Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આક્ષેપ:"આપ'ના મેરૂ ઓડેદરાના સવાલોથી DDO ભાગ્યા

    5 days ago

    પોરબંદર જિલ્લામાં ગૌચર જમીન પર થતા ગેરકાયદેસર દબાણોનો મુદ્દો ગરમાયો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મેરૂભાઈ ઓડેદરાએ આ ગંભીર મુદ્દે વહીવટી તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે. ગૌચર દબાણ અંગે પત્રકારો અને જનપ્રતિનિધિના સવાલોનો સામનો કરવાના બદલે જિલ્લા વિકાસ અધિકારી ઘટનાસ્થળેથી ગાડીમાં બેસીને રવાના થઈ જતાં તંત્રની નીતિ સામે સવાલો ઉઠ્યા છે. જેને મેરૂભાઈએ વહીવટી તંત્રની રનિંગ રેસ ગણાવી ટીકા કરી છે. આપ નેતા મેરૂભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ગૌચર જમીન પરના દબાણોના મામલે પોરબંદર જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે હોવાની ચર્ચા છે, જે સ્થાનિક તંત્ર માટે શરમજનક બાબત છે. જ્યારે પણ દબાણ કરનારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવે છે, ત્યારે જવાબદાર અધિકારીઓ મેદાન છોડીને પલાયન થઈ જાય છે. જનતાના પ્રશ્નો સાંભળવાના બદલે અધિકારીઓનું આવું પલાયનવાદી વલણ બિલકુલ સાંખી લેવાય તેમ નથી.જો આગામી દિવસોમાં ગૌચરની જમીનો મુક્ત કરાવવા અને પશુપાલકોના હિતમાં વહીવટી તંત્ર કોઈ નક્કર પગલાં નહીં ભરે, તો આગામી સમયમાં જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર:જિલ્લાના લોકોને સચેત એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ
    Next Article
    Ahmedabad | શાળાઓ શરૂ થતા જ વાલીઓની કમર તૂટશે | Schools | New academic session | Students | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment