Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:CGSTના ડિમાન્ડ ઓર્ડર સામે હાઇકોર્ટેનો સ્ટે

    6 days ago

    ભાવનગરમાં છેલ્લા 6 મહિનાથી ચકચાર જગાવનારા સીજીએસટી કચેરીના શિપ રીસાયકલરો, રી-રોલિંગ મિલો, અન્ય વ્યવસાયો, વેપારીઓને 700થી વધુ શો-કોઝ નોટિસો, બાદમાં ડિમાન્ડ નોટિસો ઇશ્યુ કરવામાં આવી હોવાના મામલે ઉદ્યોગકારોમાં ભારોભાર અસંતોષ ફેલાયો હતો. 4 શિપ બ્રેકરો, 6 ફરનેસ ઉદ્યોગના અગ્રણીઓએ ડિમાન્ડ ઓર્ડરની સામે હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે, તેની સુનાવણી દરમિયાન જજે સ્ટે ઓર્ડર પાઠવી અને 9મી એપ્રિલ સુધીમાં સીજીએસટીને પોતાનો જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે. વર્ષ 2018-19થી 2023-24 સુધીના સમયગાળા માટે 700થી વધુ વેપારીઓને નોટિસો પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ ડિમાન્ડ નોટિસો અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો વેપારીઓ, વ્યવસાયકારોને ડિમાન્ડ નોટિસથી અસંતોષ હોય તો 10% ડિપોઝિટ રકમ ભરી અને અપિલમાં જવું પડે છે, એક-એક વેપારીને કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસો પાઠવવામાં આવેલી છે, તેથી અપિલમાં જવા માટે પણ 10 ટકા લેખે જંગી વર્કિંગ કેપિટલના નાણા અનિશ્ચિત મુદ્દત માટે અટવાય જાય તેમ હોય છે. સીજીએસટીના નિર્ણયની સામે 4 શિપ બ્રેકરો અને 6 ફરનેસ અગ્રણીઓએ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, પંચવટી શિપ બ્રેકર્સની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ડિમાન્ડ પર રોક લગાવી છે અને સીજીએસટી ભાવનગરને આગામી મુદ્દતમાં પોતાનો જવાબ રજૂ કરવા માટે નોટિસ આપી છે. જે વેપારીઓને નોટિસો અપાઈ છે તે પૈકીના મોટાભાગના વેપારીઓ પાસે ઇન્વોઇસ, બીલ-ટી, ઇ-વે બિલ, વજન કાંટા ચીઠ્ઠી, બેંક ખાતાના ઉતારા જેમાં વેચાણની રકમ જમા આવી હોય, જીએસટી રિટર્ન-1 અને 2 જેમાં સંબંધિત બાબતો રિફ્લેક્ટ થાય છે. સીજીએસટીના અધિકારીઓ આ તમામ બાબતો ઓનલાઇન પણ ચેક કરી શકે તેમ હોવા છતા વેપારીઓ પાસેથી અવનવા દસ્તાવેજી પુરાવા અને કાગળીયા મંગાવવામાં આવી રહ્યા હોવાને કારણે વેપારીઓ પોતાના કામધંધા ભૂલી અને જીએસટી કચેરીના તળીયા ઘસી રહ્યા છે. વેપારીઓના મતે, શો-કોઝ નોટિસ અને ત્યારબાદ ઢગલાબંધ ડિમાન્ડ નોટિસો પણ કરદાતાને ફટકારાઈ છે. વેપારીઓ દ્વારા જીએસટી તંત્ર તરફથી માંગવામાં આવેલા તમામ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હોવા છતા કામગીરી લંબાવવામાં આવી રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. જૂન-2025થી મામલો ભાવનગરને ધુણાવે છે સીજીએસટી ભાવનગર દ્વારા ભાવનગરના ઉદ્યોગકારોને વર્ષ 2018-19થી 2023-24 સુધીના સમયગાળા માટે 700થી વધુ વેપારીઓને નોટિસો પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ ડિમાન્ડ નોટિસો અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ સીજીએસટીના વચેટીયા દ્વારા પતાવટ કરાવી આપવા મધ્યસ્થી કરી મોટા ગજાના ઉદ્યોગકારોના કામ પતાવી દીધા હતા, તેથી બાકી રહી ગયેલામાં અસંતોષ ફેલાયો હતો. આ મામલો જુન 2025થી સતત ગુંજી રહ્યો છે. કહેવાતો ટેક્સ કન્સલટન્ટ વચેટિયાની ભૂમિકામાં સીજીએસટીના ઉચ્ચ અધિકારીઓ પોતાના વચેટીયા સમાન કુખ્યાત ટેક્સ કન્સલટન્ટ પીડિત વ્યવસાયકારોને સીજીએસટીની ડિમાન્ડ નોટિસો, કાયદાકીય કાર્યવાહીનું ફીંડલુ વળાવી દેવા અવાંતર હેતુથી મધ્યસ્થીની ભૂમિકા અદા કરી રહ્યા છે. 10 ટકા રકમ અપિલમાં જવા માટે અને કાયદાકીય પ્રક્રિયા લાંબો સમય ચલાવવા, કચેરીના ધક્કા ખાવાની પલોજણમાંથી છુટકારો અપાવવા કુલ ડિમાન્ડના 3 ટકા રકમ સ્પીડ મની તરીકે ચુકવી આપી અને મામલો રફે-દફે કરે છે. આ વચેટીયો સીજીએસટી કચેરીમાં જ પડ્યો-પાથર્યો રહે છે. શા માટે કેસ ગૂંચવાયો છે? સીજીએસટી દ્વારા શિપ બ્રેકરો, રી-રોલિંગ-ફરનેસ ધારકો દ્વારા બોગસ વેચાણ દર્શાવી માત્ર બિલો ફાડવામાં આવ્યા હોવાની બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેની સામે ઉદ્યોગકારો પોતાનો પક્ષ રજૂ કરી કહી રહ્યા છે કે, ભાગીદારી પેઢીમાં ફેરફાર, પેઢીમાંથી પ્રા.લિ., સહિતના ફેરફારના સમયે પાનકાર્ડ બદલાય અને જીએસટી નંબર બદલાય છે, તેથી જે પેઢીના નંબર બદલાયા હોય તેના વેચાણને બોગસ બિલિંગ ગણી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    તંત્રની કમોસમી કસોટી:જિલ્લામાં PGVCLના 125 વીજપોલ થયા ધરાશાયી
    Next Article
    Gujarat Fatafat LIVE | આજના તમામ મહત્વના સમાચાર | Weather | Superfast News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment