Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપ્રીમ કોર્ટમાં વકીલની ડાગળી ચસકી, CJIને ગાળો ભાંડી:જજને આદેશ આપવા લાગ્યો, કાગળો ઉછાળ્યા; સિક્યોરિટીએ ખેંચીને બહાર કાઢ્યો, કોર્ટે અવમાનનાની કાર્યવાહી ન કરી

    1 day ago

    શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજદાર વકીલે સુનાવણી દરમિયાન અભદ્ર વર્તન કર્યું. અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી ચાલી રહી હતી. આ અરજી વકીલે જ કરી હતી. સુનાવણીની શરૂઆતથી જ વકીલે ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું હતું. થોડી જ વારમાં તેણે કોર્ટમાં ગાળો બોલવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, કેસ સંબંધિત કાગળો હવામાં ઉછાળતા કહ્યું... "તે @#$% CJIને આપી દેજો...." અરજદાર વકીલના આ વર્તનથી કોર્ટ રૂમમાં થોડા સમય માટે સન્નાટો છવાઈ ગયો. પરંતુ તરત જ સિક્યોરિટીએ તેને કોર્ટ રૂમમાંથી બહાર કાઢી મૂક્યો. આ કેસની સુનાવણી જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચ કરી રહી હતી. જોકે, કોર્ટે વકીલ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો, પરંતુ તેની અરજી ફગાવી દીધી. કોર્ટ રૂમમાં થયેલા હોબાળાની 2 તસવીરો… હોબાળા પછી જજે કહ્યું- અમને તેના પ્રત્યે સહાનુભૂતિ છે સુનાવણી શરૂ થતાં જ અરજદારે કહ્યું, "ન્યાયિક અધિકારી મહોદય, હું તમને આદેશ આપું છું કે તમે લખનઉના ACP વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપો." આના પર જસ્ટિસ કે.વી. વિશ્વનાથને આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું, "તમે મને આદેશ આપી રહ્યા છો?" તેના જવાબમાં અરજદારે કહ્યું, "મારી તરફથી બસ આટલું જ. બધું રેકોર્ડ પર છે." આ પછી તેણે કેસની ફાઇલ હવામાં ફેંકી દીધી અને ગાળાગાળી કરવા લાગ્યો. તરત જ સુરક્ષાકર્મીઓ સતર્ક થઈ ગયા અને તેને કોર્ટરૂમમાંથી બહાર લઈ ગયા. હોબાળા પછી જસ્ટિસ કે.વી. વિશ્વનાથને કહ્યું- “તે ખૂબ જ પરેશાન છે, આ બધી હતાશા છે. અમને તેના માટે ફક્ત સહાનુભૂતિ છે.” કોર્ટે કોઈ કાર્યવાહી ન કરી, પરંતુ બાર કાઉન્સિલ કાર્યવાહી કરી શકે છે હોબાળો છતાં, બેન્ચે અરજદાર વિરુદ્ધ કોર્ટની અવમાનના અથવા અન્ય કોઈ કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો. જસ્ટિસ વિશ્વનાથને કહ્યું, "અમે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી. જ્યાં સુધી કેસના ગુણદોષનો સવાલ છે, અમે રેકોર્ડ જોઈ લીધા છે અને અમને વિવાદિત આદેશમાં દખલ કરવાનો કોઈ નક્કર આધાર મળ્યો નથી. સ્પેશિયલ લીવ પિટિશન રદ કરવામાં આવે છે." જોકે, આ વકીલ વિરુદ્ધ બાર કાઉન્સિલ પણ કાર્યવાહી કરી શકે છે. ખરેખર, જો કોઈ વકીલ પોતાના વ્યવસાયના નિયમોનું પાલન ન કરે અથવા ખોટું આચરણ કરે, તો તેની વિરુદ્ધ એડવોકેટ્સ એક્ટ, 1961 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. પહેલા પ્રારંભિક તપાસ થાય છે, જો તપાસમાં આરોપો સાચા જણાય, તો તેને બાર કાઉન્સિલની અનુશાસનાત્મક સમિતિ પાસે મોકલવામાં આવશે. સમિતિ ફરિયાદ કરનાર અને વકીલ બંનેની વાત સાંભળ્યા પછી નિર્ણય લેશે. વકીલ દોષિત જણાય તો તેને ચેતવણી આપી શકાય છે, થોડા સમય માટે વકીલાત કરવાથી રોકી શકાય છે. ગંભીર કિસ્સાઓમાં તેનું નામ બાર કાઉન્સિલની યાદીમાંથી હટાવી શકાય છે. સુપ્રીમ કોર્ટમાં અભદ્રતાના કિસ્સાઓ સુપ્રીમ કોર્ટમાં ક્યારેક કોઈ વકીલ દ્વારા દલીલ દરમિયાન ઊંચા અવાજ, ઉગ્ર દલીલ અથવા અયોગ્ય ટિપ્પણીના કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ CJI પર શારીરિક હુમલો અથવા કોર્ટ રૂમની અંદર ગંભીર અભદ્રતા જેવી ઘટનાઓ સાર્વજનિક રેકોર્ડમાં મળતી જ નથી. CJI સાથે અભદ્રતાની અત્યાર સુધી ફક્ત 2 ઘટનાઓનો ઉલ્લેખ મળે છે. 1999- CJI એએસ આનંદ પર એડવોકેટ નંદલાલ બલવાણીએ જૂતું ફેંક્યું તત્કાલીન CJI એએસ આનંદની બેન્ચ સમક્ષ એક વકીલે સૂત્રોચ્ચાર કર્યા અને કોર્ટ રૂમમાં જૂતું ફેંક્યું. સુપ્રીમ કોર્ટે તેને ગંભીર ફોજદારી અવમાનના ગણી અને તેમને 4 મહિનાની જેલ અને દંડની સજા સંભળાવી. 6 ઓક્ટોબર 2025 – CJI બીઆર ગવઈના કોર્ટ રૂમમાં જૂતું ફેંકવાની ઘટના એક વકીલે સુનાવણી દરમિયાન CJI બીઆર ગવઈ તરફ જૂતું ફેંક્યું અને નારા લગાવ્યા. જૂતું CJIને ન લાગ્યું. સુરક્ષાકર્મીઓએ તરત જ આરોપીને કસ્ટડીમાં લઈ લીધો. ત્યારબાદ બાર કાઉન્સિલે પણ શિસ્તભંગના પગલાં શરૂ કર્યા. બહાર જતી વખતે વકીલે નારો લગાવ્યો- સનાતનનું અપમાન નહીં સહે ભારત. ઘટના બાદ CJIએ કોર્ટમાં હાજર વકીલોને તેમની દલીલો ચાલુ રાખવા કહ્યું. તેમણે કહ્યું કે આ બધાથી પરેશાન ન થાઓ. હું પણ પરેશાન નથી, આ બાબતોથી મને કોઈ ફરક પડતો નથી. કોર્ટના અવમાનનાની સજા શું છે? સુપ્રીમ કોર્ટના અવમાનનાની સજા અધિનિયમ, 1971 હેઠળ નક્કી કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ પાસે અવમાનનાના દોષિત વ્યક્તિને વધુમાં વધુ 6 મહિના સુધીની કેદ, અથવા 2,000 રૂપિયા સુધીનો દંડ, અથવા બંનેની સજા આપવાનો અધિકાર છે. જોકે, સજા નક્કી કરતી વખતે કોર્ટ કેસની ગંભીરતા, આરોપીનું વર્તન અને માફી અથવા સુધારવાની સ્થિતિને ધ્યાનમાં રાખે છે.
    Click here to Read More
    Previous Article
    સ્પેનના જંગલમાં આગ, 12નાં મોત:કારમાં 4 લોકો જીવતા ભડથું થયા, 19 હજુ પણ ગુમ; ઇલેક્ટ્રિક વાયરથી આગ લાગવાની આશંકા
    Next Article
    TRP ગેમઝોન અગ્નિકાંડમાં 6 અધિકારી કાયમી ઘરભેગા:તત્કાલિન CFO ઈલેશ ખેર, ફાયર સ્ટેશન ઓફિસર વિગોરા અને TP વિભાગના 4 અધિકારી ડિસમિસ, મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment