Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગમે ત્યાં પિચકારી મારશો તો કાર્યવાહી થશે જ'- CM:પાનસેરિયાનો ભેળસેળિયા અને નકલી દવા માફિયાઓને પણ કડક સંદેશ, રાજ્યમાં 'નમો સ્વચ્છતા અભિયાન'નો પ્રારંભ

    13 hours ago

    ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી 'નમો સ્વચ્છતા અભિયાન'નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી સ્વચ્છતા અંગે કડક સંદેશ આપતાં કહ્યું કે, 'ગમે ત્યાં પિચકારી મારનારની વ્યવસ્થા થશે, થશે ને થશે જ.' તેમણે જાહેર સ્થળોએ કચરો ફેંકનાર અને ગંદકી ફેલાવનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપતાં જણાવ્યું કે સ્વચ્છતા માત્ર અભિયાન નહીં, પરંતુ દરેક નાગરિકનો સ્વભાવ બનવો જોઈએ. 'જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર પર કાર્યવાહી કરાશે' કાર્યક્રમ દરમિયાન આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષા અંગે સરકારના કડક વલણની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજ્યભરમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચનારા તેમજ નકલી દવાઓ બનાવનારા તત્વો સામે રેડ અને કાયદેસરની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. આવા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરકારી હોસ્પિટલોની દિવાલો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર લોકો સામે પણ કડક પગલાં લેવામાં આવશે. હોસ્પિટલોની દિવાલોને રંગવા અને જાળવણી પાછળ પ્રજાના નાણાં ખર્ચાય છે, તેથી જાહેર મિલકતનું રક્ષણ કરવું દરેક નાગરિકની જવાબદારી છે. આરોગ્ય સાથે સંકળાયેલા નિયમોનું કડક પાલન કરાવવાનૂ સૂચના રાજ્ય સરકારના આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર હોસ્પિટલો પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવાનો, જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાનો અને આરોગ્ય સાથે સંકળાયેલા નિયમોનું કડક પાલન કરાવવાનો છે. સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સ્વચ્છતા અને જાહેર આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી હવે સહન કરવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    સિવિલમાં નમો સ્વચ્છતા અભિયાન::​જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ત્રણેય શિફ્ટમાં નિયમિત સફાઈ સાથે હવે સઘન ઝુંબેશ હાથ ધરાશે, સિવિલ સુપ્રિટેન્ડેન્ટે હોસ્પિટેટના કર્મચારીઓનો આભાર માન્યો
    Next Article
    મંત્રી અમૃતિયાની CMને રજૂઆત:સિરામિક ઉદ્યોગને ગેસ ભાવમાં રાહત આપવા માંગ, ખર્ચ વધતા મુશ્કેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment