Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વસ્તી ગણતરી 2027ની તૈયારીઓ શરૂ:ચાર્જ અધિકારીઓ અને ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ અપાઈ

    15 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી વસ્તી ગણતરી-2027 માટેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત ચાર્જ અધિકારીઓ માટે 16 અને 17 માર્ચ 2026 દરમિયાન બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ફિલ્ડ ટ્રેનર્સ માટે 25 થી 27 માર્ચ 2026 દરમિયાન ત્રિદિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર (સેન્સસ) દ્વારા તાલીમમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લાના 10 તાલુકા મામલતદાર, 5 નગરપાલિકાના ચીફ ઓફિસરો અને મહાનગરપાલિકાના ચાર્જ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ તમામ અધિકારીઓ પોતાના વિસ્તારમાં ચાર્જ અધિકારી તરીકે વસ્તી ગણતરીની કામગીરીનું નેતૃત્વ કરશે. તેમને વસ્તી ગણતરી સંબંધિત માર્ગદર્શિકા, પ્રક્રિયા, ડિજિટલ સિસ્ટમ અને કામગીરીના વિવિધ પાસાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ચાર્જ અધિકારીઓની મુખ્ય જવાબદારીઓમાં વહીવટી એકમોની યોગ્ય રચના કરવી, ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવી તેમજ એન્યુમરેટર અને સુપરવાઈઝરોને તાલીમ આપવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાએ 2 માસ્ટર ટ્રેનર અને તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ કુલ 54 ફિલ્ડ ટ્રેનરોની નિમણૂક કરવામાં આવી છે, જેમણે પોતાની તાલીમ પૂર્ણ કરી લીધી છે. તંત્ર દ્વારા સંપૂર્ણ અને ચોક્કસ વસ્તી ગણતરી થાય તે માટે ભાર મૂકવામાં આવ્યો છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન જિલ્લા કલેક્ટર પ્રમુખ વસ્તી ગણતરી અધિકારી તરીકે અને નિવાસી અધિક કલેક્ટર જિલ્લા વસ્તી ગણતરી અધિકારી તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તી ગણતરીની તમામ કામગીરી પર દેખરેખ અને નિયંત્રણ રાખશે. વસ્તી ગણતરીની કામગીરી બે મુખ્ય તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કા હેઠળ સેલ્ફ એન્યુમરેશન (SE) પ્રક્રિયા 5 એપ્રિલ 2026 થી 16 એપ્રિલ 2026 દરમિયાન હાથ ધરાશે. ત્યારબાદ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન (HLO) 20 એપ્રિલ 2026 થી 15 મે 2026 દરમિયાન યોજાશે. બીજો તબક્કો, એટલે કે પોપ્યુલેશન એન્યુમરેશન (PE), 8 ફેબ્રુઆરી 2027 થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, વસ્તી ગણતરી એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયા હોવાથી જિલ્લાના તમામ અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ દ્વારા સંપૂર્ણ સંકલન, જવાબદારી અને પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબી જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખ પદ રોટેશન જાહેર:મોરબી જિલ્લા પંચાયત ST અનામત; મોરબી, હળવદ તાલુકા પંચાયતમાં સામાન્ય સ્ત્રી અનામત
    Next Article
    વલસાડ: માજી સરપંચના પતિએ ₹10.52 લાખની લોન હડપી:નકલી સિક્કા-સહીથી છેતરપિંડી, ગ્રામ પંચાયત સભ્યની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment