Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહ કોલકાતા પહોંચ્યા, બંગાળના પ્રથમ ભાજપના CM પસંદ કરશે:ટૂંક સમયમાં ધારાસભ્ય દળની બેઠક, આવતીકાલે શપથ ગ્રહણ

    2 days ago

    પશ્ચિમ બંગાળમાં નવી BJP સરકારની રચનાને લઈને ગૃહમંત્રી અમિત શાહ કોલકાતા પહોંચી ગયા છે. એરપોર્ટ પર તેમનું સ્વાગત BJP પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્ય, સુવેન્દુ અધિકારી, દિલીપ ઘોષ, રાહુલ સિંહા અને સુકાંત મજુમદાર સહિત અનેક નેતાઓએ કર્યું.ૉ શાહ એરપોર્ટ પછી સીધા દક્ષિણેશ્વર કાલી મંદિર ગયા અને પૂજા-અર્ચના કરી. આ પછી તેઓ ન્યૂ ટાઉન સ્થિત નોવોટેલ હોટેલ પહોંચ્યા. ન્યૂ ટાઉનના બિશ્વા બાંગ્લા કન્વેન્શન સેન્ટરમાં આજે બપોરે 2 વાગ્યે BJP ધારાસભ્ય દળની બેઠક યોજાશે, જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. અમિત શાહ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં BJPના તમામ 207 ધારાસભ્યો સામેલ થશે. બેઠકમાં પસંદ કરાયેલા ધારાસભ્ય દળના નેતા પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્યમંત્રી બનશે. 9 મેના રોજ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહમાં PM મોદી, શાહ સહિત NDAના અનેક મોટા નેતાઓ સામેલ થશે. બંગાળના CM બનવાની રેસમાં સુવેન્દુ અધિકારી સૌથી આગળ છે. તેમણે CM મમતા બેનર્જીને ભવાનીપુરથી હરાવ્યા છે. તેઓ નંદીગ્રામથી પણ સતત બીજી વખત ચૂંટણી જીત્યા. અહીંથી 2021માં તેમણે મમતાને હરાવ્યા હતા. શાહ-સુવેન્દુ એક કારમાં બેઠા, 3 તસવીરો… બંગાળમાં 4 મેના રોજ પરિણામ પછીનો ઘટનાક્રમ… 4 મે: બંગાળમાં પ્રથમ વખત ભાજપની બહુમતીવાળી સરકાર 4 મેના રોજ 293 બેઠકોના પરિણામો આવ્યા. ભાજપને 207 બેઠકો મળી. TMC માત્ર 80 પર સમેટાઈ ગઈ. રાજ્યમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે. પરિણામ 24 મેના રોજ આવશે. 5 મે: મમતા બોલ્યા - રાજીનામું નહીં આપું, અમને ષડયંત્રથી હરાવ્યા મમતા બેનર્જીએ કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું- હું CM પદ પરથી રાજીનામું નહીં આપું. અમે જનાદેશથી નહીં, ષડયંત્રથી હાર્યા છીએ. તેથી રાજીનામું આપવા રાજભવન નહીં જાઉં. મમતાએ આગળ કહ્યું - ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને 100 બેઠકો લૂંટી. 6 મે: સુવેન્દુના PAની ગોળી મારીને હત્યા સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. તેઓ કોલકાતાથી મધ્યમગ્રામ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. કોલકાતાથી લગભગ 20 કિમી દૂર ડોલતલામાં એક કાર રથની સ્કોર્પિયો સામે ઊભી રહી ગઈ. આ દરમિયાન બાઇક પર આવેલા હુમલાખોરોએ 6 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. બે ગોળીઓ ચંદ્રનાથની છાતીમાંથી આરપાર થઈ ગઈ. એક ગોળી પેટમાં વાગી. હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું. 7 મે: સુવેન્દુ બોલ્યા - મમતાને હરાવ્યા, તેથી PAની હત્યા ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ ગુરુવારે કહ્યું કે તેમના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા એટલા માટે થઈ કારણ કે તેમણે મમતાને હરાવ્યા છે. સુવેન્દુએ કહ્યું - આ હત્યાને જે રીતે અંજામ આપવામાં આવ્યો, તેની જેટલી પણ નિંદા કરીએ તે ઓછી છે. હત્યાનું કારણ ભવાનીપુરથી મમતાની હાર હોઈ શકે છે. નવી સરકારની રચના સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુમાં સરકાર બનાવવા પર કોકડું ગૂંચવાયું:TVKના વિરોધમાં અનેકની અટકાયત, જો DMK-AIADMK ગઠબંધન કરશે તો થલાપતિ વિજયના બધા ધારાસભ્યો રાજીનામું આપશે
    Next Article
    પત્નીની તરફેણમાં ચુકાદો, 14 વર્ષ બાદ પતિ સાથે રહેશે:રાજકોટ ફેમિલી કોર્ટે બેંક કર્મચારીના છુટાછેડાનો દાવો ફગાવ્યો; પતિએ ગુપ્ત રીતે બીજા લગ્ન કર્યા હોવાનું ખૂલ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment