Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં નવી CGST ઓફિસ શરૂ થઈ:આસિસ્ટન્ટ કમિશનરની હાજરીથી કરદાતાઓની મુશ્કેલીનો અંત આવશે, સમય અને નાણાનો વ્યય અટકશે

    9 hours ago

    પાલનપુરના હનુમાન ટેકરી નજીક નવી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) ઓફિસ શરૂ કરવામાં આવી છે. આ ઓફિસના ઉદ્ઘાટનથી વેપારીઓ અને કરદાતાઓમાં ખુશીનો માહોલ છે, કારણ કે હવે કર સંબંધિત કામગીરી સ્થાનિક સ્તરે સરળ બનશે. વેપારી એસોસિએશન અને બાર એસોસિએશન દ્વારા લાંબા સમયથી પાલનપુરમાં આસિસ્ટન્ટ કમિશનરની કચેરી શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. અગાઉ, 1 જુલાઈ, 2017થી પાલનપુરમાં ડિવિઝન ઓફિસ કાર્યરત હોવા છતાં, આસિસ્ટન્ટ કમિશનર મહેસાણામાં બેસતા હતા. આના કારણે કરદાતાઓને વિવિધ પ્રશ્નો અને કામગીરી માટે મહેસાણા સુધી જવું પડતું હતું, જેમાં સમય અને ખર્ચનો વ્યય થતો હતો. નવી ઓફિસનું ઉદ્ઘાટન ચીફ કમિશનરના હસ્તે કરવામાં આવ્યું હતું. હવે આસિસ્ટન્ટ કમિશનર પાલનપુરમાં ઉપલબ્ધ રહેશે, જેના પરિણામે પાલનપુર ડિવિઝન વિસ્તારના આશરે 16 હજાર કરદાતાઓને સીધો લાભ મળશે. આ વ્યવસ્થાથી કરદાતાઓને સરળતા મળશે અને તેમના સમય-ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. કરદાતાઓની સંખ્યા વધશે: ચીફ કમિશનર આ પ્રસંગે ચીફ કમિશનર IRS સુનિલકુમારે જણાવ્યું હતું કે, અહીંના વેપારીઓ અને બાર એસોસિએશનની આ ખૂબ જૂની માગ હતી. GST લાગુ થયો ત્યારથી અહીં ડિવિઝન ઓફિસ તો હતી, પરંતુ આસિસ્ટન્ટ કમિશનર મહેસાણા બેસતા હોવાથી અને અહીં માત્ર રેન્જ કક્ષાના અધિકારીઓ જ ઉપલબ્ધ હોવાથી ઉચ્ચ અધિકારીની સ્થાનિક હાજરી માટે માગ ઉઠી હતી. જેથી કોઈ પણ સમસ્યાનું ઝડપી નિવારણ આવી શકે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગાંધીનગર આયુક્તાલયની ટીમે છેલ્લા એક વર્ષ દરમિયાન મહેનત કરીને શહેરના સેન્ટ્રલ વિસ્તારમાં આ સુવિધાજનક જગ્યા શોધી કાઢી છે. હવે આસિસ્ટન્ટ કમિશનર અહીં જ બેસશે, જેથી વેપારીઓ કોઈ પણ સમસ્યા કે સૂચન માટે વરિષ્ઠ અધિકારીઓનો સરળતાથી સંપર્ક કરી શકશે અને તેમને મહેસાણા જવાની જરૂર નહીં રહે.
    Click here to Read More
    Previous Article
    મૃતદેહો સાચવા મુદ્દે વડોદરાની SSG હોસ્પિટલનો યુ-ટર્ન:ફોર્મમાં નાખેલી વિવાદીત 3 લીટીની શરત પરત ખેંસી; જવાબદારી હોસ્પિટલ અને વડાનીઃ આરોગ્ય મંત્રી
    Next Article
    સુરેન્દ્રનગર: પ્રથમ બ્લોક કામગીરી પૂર્ણ કરનારનું સન્માન:કલેક્ટર જી.એચ.સોલંકીએ વસ્તી ગણતરી-2027ના કાર્યને બિરદાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment