Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઈક સ્લીપ થઈને વૃદ્ધ પર આઈસરનું ટાયર ફરી વળ્યું, CCTV:રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક સર્વિસ રોડ પર કંપનીમાંથી છૂટી ઘરે જતા વૃદ્ધનું ટ્રકની અડફેટે મોત, ચાલક ફરાર

    1 week ago

    રાજકોટ શહેરના ગોંડલ રોડ ચોકડી નજીક સર્વિસ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. જેમાં આઇસરની ઠોકરે બાઇક ચડી જતાં એંસી ફુટ રોડ પર રાધાનગર સોસાયટીમાં રહેતાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વૃદ્ધ કંપનીમાં કામ પૂર્ણ કરી બાદમાં કામેથી છુટીને ઘરે જતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બાઈક સ્લીપ થઈને આઈસરનું ટાયર વૃદ્ધના માથા પર ફરી વળ્યું રાજકોટ શહેરના 80 ફુટ રોડ લાલ પાર્ક નજીક રાધાનગર શેરી નંબર-4માં રહેતાં અશ્વીનકુમાર ગીરધરભાઈ અગ્રાવત (ઉ.વ.60) નામના વૃદ્ધા સાંજે 5 વાગ્યે પોતાનું મોટરસાઇકલ લઈને જતાં હતાં ત્યારે ગોંડલ રોડ ક્રિષ્ના મારબલ નજીક સર્વિસ રોડ પર ડાબી તરફથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને જતા હતા. આ સમયે અચાનક બાઈક સ્લીપ થતા તેઓ નીચે પટકાયા હતા અને બાજુમાંથી પસાર થતા આઇસરનું ટાયર વૃદ્ધની ઉપર ફરી વળતા ગંભીર ઈજા સાથે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઈ જતાં 108 બોલાવાવામાં આવી હતી તેના તબીબે તેમને તપાસી મૃત જાહેર કરી બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. અકસ્માત સર્જી આઇસરનો ચાલક ફરાર થઈ ગયો હતો આ બનાવની જાણ થતા આજીડેમ પોલીસ સ્ટેશનના ASI જે.કે.કુરીયાએ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ પછી પોલીસ દ્વારા મૃતક વૃધ્ધની ઓળખ મેળવી તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર અશ્વીનભાઈને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. પોતે કંપનીમાં નોકરી કરતાં હતાં. અકસ્માત સર્જી આઇસરનો ચાલક ભાગી ગયો હોવાથી હાલ આજીડેમ પોલીસે હિટ એન્ડ રનની આ ઘટનામાં ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'યુદ્ધ જો કોઈ રોકાવી શકે તો તે ભારત છે':નાગપુરમાં સંઘ વડા ભાગવતે કહ્યું- ભારત પાસે બંધુભાવ અને માનવતા છે, આ વાત દુનિયા જાણે છે એટલે ભારત પાસે આશા રાખે છે
    Next Article
    4 ચોપડી ભણેલો ચોર ATM પીન બદલી ખેલ કરતો:ઊંઘની ગોળીઓ આપી ટ્રેનમાં મુસાફરને બેભાન કરી દેતો, દેશભરમાં ચોરીઓ કરી; અમદાવાદ રેલવે પોલીસે દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment