Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના તખતગઢ રામદેવપીર મંદિરમાં તસ્કરોનો તરખાટ:ચોર દાનપેટી અને ચાંદીનું છત્ર લઈ ફરાર,CCTVમાં ઘટના કેદ;ચાર મહિનામાં બીજી વાર ચોરી

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તખતગઢ ગામમાં આવેલ રામદેવ પીરના મંદિરમાં ચોરીની આઘાતજનક ઘટના સામે આવી છે. 7 મેની મધ્યરાત્રિએ બે અજાણ્યા તસ્કરો મોઢે રૂમાલ બાંધી મંદિરમાં પ્રવેશ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પવિત્ર મંદિરમાં થયેલી આ ચોરીથી સમગ્ર પંથકમાં ભક્તોની ધાર્મિક આસ્થાને ઊંડી ઠેસ પહોંચી છે. CCTVમાં કેદ થયા તસ્કરો: ચાંદીનું છત્ર ગાયબ ચોરીની આ સમગ્ર હિલચાલ મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે રાત્રિના અંદાજે 1:30 વાગ્યાની આસપાસ બે તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ભગવાનની મૂર્તિ પરનું ચાંદીનું છત્ર અને દાનપેટી ઉપાડીને ગણતરીની મિનિટોમાં પલાયન થઈ ગયા હતા. ચોરીના દ્રશ્યો જોઈને શ્રદ્ધાળુઓમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવારની ચોરીથી શ્રદ્ધાળુઓમાં ભારે રોષ અને ચિંતા તખતગઢમાં જૂની પંચાયતથી વરવાડા-હડમતીયા રોડ પર સ્થિત આ રામદેવ પીરનું મંદિર ગ્રામજનો માટે અપાર શ્રદ્ધાનું કેન્દ્ર છે. જોકે, ચિંતાની વાત એ છે કે આ મંદિરમાં અગાઉ પણ 2 થી 3 વખત ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. પવિત્ર સ્થાનો પર વારંવાર થતા આવા હુમલાઓને કારણે સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પ્રાંતિજ પોલીસ દ્વારા CCTVના આધારે તપાસ શરૂ ઘટના બાદ મંદિરના ટ્રસ્ટી દ્વારા તાત્કાલિક પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજ કબજે કરીને તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોરીના પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. અગાઉની ચોરીઓ અને આર્થિક નુકસાનની વિગતો મંદિરના ટ્રસ્ટી છગનભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મંદિરમાં આ ત્રીજી વખત ચોરી થઈ છે. અગાઉ દોઢ વર્ષ પહેલા દાનપેટીમાંથી 2500 રૂપિયાની ચોરી થઈ હતી. ત્યારબાદ ચાર મહિના પહેલા અંદાજે 600 ગ્રામ ચાંદીનું છત્ર, જેની કિંમત 1 થી 1.5 લાખ રૂપિયા હતી, તેની ચોરી થઈ હતી. જ્યારે તાજેતરમાં એક દિવસ પહેલા રાત્રે દાનપેટીના 4000 રૂપિયા અને 3000 ની કિંમતના બે નાના ચાંદીના છત્રની ચોરી થઈ છે. સતત થતી આ ચોરીઓથી શ્રદ્ધાળુઓમાં ભારે ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના આદ્રી દરિયાકિનારે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો:ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી, ઓળખ થઈ
    Next Article
    KPIT Technologies co-founder Ravi Pandit dies at 76 in Pune

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment