Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘વહુને ટોણાં મારવાનું છોડો, પૌત્ર-પૌત્રીને મોબાઈલથી દૂર કરી સંસ્કાર આપો’:સુરતમાં ડેપ્યુટી CMની વડીલોને ટકોર, હજારો સિનિયર સિટીઝનોને કાર્યક્રમમાં સામાજિક દૂષણો સામે લડવા હાકલ

    9 hours ago

    સુરત શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે એક ભવ્ય 'વડીલ વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન હર્ષ સંઘવીએ પોતાના વક્તવ્યમાં પારિવારિક સંબંધો અને મોબાઈલના વળગણ અંગે હળવી શૈલીમાં મર્મભેદી ટકોર કરી હતી. વહુને ટોણાં મારવાને બદલે પૌત્રોને સમય આપો કાર્યક્રમને સંબોધતા હર્ષ સંઘવીએ વડીલોને એક અનોખી વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપનો અનુભવ ખૂબ મોટો છે. જ્યારે તમે ઘરેથી મંદિરે કે સોસાયટીના બાંકડે બેસવા જાવ, ત્યારે વહુને ટોણાં મારવામાં સમય બગાડવાને બદલે, જો તમારા પૌત્ર-પૌત્રી મોબાઈલમાં 'ડિટ-ડિટ' રમી રહ્યા હોય તો તેમની આંગળી પકડીને બહાર રમવા કે મંદિરે લઈ જાવ. તેમણે વડીલોને સંકલ્પ લેવડાવ્યો હતો કે નવી પેઢીને મોબાઈલના દૂષણથી બચાવી સંસ્કાર આપવાનું કામ વડીલો જ શ્રેષ્ઠ રીતે કરી શકે છે. મોબાઈલ અને ટીવીને ગણાવ્યું સામાજિક દૂષણ નાયબ મુખ્યમંત્રીએ સભામાં હાજર વડીલોને પૂછ્યું હતું કે, શું તમારા ઘરમાં આવું (મોબાઈલનું વળગણ) થાય છે? કોના ઘરમાં નથી થતું તે હાથ ઊંચો કરો. જ્યારે મોટાભાગના લોકોએ સ્વીકાર્યું કે આ સમસ્યા છે, ત્યારે સંઘવીએ ઉમેર્યું કે આજનું સૌથી મોટું સામાજિક દૂષણ મોબાઈલ અને ટીવી છે. આ દૂષણ દૂર કરવા વડીલોનો સહયોગ અનિવાર્ય છે. વડીલોએ પણ ઉત્સાહભેર આ વાતને આવકારી સહયોગ આપવાની ખાતરી આપી હતી. ગુજરાત પોલીસ વૃદ્ધાશ્રમના વડીલોને પરિવાર સાથે મેળવશે ગૃહ રાજ્યમંત્રીએ એક સંવેદનશીલ પહેલની જાહેરાત કરતા કહ્યું કે, જે વડીલો અત્યારે વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે, તેમને તેમના દીકરા-દીકરીઓ સાથે પુનઃ મિલાપ કરાવવાનું કામ ગુજરાત પોલીસ કરી રહી છે. કોઈને ડરાવી-ધમકાવીને નહીં, પરંતુ સમજાવટ અને પ્રેમથી માતા-પિતા અને સંતાનો વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કિરણ હોસ્પિટલના આ કાર્યક્રમને પણ તેમણે પરિવારને જોડી રાખવાના પ્રયાસ તરીકે બિરદાવ્યો હતો. નવા વૃદ્ધાશ્રમ નહીં, હર્યાભર્યા પરિવારની જરૂર છે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો સામાજિક સંસ્થાઓ, સરકાર અને સમાજ એક થઈને પ્રયાસ કરશે તો રાજ્યમાં નવા વૃદ્ધાશ્રમ ખોલવાની જરૂર જ નહીં પડે. આપણું લક્ષ્ય નવા વૃદ્ધાશ્રમ બનાવીને કોઈ મોટું કામ કરવાનું નથી, પરંતુ દાદા-દાદી, માતા-પિતા અને પૌત્ર-પૌત્રીઓ એક જ છત નીચે પ્રેમથી સાથે રહે તેવું વાતાવરણ ઉભું કરવાનું છે.
    Click here to Read More
    Previous Article
    'રાજા મેલડીના' નામે ઈન્સ્ટાગ્રામ પર ફેમસ ભુવાની પોલ ખુલી:માતાજીનો ડર બતાવી લોકો પાસે દારૂ અને કિંમતી વસ્તુઓ મંગાવતો હતો, વિજ્ઞાન જાથા ત્રાટકતા ફરાર
    Next Article
    Unseasonal Rain LIVE | દેશભરમાં માવઠાનો કહેર, પતરાં ઉડ્યાં, ઝાડ પડ્યાં | Cyclone Storm |Weather News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment