Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબના પૂર્વ ડેપ્યુટી CM સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો:મહારાષ્ટ્રમાં નિહંગે તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો; હોસ્પિટલમાં દાખલ કરાયા

    17 hours ago

    મહારાષ્ટ્રના નાંદેડમાં શિરોમણી અકાલી દળ (SAD)ના અધ્યક્ષ અને પંજાબના પૂર્વ ડેપ્યુટી-CM સુખબીર સિંહ બાદલ પર ગુરુવારે હુમલો કરવામાં આવ્યો. પ્રાથમિક માહિતી અનુસાર, નાંદેડ ખાતે ગુરુદ્વારા માતા સાહિબ કૌરમાં એક નિહંગે તેમના પર કૃપાણથી હુમલો કર્યો. હુમલામાં બાદલના હાથ પર ઈજા થઈ છે. જ્યારે તેમની સુરક્ષામાં તહેનાત એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. સુખબીર સિંહ બાદલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાદલ પર એક હુમલાખોરે ધારદાર હથિયારથી હુમલો કર્યો અને તેમના હાથમાં ઈજા થઈ છે. નાંદેડના માતા સાહિબ કૌર વિસ્તારના એક ગુરુદ્વારામાં એક નિહંગે તીક્ષ્ણ હથિયાર કૃપાણથી હુમલો કર્યો. આ દરમિયાન સુખબીર સિંહ બાદલના જમણા હાથમાં ઈજા થઈ અને તેમને એક ખાનગી યશોસાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. નાંદેડ પોલીસે આ માહિતી આપી છે. બાદલ ગુરુદ્વારામાં માથું ટેકવવા પહોંચ્યા હતા માહિતી અનુસાર સુખબીર સિંહ બાદલ પરિવાર સાથે નાંદેડ પહોંચ્યા હતા અને ગુરુદ્વારા માતા સાહિબ કૌરમાં માથું ટેકવવા ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ તેમના પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. હુમલો નાંદેડના ગુરુદ્વારા માતા સાહિબ કૌરમાં થયો હતો. કહેવાય છે કે બાદલના એક સુરક્ષાકર્મી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતીમાં સુખબીર બાદલ પર કૃપાણથી હુમલો થયાની વાત સામે આવી છે. હુમલાની તસવીરો... બાદલના હાથમાં થઈ ઈજા હુમલા દરમિયાન બાદલના હાથમાં ઈજા થઈ હોવાની માહિતી સામે આવી છે. તેમની સાથે હાજર સુરક્ષાકર્મીએ પણ હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો, જેમાં તે પણ ઘાયલ થયો. ઘટના બાદ સુખબીર બાદલને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસે હુમલાખોરને ઝડપી લીધો ઘટના બાદ ઘટનાસ્થળે હાજર સુરક્ષાકર્મીઓ અને અન્ય લોકોએ હુમલાખોરને ઝડપી લીધો. પોલીસે તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે. હુમલા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠ્યા સુખબીર સિંહ બાદલ જેવા મોટા રાજકીય નેતા પર ધાર્મિક સ્થળે ધારદાર હથિયારથી હુમલો થયા બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા થયા છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને ઘટના સાથે જોડાયેલા CCTV ફૂટેજ તથા નજરેજોનાર પાસેથી માહિતી લેવામાં આવી રહી છે. 2 વર્ષ પહેલા પણ હુમલો થયો હતો 4 ડિસેમ્બર 2024ના રોજ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં સુખબીર સિંહ બાદલ પર ખાલિસ્તાની આતંકવાદી નારાયણ સિંહ ચૌડાએ ફાયરિંગ કર્યુ હતું. સુખબીર બાદલ ગોલ્ડન ટેમ્પલના ગેટ પર સેવાદાર બનીને સજા પૂરી કરી રહ્યા હતા. ચૌડાએ જેવી બાદલ પર ફાયરિંગ કર્યુ, તો સિવિલ યુનિફોર્મમાં તહેનાત સુરક્ષાકર્મીઓએ તેનો હાથ પકડીને ઉપર કરી દીધો. ગોળી ગોલ્ડન ટેમ્પલની દીવાલ પર વાગી. આ હુમલામાં બાદલનો આબાદ બચાવ થયો.ગોલ્ડન ટેમ્પલમાં સુખબીર સિંહ બાદલ પર ડિસેમ્બર 2024 માં થયેલા હુમલાની તસવીર.
    Click here to Read More
    Previous Article
    શૈક્ષણિક મહાસંઘની ઉચ્ચ શિક્ષણ મંત્રીને 11 પડતર પ્રશ્નો અંગે રજૂઆત:નોડલ કચેરી રદ કરવા, 300 રજાનું રોકડમાં રૂપાંતર અને નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષ કરવા સહિતની માંગણીઓ
    Next Article
    મહીસાગરનો ‘સાત કુંડા વોટર ફોલ’ ખીલી ઊઠ્યો, VIDEO:પાંચ સિસ્ટમ સક્રિય, આજે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment