મોકલવામાં આવ્યો હતો.પરંતુ શાળાઓ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા જાહેર રજાના કાર્યક્રમનું પાલન ન કરતા હોવાનું સામે આવ્યું છે. અંકુર વિદ્યાલયમાં રજાના દિવસે શૈક્ષણિક કાર્ય પાલડીમાં આવેલી અંકુર વિદ્યાલયમાં શૈક્ષણિક રામવામીની જાહેર રજામાં પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. જે બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ મળતા શાળાને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. નવો જાહેર રજાના કાર્યક્રમથી અજાણ હોવાથી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હોવાનો શાળાએ મૌખિક ખુલાસો રજૂ કર્યો હતો. પરંતુ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શો કોઝ નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા માટે આદેશ કર્યો છે. ખુલાસા દરમિયાન શાળાની બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવાની પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. ફરિયાદ મળતા શાળાને નોટિસ ફટકારી: DEO અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અંકુર વિદ્યાલયમાં ગઈકાલે (26 માર્ચે) રામનવમીના જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખી હોવાની ફરિયાદ મળી છે. જેથી અંકુર વિદ્યાલયને શો કોઝ નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે. શાળાએ મૌખિક ખુલાસામાં એવું જણાવ્યું છે કે રામનવમીની રજા ગઈકાલના બદલે આજે એટલે કે એક દિવસ પછી હોવાનો ખ્યાલ હતો. વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અગાઉના કેલેન્ડરની તારીખ પછી સરકારે કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. સરકારે કરેલા કાર્યક્રમના ફેરફારથી અજાણ હોવાનું મૌખિક જવાબ રજૂ કરેલ છે. જોકે શાળાને નોટીસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે. જેથી જવાબ રજૂ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો શાળાની બેદરકારી જણાશે તો નિયમ અનુસાર કાર્યવાહી પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આડા સંબંધ મુદ્દે સસરાની હત્યા:વઢવાણમાંથી પુત્રવધૂ, પ્રેમી સહિત ત્રણની ગણતરીની કલાકોમાં ધરપકડ
    Next Article
    પાટડીમાં ઉનાળા માટે મફત છાશ સેવા કેન્દ્ર શરૂ:વિજય ચોક ખાતે દાતાઓ દ્વારા આયોજન, આખો ઉનાળો ચાલુ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment