Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોજગાર ન મળતાં ટ્રક આડે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, CCTV:વડોદરામાં વસવાટ કરતો નેપાળી યુવાન 5 દિવસથી રાજકોટ કામધંધાની શોધમાં આવ્યો'તો; મોરબી હાઈવે પર યુવકનો આપઘાત

    4 days ago

    રાજકોટના મોરબી હાઈવે પર આવેલા હડાળા ગામના પાટીયા પાસે ગઈકાલે(1 એપ્રિલ) બપોરના સમયે એક કરૂણ ઘટના સામે આવી હતી. જેમાં વડોદરાથી પાંચ દિવસ પહેલા રોજગારી મેળવવાની આશા સાથે રાજકોટમાં આવેલા 39 વર્ષીય નેપાળી યુવકે આર્થિક તંગી અને કામ ન મળવાને કારણે સર્જાયેલી માનસિક અસ્વસ્થતામાં ટ્રક હેઠળ મોતની છલાંગ લગાવી દીધી હતી. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં બંને પગ કપાઈ ગયા હતા હડાળા પાટીયા પાસે આવેલી વિરાટ હોટલમાં આશરો લઈ રહેલા જગદીશભાઈ રામદૂતપ્રસાદ જોશી (ઉ.વ.39) ગઈકાલે બપોરે 12.30 વાગ્યા આસપાસ ચાલીને જતા હતા ત્યારે અચાનક સામેથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રક નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. ​આ ભયાનક અકસ્માતમાં જગદીશભાઈના બંને પગ કપાઈ ગયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. 5 દિવસ પહેલાં રોજગારી માટે વડોદરાથી આવ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક છેલ્લા પાંચ દિવસથી વડોદરાથી અહીં આવ્યો હતો અને સતત કામની શોધમાં ફરતો રહેતો હતો. લાંબા સમયની મહેનત છતાં કોઈ રોજગારી ન મળતા હતાશામાં ગરકાવ થઈ જતા માનસિક સ્થિતિ પણ નબળી પડી હતી જેમાં આર્થિક સંકડામણ અને અનિશ્ચિત ભવિષ્યના ડરને કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકને સંતાનમાં એક દીકરો અને દીકરી મૃતક યુવાન જગદીશભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતકના પરિવારને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ આર્ટ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાથી રાજકોટ રોજગારી મળશે તેવી આશા સાથે આવેલા યુવાનનો દેહ હવે માદરે વતન પરત જશે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ દિવસના નીચલા સ્તરથી 1,600 પોઈન્ટ વધ્યો:73,100 પર ટ્રેડિંગ, બેંકિંગ અને મેટલ શેરોમાં વેચવાલી
    Next Article
    વિસનગરમાં રાષ્ટ્રીય વોકિંગ ડે પર જાગૃતિ રેલી:લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment