Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ CM વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ:પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સોમનાથમાં સોમેશ્વર પૂજા અને અન્નદાનનું આયોજન; પ્લેનક્રેશના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના

    1 week ago

    ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ આજે ગીર સોમનાથ જિલ્લામાં ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે મનાવવામાં આવી. એક વર્ષ પહેલા અમદાવાદમાં થયેલા પ્લેનક્રેશમાં તેમનું અવસાન થયું હતું, જેનાથી સમગ્ર રાજ્ય શોકમગ્ન બન્યું હતું. આ અવસરે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામ ખાતે વિશેષ સોમેશ્વર પૂજાનું આયોજન કરાયું હતું. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના કારોબારી ચેરમેન અને ગીર સોમનાથ જિલ્લા વણિક સમાજના પ્રમુખ ઉદય શાહ તથા તેમના મિત્રવર્તુળ દ્વારા આ પૂજા યોજવામાં આવી હતી. સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગત વિજયભાઈ રૂપાણી સહિત વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પૂજા-અર્ચના દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને ભક્તજનોએ વિજયભાઈ રૂપાણીના જાહેર જીવન, તેમની સરળતા, સેવાભાવ અને ગુજરાતના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. સૌએ દિવંગત આત્માઓને ચિરશાંતિ મળે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી. ત્યારબાદ, પ્રભાસતીર્થ સ્થિત ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર ખાતે વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં અન્નદાન કાર્યક્રમ યોજાયો હતો. યાત્રિકો, સાધુ-સંતો અને જરૂરિયાતમંદોને ભોજન પ્રસાદ અર્પણ કરીને તેમની યાદને જીવંત રાખવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, વિજયભાઈ રૂપાણી ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમની કાર્યશૈલી, સાદગી, લોકસેવા અને સંવેદનશીલ વ્યક્તિત્વ આજે પણ લોકોના હૃદયમાં અંકિત છે. લોકો તેમને ભૂલી શક્યા નથી અને તેમની સાથે જોડાયેલા સંસ્મરણોને યાદ કરીને ભાવુક બન્યા હતા. સોમનાથની પવિત્ર ભૂમિ પરથી અપાયેલી આ શ્રદ્ધાંજલિ સૌ માટે ભાવુક અને સ્મરણિય ક્ષણ બની રહી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમ યોજાયા:વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી સહિત દિવંગતોની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજન
    Next Article
    પશુ ચોરીમાં વપરાયેલી જીપ સાથે ચાલક ઝડપાયો:સાત આરોપી સામે ફરિયાદ, અનેક ગુના નોંધાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment