Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આધારકાર્ડ કઢાવવા માંગતા લોકો માટે રાહત:કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ હવે આધારકાર્ડની સેવા શરૂ થશે, જામનગર-વડોદરા ઈન્ટરસિટી 15 દિવસ બાજવા સ્ટે. સુધી દોડશે

    16 hours ago

    રાજકોટ કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ હવે આધારકાર્ડની સેવા શરૂ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આધારકાર્ડની આ સેવા શરૂ થતા લોકોની સુવિધામાં વધારો થશે. કલેકટર કચેરીના આ જનસેવા કેન્દ્રમાં હાલ રેશનકાર્ડ વિભાજન, રેશનકાર્ડમાં નવા નામ દાખલ કરવા 7/12, 8/અના દાખલા, આવકના દાખલા સહિતની સેવાઓ લોકોને મળે છે. પરંતુ આધારકાર્ડની સેવાઓ મળતી ન હતી. જેના કારણે લોકોને હેરાનગતિ વેઠવી પડતી હતી. કલેકટર તંત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડની કીટ ફીટ કરી આ સેવા શરૂ કરવા માટે કલેકટર દ્વારા આદેશ અપાતા આ અંગેની પ્રક્રિયા ઝડપી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં હાલ કોર્પોરેશનની ત્રણેય ઝોનલ કચેરીઓ વોર્ડ ઓફીસો અને હેડ પોસ્ટ ઓફીસ ખાતે આધારકાર્ડની સેવા લોકોને મળી રહી છે. હવે કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આગામી ટુંક સમયમાં આધારકાર્ડની કીટ મૂકાતા નવા આધાર કાર્ડ કઢાવવા અને આધારકાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરી થઈ શકશે. માત્ર 8 મીમી વરસાદમાં પાણી ભરાતા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન એક્શનમાં રાજકોટમાં ગઈકાલે 18 જૂને સાંજે માત્ર 8 મીમી વરસાદી ઝાપટામાં જ અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ચોમાસાના આ પ્રથમ ટ્રેલર બાદ તંત્ર તુરંત જ એક્શનમાં આવ્યું હતું. મેયર ડો. નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ પોતપોતાના સ્તરેથી કડક સૂચનાઓ આપી હતી. મેયરે તમામ કોર્પોરેટરોને પોતપોતાના વોર્ડમાં જઈ સ્થિતિ ચકાસવા અને ફોટો-વીડિયો સાથે ફરિયાદો મોકલવા આદેશ કર્યો હતો, જે ફરિયાદો બાદમાં ઇજનેરોને મોકલાઈ હતી. બીજી તરફ, મનપા ચોકમાં પાણી ભરાતા ચેરમેન પરેશ પીપળીયાએ અધિકારીઓને સ્થળ પર જ સમસ્યાનો ઉકેલ લાવવા અને કુવાડવા રોડ તથા સંત કબીર રોડ જેવા વિસ્તારોની તત્કાલ તપાસ કરવા સૂચના આપી હતી. આ બંને પદાધિકારીઓએ ચોમાસામાં લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે રીતે તૈયાર રહેવા અધિકારીઓને તાકીદ કરી છે. પૂર્વ ઝોનના સીટી ઇજનેરનો ચાર્જ કાયમી એન્જિનિયરને સોંપાયો મનપાની ઇસ્ટ ઝોન કચેરીના સીટી ઇજનેરનો વધારાનો ચાર્જ અંતે મનપાના એક માત્ર કાયમી સીટી એન્જીનીયર પરેશ અઢીયાને સોંપવામાં આવ્યો છે. પૂર્વ ઝોનમાંથી શ્રીવાસ્તવ નિવૃત્ત થાય બાદ આ જગ્યા ખાલી પડી હતી. ત્રણે ઝોનમાં લાંબા સમયથી ઇન્ચાર્જ સીટી ઇજનેર છે. થોડા દિવસો પહેલા આ ઝોનના ડે.ઇજનેર સીતાપરાને ચાર્જ સોંપવા હુકમ તૈયાર થયો હતો. પરંતુ આ હુકમ કેન્સલ કરાયો હતો. હવે કમિશનરે આ ઝોનનો ચાર્જ પી.ડી.અઢીયાને સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટમાં કાયમી સીટી ઇજનેર તરીકે એકમાત્ર પી.ડી. અઢીયા છે. તેની પાસે સ્માર્ટ સીટી, આરએસસીડીએલ, અર્બન પ્લાન સેલ, ટ્રાફિક, આવાસ યોજના, સીટીબસ, અમૃત સહિતની સરકારી યોજનાઓ, અર્બન ફોરેસ્ટ, આજી રીવરફ્રન્ટ સહિતના હવાલા રહેલા છે. હવે તેમને પૂરા ઇસ્ટ ઝોનનો વધુ એક મોટો ચાર્જ સોંપાયો છે. જિલ્લામાં હાઇવે આસપાસના દબાણો હટાવવા કલેક્ટરનો આદેશ કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને હાઈવે સેફટી ટાસ્ક ફોર્સ કમિટીની પ્રથમ બેઠક યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ હાઇવેના 'રાઈટ ઓફ વે' ની અંદરના ગેરકાયદેસર ધાબા અને વાણિજ્યક એકમો 60 દિવસમાં દૂર કરવા તેમજ નવા બાંધકામો ઉપર પ્રતિબંધ લગાવવા સંબંધિત ઓથોરિટીને સૂચના અપાઈ હતી. વધુમાં, હાઇવે પરના ગેરકાયદે મીડીયમ ગેપ બંધ કરવા, બ્લેક સ્પોટ સુધારણા અંતર્ગત હાઈ ઇન્ટેન્સિટી લાઇટિંગ, કેમેરા, ખાડા પુરવા અને સાઈનેજીસ લગાવવા જેવી રોડ સુધારણા માટેની કામગીરી કરવા જણાવાયું હતું. ટાસ્ક ફોર્સ અંતર્ગત હાઇવે પોલીસ અને RTO વિભાગને સર્વેલન્સ વધારવા તથા તમામ વિભાગોને નિયમિત રિપોર્ટિંગ કરવા માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં RTO અધિકારી આઈ. એસ. ટાંક, રોડ સલામતી એક્સપર્ટ જે.વી. શાહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર–વડોદરા ઈન્ટરસિટી 21 જૂનથી 8 જુલાઈ બાજવા સ્ટેશન સુધી દોડશે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમની કામગીરી માટે બ્લોક લેવામાં આવનાર છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ બ્લોકને કારણે 21 જૂનથી 8 જુલાઈ, 2026 સુધી ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે. જેમાં ટ્રેન નં. 22960 જામનગર–વડોદરા ઈન્ટરસિટી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બાજવા–વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઈન્ટરસિટી વડોદરાના બદલે બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થઈને દોડશે. આમ આ સમયગાળા દરમિયાન ટ્રેન વડોદરા–બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ત્યારે મુસાફરોને સત્તાવાર વેબસાઇટ પરથી વિગતો મેળવી મુસાફરી કરવા જણાવાયું છે. ચોમાસામાં રેલવ્યવહાર વધુ સુરક્ષિત રહેશે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ચોમાસા દરમિયાન મુસાફરોની સુરક્ષા અને અવિરત રેલ પરિચાલન માટે એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. અતિભારે વરસાદમાં ટ્રેક ધોવાણ અને જળભરાવની સ્થિતિને રોકવા માટે દ્વારકા-ભીમરાણા સેક્શનમાં 3 મીટર × 1.8 મીટર કદના વધારાના જળ નિકાલ માર્ગ (નાળા)નું નિર્માણ કરવામાં આવ્યું છે. વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનિલ કુમાર મીના અને ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ વ્યવસ્થાથી ભારે વરસાદમાં પાણીનો નિકાલ ઝડપથી થશે અને રેલવે સંરચનાઓ સુરક્ષિત રહેશે. ડિવિઝન દ્વારા ચોમાસાના પગલે સંવેદનશીલ સ્થળો પર વિશેષ દેખરેખ રાખીને સુરક્ષિત અને સુગમ રેલ સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બિચ્છુ ગેંગના અસલમ બોડિયાની અરજી નામંજૂર:રાજકોટ જેલમાંથી ટ્રાન્સફરની માંગ કોર્ટે ફગાવી, જેલમાં પૂરતી સુરક્ષા હોવા છતા અરજી કરી હતી
    Next Article
    Tej Pratap Yadav in eye of new storm, accused of threatening Patna family; FIR filed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment