Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CSKના ઓલરાઉન્ડર રામાકૃષ્ણ ઘોષ IPL 2026માંથી બહાર:મુંબઈ સામે ડેબ્યૂ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો; ચેન્નઈએ હજુ સુધી રિપ્લેસમેન્ટ નક્કી કર્યું નથી

    21 hours ago

    IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની મુશ્કેલીઓ યથાવત છે. ટીમના બોલિંગ ઓલરાઉન્ડર રામાકૃષ્ણ ઘોષ ઈજાને કારણે વર્તમાન સીઝનમાંથી બહાર થઈ ગયો છે. ઘોષે શનિવારે (2 મે) મુંબઈ ઈન્ડિયન્સ સામે IPL ડેબ્યૂ કર્યું હતું અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેન્નઈ સુપર કિંગ્સના સત્તાવાર નિવેદન મુજબ, ઘોષના જમણા પગમાં ફ્રેક્ચર છે. આ ઈજા શનિવારે ચેન્નઈમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન થઈ હતી. હાલમાં ફ્રેન્ચાઈઝીએ તેના રિપ્લેસમેન્ટના નામની જાહેરાત કરી નથી. ડેબ્યૂ મેચમાં સૂર્યાની વિકેટ લીધી અને શાનદાર કેચ પકડ્યો મહારાષ્ટ્રના મીડિયમ પેસર રામાકૃષ્ણ ઘોષ માટે શનિવારનો દિવસ સપના જેવો શરૂ થયો હતો. તેણે મેચની આઠમી બોલ પર બેકવર્ડ પોઇન્ટ પર બાઉન્ડરી પર ડાઈવિંગ કેચ પકડીને મુંબઈના ઓપનર વિલ જેક્સને પેવેલિયન ભેગા કર્યો. ત્યારબાદ બોલિંગમાં પોતાની શોર્ટ પીચ બોલથી દુનિયાના નંબર-1 T20 બેટર સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો. ઘોષે 133 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને બધાને પ્રભાવિત કર્યા હતા. 2025ના ઓક્શનમાં 30 લાખમાં સામેલ થયો હતો ઘોષને CSKએ IPL 2025ના મેગા ઓક્શનમાં તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગયા સીઝનમાં તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી, પરંતુ ટીમે વિશ્વાસ રાખીને આ વર્ષે તેને જાળવી રાખ્યો. શનિવારે તેમને પહેલીવાર પીળી જર્સીમાં મેદાન પર ઉતરવાની તક મળી, પરંતુ ઈજાએ તેની સીઝનનો અંત લાવી દીધો. ચેન્નઈના ચાર ખેલાડીઓ અત્યાર સુધી બહાર થઈ ચૂક્યા છે વર્તમાન સીઝનમાં ખેલાડીઓની ઈજાએ CSKની યોજનાઓ બગાડી દીધી છે. રામાકૃષ્ણ ઘોષ આ સીઝનમાં બહાર થનારા ચેન્નઈનો ચોથો ખેલાડી અને ત્રીજો ઝડપી બોલર છે. તેની પહેલા નાથન એલિસ, આયુષ મ્હાત્રે અને ખલીલ અહેમદ પણ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યા છે. સતત બોલરો બહાર થવાને કારણે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પાસે બોલિંગના વિકલ્પો ઓછા થતા જાય છે. હવેની મેચ 5 મેના રોજ દિલ્હી સામે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ટીમે અત્યાર સુધી રમેલી 9 મેચમાંથી 4માં જીત મેળવી છે, જ્યારે 5 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પ્લેઑફની રેસમાં ટકી રહેવા માટે CSKને તેની બાકીની મેચ જીતવી પડશે. ટીમની હવેની મેચ 5 મેના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે થશે.
    Click here to Read More
    Previous Article
    બાસ્કેટબોલ દિગ્ગજ કોબે બ્રાયન્ટની સફળતાનું રહસ્ય:આંખ ખુલતા જ ફોન જોવાની જગ્યાએ 15 મિનિટ શાંત બેસો; યાદશક્તિ વધશે, તણાવ દૂર થશે
    Next Article
    CM પદના ઉમેદવાર વિજય થલાપતિ સાથે અફેરની ચર્ચા:છૂટાછેડા કરાવવાનો આરોપ, તિરુપતિ મંદિરની મુલાકાત ચૂંટણી પરિણામ સાથે જોડાઈ; જાણો તૃષાની ફિલ્મી કહાની

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment