Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી અમૃતિયાની CMને રજૂઆત:સિરામિક ઉદ્યોગને ગેસ ભાવમાં રાહત આપવા માંગ, ખર્ચ વધતા મુશ્કેલી

    14 घंटे पहले

    મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી નેચરલ ગેસના ભાવમાં રાહત આપવા રજૂઆત કરી છે. મંત્રી અમૃતિયાએ મોરબી સિરામિક ઉદ્યોગ એસોસિએશન દ્વારા કરાયેલી મૌખિક રજૂઆતના આધારે જણાવ્યું હતું કે, તાજેતરમાં ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત, વૈશ્વિક બજારમાં સિરામિક ઉત્પાદનોની માંગમાં પણ ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઉદ્યોગ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે. પત્રમાં તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે, ભવિષ્યમાં યુદ્ધ સમાપ્ત થયા બાદ ખાડી દેશોમાં પુનઃનિર્માણના કાર્યો શરૂ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં સિરામિક ઉત્પાદનોની માંગ ફરી વધી શકે છે. આ તકનો લાભ લેવા અને મોરબીના સિરામિક ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી રાખવા માટે નેચરલ ગેસના ભાવમાં મહત્તમ રાહત આપવી અત્યંત જરૂરી છે. મંત્રી કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રીને આ મુદ્દે તાત્કાલિક અને યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે. આ પત્રની એક નકલ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મુખ્ય સચિવને પણ જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    'ગમે ત્યાં પિચકારી મારશો તો કાર્યવાહી થશે જ'- CM:પાનસેરિયાનો ભેળસેળિયા અને નકલી દવા માફિયાઓને પણ કડક સંદેશ, રાજ્યમાં 'નમો સ્વચ્છતા અભિયાન'નો પ્રારંભ
    Next Article
    પૈસાની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ:પિતા-પુત્રએ 20 હજારની ઉઘરાણીમાં યુવાને અપહરણ કરી માર માર્યો, બે સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment