Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવક પર ત્રણ શખસ છરીથી તૂટી પડ્યા, CCTV:એક મિત્ર ઉભી પૂંછડીયે ભાગ્યો ને એક બચાવતો રહ્યો, ગોમતીપુરમાં બગી સળગાવાની અદાવતમાં હુમલો

    1 day ago

    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર ગોમતીપુરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલ ઉઠાવતા બનાવો સતત વધી રહ્યા છે. 18 દિવસ પહેલા જ જાહેરમાં અસામાજિક તત્વોએ સલાટનગર વિસ્તારમાં ઘોડાની બગી સળગાવી દીધી હતી અને ઘરમાં આગ લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની અદાવતમાં યુવક પર ત્રણ લોકોએ જાહેરમાં ચાલુ વાહને છરીથી હુમલો કરવાની ઘટના બની છે. જે ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગોમતીપુર પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે છેલ્લા કેટલાય સમયથી ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે છતાં પણ પોલીસ કડક હાથે પગલાં લેવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ફરિયાદીએ થોડા દિવસ પહેલા બગી સળગાવી હતી ગોમતીપુરમાં અનુપમ બ્રિજ પાસે સલાટનગરમાં ઈસ્માઈલભાઈ શેખ તેમના પરિવાર સાથે રહે છે. 15 દિવસ પહેલા સલાટનગરમાં રહેતા નકીબ સંધીની ગાડી પોલીસે ચેક કરી હતી જે ગાડી તેણે ચેક કરાવ્યું હોવાનો વહેમ રાખી અને ઝઘડો કર્યો હતો. જેથી તેઓની ઘોડાગાડીની બગી ઈસ્માઈલ ભાઈ સહિતના શખસોએ સળગાવી દીધી હતી. મોપેડનો પીછો કરી હુમલો કર્યો ગોમતીપુર આર.કે એસ્ટેટમાં રહેતો મોહમ્મદ અનાસ અને મોહમ્મદ આમીન સહિતના મિત્રો સાથે ઈસ્માઈલ શેખ બર્ગમેન ટુ-વ્હીલર પર ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે રાત્રે અઢી વાગ્યાની આસપાસ ગોમતીપુર આરકે એસ્ટેટ પાસેથી પસાર થતા હતા ત્યારે નકિબ અને ફૈઝાન ઉર્ફે લંબુ અને આમિર પોતાનું એક્સેસ ટુવ્હીલર લઈ અને ત્યાંથી નીકળ્યા હતા. જેથી ઈસ્માઈલએ રસ્તો બદલી અને ગોમતીપુર ગામના અંબા માતાના મંદિર પાસેથી પસાર થતા હતા. ત્યારે પીછો કરીને નકિબ ટુ વ્હીલર લઈને આવ્યો હતો અને ચાલુ વાહને નકીબે હાથમાં રહેલી છરીનો ઘા ઈસ્માઈલને મારી દીધો હતો. યુવક નીચે પટકાતા જ ત્રણ શખસો છરીથી તૂટી પડ્યા જેથી ઈસ્માઈલ ટુ-વ્હીલર પરથી નીચે પડી ગયો હતો. એ સાથે જ ત્રણેય આરોપી છરીથી ઈસ્માઈલ પર તૂટી પડ્યા હતા. આ હુમલા સમયે નકીબે કહ્યું હતું કે, તું બગી સળગાવ્યા બાદ હવે હાથમાં આવ્યો છે. ત્રણેય આરોપીઓ છરીથી હુમલો કરતા રહ્યા તો ઈસ્માઈલ આજીજી કરતો રહ્યો અને બચવા માટે ભાગી રહ્યો હતો. જો કે આસપાસના લોકો ત્યાં આવી જતા ત્રણેય આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ જીવલેણ હુમલામાં ઈસ્માઈલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ મિત્રો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. કાયદો-વ્યવસ્થા જાળવવા મહિલા કોર્પોરેટરની માંગ ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાને લઈ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, સલાટનગર વિસ્તારમાં કથિત ગેરકાનૂની પ્રવૃત્તિઓના કારણે સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ છે. ખાસ કરી મહિલાઓ, બાળકો અને વડીલોને રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, આ વિસ્તારની શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા તાત્કાલિક અને કડક પગલાં લેવાની જરૂર છે. આ મામલે ગોમતીપુર પોલીસે ત્રણ યુવક વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધ્યો છે. ઘોડાગાડીની બગી સળગાવવાની ઘટનામાં અદાવત રાખી અને ફરીથી મારામારીની આ ઘટના બની છે, ત્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશનની નિષ્ક્રિયતા સંપૂર્ણપણે જોવા મળી રહી છે. અસામાજિક તત્વો બેફામ થયા તેમ છતાં પણ પોલીસ આવા તત્વોને કડક હાથે કાર્યવાહી કરી નથી.
    Click here to Read More
    Previous Article
    महाराष्ट्र में 'एनालॉग' पनीर पर 1 साल का बैन, होटल-रेस्टोरेंट को चेतावनी, परोसा तो लगेगा भारी जुर्माना
    Next Article
    ગુજરાતનું સૌથી નાનું બાળક ચાંદીપુરા સામે ઝઝૂમી સ્વસ્થ:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 3 માસની બાળકી દાખલ થઈ ત્યારે કોમામાં, 17 દિવસમાં અઠવાડિયું વેન્ટિલેટર પર રહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment