Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક સેકન્ડમાં બ્લાસ્ટને ચાર-ચાર જિંદગી ખતમ:નખત્રાણાના કોટડામાં ભીષણ વિસ્ફોટના ડરામણાં CCTV, આસપાસ ધ્રુજારી, એક ભાઈ 30 ફૂટ દૂર ઉડીને પડ્યો

    1 day ago

    નખત્રાણાના કોટડા (જ) વિસ્તારમાં આવેલા મફતનગરના એક ભંગારવાડામાં 22 ઓગસ્ટે ભીષણ બ્લાસ્ટ થયો હતો. મિની ટ્રક છોટા હાથીમાંથી ભંગાર ઉતારતા સમયે બ્લાસ્ટ થતાં બે ભાઈઓના સ્થળ પર કરુણ મોત થયા હતા.જ્યારે અન્ય બે બાળકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બ્લાસ્ટની ઘટનાના ડરામણાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક સેકન્ડના બ્લાસ્ટ બાદ અગનજ્વાળા દેખાય છે અને જ્યારે દૂર જ્યાં સીસીટીવી હતાં તે પણ ઘ્રુજવા લાગ્યા હતા. આ ઘટનામાં ચાર લોકોએ હંમેશ માટે દુનિયા છોડી દીધી છે. શનિવારે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ભંગારના વાડામાં બ્લાસ્ટ થતા કુંભાર મામદ ઈલિયાસ (ઉં.વ. 30), કુંભાર નૂરમામદ ઇલિયાસ (ઉં.વ.ષ 26), કુંભાર હસનેન મામદ (ઉં.વ. ૩) અને કુંભાર નૂર ફાતિમા નૂરમામદ (ઉં.વ.૩.5)ના મોત થયા છે. સમગ્ર બનાવ શું છે? હતભાગી પરિવાર ગાડીમાં આસપાસના ગામડાઓમાંથી ભંગાર એકઠો કરી ફેરી કરવાનો ધંધો કરતો હતો. બનાવના દિવસે તેઓ ભંગાર ભરીને પોતાના વાડે પરત આવ્યા હતા. બંને ભાઈઓ ગાડીમાંથી ભંગાર ખાલી કરતાં હતાં અને બે નાના બાળકો નજીક ઊભેલા હતા. ત્યારે અચાનક જ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો.પ્રચંડ વિસ્ફોટને કારણે ચારેય ઝપેટમાં આવી ગયા હતા અને તેમના મોત થયા હતા.ઘટનાને પગલે આસપાસના લોકો સહિત સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પ્રચંડ વિસ્ફોટથી એક ભાઈની લાશે 30 ફૂટ દૂર પડી ભંગારના ખુલ્લા વાડામાં થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે,એક ભાઈની લાશ 30 ફૂટ દૂર પડી હતી.આ ઉપરાંત ગાડીમાં રાખેલા ભંગારના ટુકડા દૂર આવેલા બાથરૂમ પર પડતા તેના પતરા પણ તુટી ગયા હતા.સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ધડાકો થયો તેનો અવાજ આસપાસના ત્રણેક કિલોમીટર સુધી સંભળાયો હતો. સંરક્ષણ દળના વણફૂટેલા સેલનો વિસ્ફોટ! કચ્છમાં વિવિધ સંરક્ષણ દળો દ્વારા ફાયરિંગ રેન્જ પર ફાયરિંગ સહિતની પ્રેક્ટિસ થાય છે, સંરક્ષણ દળો દ્વારા આવી પ્રેક્ટિસ બાદ ભંગાર એકત્ર કરાય છે, પણ ઘણી વખત વણફૂટેલા સેલ રહી જાય છે અને એ ભંગારિયાઓ લઈને જતાં તેનો ભોગ લેતા હોય છે, આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી હોવાથી આ ધડાકો પણ એવો હોવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    રિષભ પંતને બોલ વાગતા રિટાયર્ડ હર્ટ થઈને બહાર જવું પડ્યું:જાડેજા ક્રિઝ પર આવ્યો; કેપ્ટન ગિલ 50 રન બનાવીને આઉટ, પડિકલ સાથે 120 રનની ભાગીદારી કરી
    Next Article
    ઠક્કરનગરમાં TVSના શો-રૂમમાં સેલ્સ મેનેજરે 49 લાખની ઉચાપત કરી:ગ્રાહકોના રૂપિયા પર્સનલ એકાઉન્ટમાં નખાવ્યા, હિસાબ કરતા ભાંડો ફૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment