Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબના CMના કાફલા પર પૂર્વ મંત્રીએ ઈંડાં-ટામેટાં ફેંક્યાં:બિટ્ટૂને કસ્ટડીમાં લેવાયા; બોલ્યા- માન દારૂની મજા માણે, કેજરીવાલને પંજાબ લૂંટવા દે

    15 hours ago

    પૂર્વ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ શનિવારે લુધિયાણામાં સીએમ ભગવંત માનના કાફલા પર ઈંડા-ટામેટાં ફેંક્યાં. બિટ્ટૂએ પંજાબ કૃષિ યુનિવર્સિટીના ગેટ પાસે મુખ્યમંત્રીના કાફલા તરફ દારૂની બોટલ લહેરાવતા કહ્યું કે તેઓ માનને બોટલ પરત આપી રહ્યા છે. તેમણે બોટલો ફેંકતાં કહ્યું- ભગવંત માન, તમારી દારૂની મજા માણો અને અરવિંદ કેજરીવાલને દિલ્હીથી પંજાબને લૂંટવા દો. પ્રદર્શન દરમિયાન પંજાબ પોલીસે બિટ્ટૂને કસ્ટડીમાં લઈ લીધા. કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ બિટ્ટૂના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું- લોકોના અવાજને કસ્ટડી અને કેસોથી દબાવી શકાય નહીં. આજે પંજાબ પોલીસે અમને કસ્ટડીમાં લીધા છે, પરંતુ અમારો જુસ્સો બુલંદ છે. જણાવી દઈએ કે એક દિવસ પહેલાં BJPની નશામુક્ત રથયાત્રા શરૂ થાય તે પહેલાં પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત બિટ્ટૂના કાફલા પર હુમલો થયો હતો. બિટ્ટૂ શુક્રવાર (18 સપ્ટેમ્બર)ના રોજ અમૃતસરથી પઠાણકોટમાં યાત્રામાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. AAPનું ચૂંટણી અભિયાન લોન્ચ કરવા પહોંચ્યા હતા CM પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં CM માન આજે લુધિયાણા ખાતે આમ આદમી પાર્ટીનું ચૂંટણી અભિયાન લોન્ચ કરવા પહોંચ્યા હતા. પખ્ખોવાલ રોડ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમમાં મુખ્યમંત્રી ભગવંત માને પાર્ટીનું ચૂંટણી પેમ્ફલેટ પણ બહાર પાડ્યું. બિટ્ટુ બોલ્યા- મારા પર ફેંકાયેલા ઈંડા-ટામેટાં પાછા આપ્યાં રવનીત બિટ્ટુએ કહ્યું- એક દિવસ પહેલાં બટાલા નજીક મારા કાફલા પર ઈંડા અને ટામેટાં ફેંકવામાં આવ્યાં હતાં, આજે પ્રદર્શન દરમિયાન એ જ પાછા આપવામાં આવ્યાં. મારા કાફલા પર થયેલા હુમલામાં વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, આ બધું AAPએ જ કરાવ્યું હતું. AAPને ભાજપ જવાબ આપશે બિટ્ટુએ કહ્યું કે જો આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના નેતાઓ, રેલીઓ અને યાત્રાઓનો વિરોધ કરશે તો ભાજપના કાર્યકરો પણ પંજાબ સરકાર અને તેના નેતાઓ વિરુદ્ધ લોકતાંત્રિક રીતે પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે ભાજપ પંજાબ સાથે જોડાયેલા મુદ્દાઓ સતત ઉઠાવતું રહેશે. CMના કાર્યક્રમોની બહાર પ્રદર્શન કરવાની ચેતવણી બિટ્ટૂએ કહ્યું કે જરૂર પડશે ત્યારે ભાજપ મુખ્યમંત્રીના કાર્યક્રમો અને કાર્યાલયોની બહાર શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે વિરોધ પ્રદર્શન કરશે. તેમણે પંજાબ સરકાર પર પોલીસ કાર્યવાહી દ્વારા રાજકીય વિરોધનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો. શુક્રવારે બિટ્ટૂના કાફલા પર હુમલો થયો હતો શુક્રવારે BJPની નશામુક્ત રથયાત્રા શરૂ થવા પહેલાં બટાલા નજીક પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત બિટ્ટુના કાફલા પર હુમલો થયો હતો. બિટ્ટુના જણાવ્યા મુજબ, કાફલાને ઘેરીને વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા અને ઈંડા-ટામેટાં ફેંકવામાં આવ્યાં. તેમણે ફતેહગઢ ચૂડિયાંના AAP ઇન્ચાર્જ જોબન રંધાવાના સમર્થકો પર લંગરની આડમાં હુમલો કરવાનો આરોપ લગાવ્યો. સુરક્ષાકર્મીઓ બિટ્ટુને તરત જ એક ઘરમાં લઈ ગયા હતા. રવનીત બિટ્ટુ પર થયેલા હુમલાના PHOTOS… BJPની 4 હજાર કિલોમીટર લાંબી નશામુક્તિ યાત્રા શુક્રવારે પઠાણકોટથી શરૂ થઈ. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને તેને પ્રસ્થાન કરાવ્યું. રાઘવ ચઢ્ઢાએ આ ઘટનાને લઈને AAP પર નિશાન સાધ્યું, જ્યારે નિતિન નવીને કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ નબળા નથી. 13 દિવસ ચાલનારી આ યાત્રા પંજાબની તમામ 117 બેઠકોને આવરી લેશે અને 30 સપ્ટેમ્બરે જલંધરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલી સાથે સમાપ્ત થશે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી ઈન્દોર પહોંચ્યા, MR-10થી વિજય નગર સુધી ટ્રાફિક જામ:'છાત્રો કી ગુંજ’માં Gen-Z સાથે ચર્ચા કરશે, યુવતીઓ બોલી- RAGAને પ્રેમ કરીએ છીએ, તેથી આવ્યા છીએ
    Next Article
    PIT NDPS હેઠળ બે અસામાજિક તત્વોની અટકાયત કરાઈ:જૂનાગઢ SOG ની મોટી કાર્યવાહી: માદક પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલા બે આરોપીઓની PIT NDPS હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલમાં ધકેલાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment