Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં આંગણવાડીઓને તાળાબંધી કરાઈ:હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા આંગણવાડી બહેનોએ DDOને આપ્યુ આવેદનપત્ર

    19 hours ago

    ગુજરાતમાં મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે વચ્ચે દાહોદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના આર્થિક શોષણનો જ્વાળામુખી ફાટ્યો છે. 'ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન' ના આદેશને પગલે આજે આખા રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ આંગણવાડીઓને તાળાબંધી કરવામાં આવી છે. જિલ્લાની કુલ 3056 પૈકી 2430 કેન્દ્રોના કાર્યકરોએ 18 થી 20 માર્ચ સુધી ત્રણ દિવસની સામુહિક કપાત પગારની હડતાલ જાહેર કરતા વહીવટી તંત્રમાં ફફડાટ મચી ગયો છે. આજે મોટી સંખ્યામાં બહેનોએ તાલુકા મથકોએ એકઠા થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને આવેદનપત્ર પાઠવી પોતાની વેદના રજૂ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ બહેનોની વેદના સમજીને કાર્યકરને ₹24,800 અને તેડાગરને ₹20,300 પગાર આપવા રાજ્ય સરકારને ઐતિહાસિક હુકમ કર્યો હતો. દાહોદ જિલ્લામાં આંદોલન દબાવવા માટે તંત્રએ લોકશાહી વિરોધી વલણ અપનાવ્યું હોવાના આક્ષેપ ઉઠ્યા છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણે કાર્યકરોની કપાત પગારની રજાઓ નામંજૂર કરી છે અને હડતાલ પર ઉતરેલી બહેનોને 'શો-કોઝ નોટિસ' ફટકારી છે. જોકે, બહેનોનું કહેવું છે કે નોટિસોથી ડર્યા વગર તેઓ લડત ચાલુ રાખશે. આંગણવાડી બહેન કુસુમબેન પરમારે જણાવ્યું કે, "અમે ક્યારેય કામ કરવાની ના પાડી નથી. બાળકોના ભોજનના ભાવો સરકારે વર્ષોથી વધાર્યા નથી. ગેસના બાટલાના બિલો સમયસર મળતા નથી, એટલે અમે ઘરના પૈસે ગેસ ભરાવીને બાળકોને જમાડીએ છીએ. શું સરકારને અમારી આ મહેનત અને ત્યાગ દેખાતો નથી?" આંગણવાડી બહેનોનો આરોપ છે કે 2022 માં સરકારે નવા મોબાઈલ આપવાનું વચન આપ્યું હતું જે હજુ સુધી પૂરું થયું નથી. જૂના મોબાઈલ હેંગ થાય છે, છતાં પોષણ ટ્રેકર જેવી એપ્લિકેશનો પર ઓનલાઈન કામગીરીનું અસહ્ય દબાણ કરવામાં આવે છે. આ ડિજિટલ કામગીરીના કારણે બહેનો માનસિક તણાવ અનુભવી રહી છે. જ્યારે આખું વિશ્વ કોરોનામાં ઘરમાં ભરાઈ ગયું હતું, ત્યારે આ જ આંગણવાડી બહેનોએ કોઈપણ સુરક્ષા વગર ઘરે-ઘરે જઈને સર્વે કર્યો હતો. હોસ્પિટલોમાં દર્દીઓ માટે પથારીઓ કરી હતી અને વેક્સિનેશનમાં પણ સિંહફાળો આપ્યો હતો. આજે જ્યારે તેઓ હક માંગે છે, ત્યારે તેમને ગુનેગારની જેમ ટ્રીટ કરવામાં આવી રહી છે. સંગઠનની આગેવાની હેઠળ બહેનોની માંગણીઓ સ્પષ્ટ છે કે હાઈકોર્ટ મુજબ વેતન વધારો, 60 વર્ષની વયે નિવૃત્તિ, બાકી બિલોનું વ્યાજ સાથે ચુકવણું, ઉનાળુ વેકેશનનો લાભ અને ઓનલાઈન કામગીરીમાં રાહત. આ માંગણીઓ સંતોષવા માટે બહેનોએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે. રાજ્યમાં આગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે દાહોદ જિલ્લાની હજારો આંગણવાડી બહેનોનું આ સંગઠિત આંદોલન સત્તાધારી પક્ષ માટે મોટો પડકાર બની શકે છે. બહેનોએ સ્પષ્ટ કર્યું છે કે જો 20 માર્ચ સુધીમાં વાટાઘાટો નહીં થાય, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલમાં દાહોદની 2430 આંગણવાડીઓને તાળા લાગ્યા છે, જેના કારણે હજારો બાળકો અને સગર્ભા માતાઓના પોષણના કાર્યક્રમને અસર પડી રહી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ બહેનોની વેદના સાંભળીને સમાધાનકારી વલણ અપનાવે છે કે પછી સત્તાના જોરે તેમના અવાજને દબાવવાનો પ્રયાસ ચાલુ રાખે છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીનાં બહિષ્કારની ચીમકી:રાજકોટનાં વોર્ડ 11નાં રહેવાસીઓનો મનપા કચેરીએ હોબાળો, ડે. કમિશ્નરને રજુઆત કરી ચૂંટણી અને વેરા બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
    Next Article
    ભાવનગર SDMના નામે 15 લાખની લેતીદેતીના કથિત ઓડિયો-વીડિયો વાઈરલ:ડ્રાઈવર બોલ્યો- 'સાહેબ 13માં નથી માનતા 15 કહે છે, હું લીલીઝંડી આપી દઉં એટલે બે-ત્રણ દિવસમાં ઓર્ડર'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment