Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામમંદિરના પહેલા CEO બન્યા પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા:ઓપરેશન સિંદૂરમાં પશ્ચિમી વાયુ કમાનને લીડ કરી હતી; 3 નવા ટ્રસ્ટીઓની પણ જાહેરાત કરી

    1 day ago

    શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને અયોધ્યા રામ મંદિરના પહેલા CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) બનાવ્યા છે. બુધવારે યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. દેવરિયાના રહેવાસી જિતીન્દ્ર મિશ્રાએ ઓપરેશન સિંદૂરમાં પશ્ચિમી વાયુ કમાનને લીડ કરી હતી. આ સિવાય બેઠકમાં દિલ્હીના મહેશ ભાગચંદકા, અયોધ્યાના એડવોકેટ મદન મોહન પાંડે અને RSS સાથે જોડાયેલા શિકોહાબાદના નિર્મલા યાદવને ટ્રસ્ટી બનાવ્યાં છે. 7 જૂને દાન ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ મામલે 8 આરોપી જેલમાં છે. આ પહેલા 2 જુલાઈએ યોજાયેલી બેઠકમાં મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. નિવૃત્ત IFS કૃષ્ણ મોહનને કાર્યવાહક મહાસચિવ બનાવ્યા. ત્યાં જ, 26 જુલાઈએ 9 સંતોની ધાર્મિક સમિતિ બનાવવામાં આવી હતી. નવા ટ્રસ્ટીઓ વિશે જાણો- એડવોકેટ મદન મોહન પાંડે- રામ જન્મભૂમિ-બાબરી વિવાદ કેસમાં રામલલા વતી કાનૂની દલીલો કરનાર ટીમનો ભાગ રહ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ સંબંધિત પક્ષની દલીલોમાં ભૂમિકા ભજવી. જાન્યુઆરી 2024માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે- સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમના 51 વર્ષના કરિયરની સૌથી મોટી સિદ્ધિ રહ્યો. મહેશ ભાગચંદકા- દિલ્હીના વેપારી છે. અશોક સિંઘલ ફાઉન્ડેશન ચલાવે છે. તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે, જેમાં ‘અશોક સિંઘલ : હિંદુત્વના પુરોધા’, ‘બોલતી અનુભૂતિઓ’ અને ‘શ્રી રામ મંદિર કાવ્ય યાત્રા’ મુખ્ય છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક સંબંધિત અપડેટ્સ માટે લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    નેપાળી PM સંસદમાં બોલ્યા- ભારતનો આભાર:કહ્યું- યોગ્ય સમયે પાડોશી દેશોએ મદદ પહોંચાડી; 7 દિવસમાં 1127 લોકોનાં મોત
    Next Article
    ‘ડાફોળિયા મારતા દેખાશો તો ફીટ કરી દઈશ’:સાતમ-આઠમના મેળા પહેલા સાહેબે લુખ્ખાઓને રેચ આપ્યો; BJPની ઓફિસમાં જ બે નેતા એકબીજાને ના બોલવાનું બોલી ગયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment