Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા:સાબરમતી ભૂદરના આરે ગંગાપૂજન,108 કળશમાં જળ લાવી ભગવાનનો જળાભિષેક કરાશે; સાંજે ભગવાન મોસાળમાં જશે

    1 day ago

    અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે આજથી ઉજવણીનો પ્રારંભ થશે. જેઠ સુદ પૂર્ણિમાએ યોજાતી જળયાત્રા આજે યોજાશે. સવારના સમયે જગન્નાથજી મંદિરથી વાજતે ગાજતે જળયાત્રા સાબરમતી નદીના કાંઠે પહોંચશે. અહીં પૂજાવિધિ બાદ 108 કળશમાં જળ લઈ યાત્રા પરત મંદિર ફરશે. જ્યાં ભગવાનનો જળાભિષેક કરાશે. આજે સાંજે જ ભગવાન મોસાળમાં રોકાવા માટે જશે. જગન્નાથજી રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા યોજાશે અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે. તે પૂર્વે આજે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના સમયે ધજા-પતાકા, હાથી અખાડા અને ઢોલ નગારા સાથે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરથી ભવ્ય જળયાત્રા નીકળીને સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચશે. અહીં શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈને 108 પવિત્ર કળશમાં જળ ભરશે. શોડષોપચાર પૂજા વિધિ સાથે ભગવાનનો જળાભિષેક કરાશે ભૂદરના આરેથી 108 કળશમાં લાવેલા પવિત્ર જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન ગજવેશ (ગણપતિ સ્વરૂપ) ધારણ કરશે. ભગવાન આજે સાંજે મામાના ઘરે જશે, 15 દિવસ રોકાશે સાંજે 4 વાગ્યે ભગવાન વાજતે-ગાજતે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં (પોતાના મોસાળમાં) પહોંચશે, જ્યાં મામાના ઘરે તેમનું ભવ્ય સ્વાગત કરાશે. ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં જ રોકાશે, જ્યાં ભક્તો તેમના દર્શન કરી શકશે. રાજકીય આગેવાનોની હાજરી અને કડક સુરક્ષા બંદોબસ્ત આ ધાર્મિક મહોત્સવમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મેયર હિતેશ બારોટ સહિતના મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. જળયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 500થી વધુ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. સમગ્ર રૂટ પર CCTV કેમેરાની ચકાસણી કરી લેવાઈ છે અને ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ (આકાશી નજર) રાખવામાં આવશે. રથયાત્રાના રૂટ પર રાતથી જ ઇ-વ્હીકલ દ્વારા ખાસ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાયું છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં આગામી જળયાત્રા અને રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મંદિર પરિસરમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના પૂર્વાર્ધ સમાન આગામી જળયાત્રા અને ત્યારપછી યોજાનારી 149મી રથયાત્રાને ભવ્ય અને સુરક્ષિત બનાવવા માટે મંદિર પ્રશાસન અને તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    ભગવાનના દર્શન અને બીજી બાજુ ચોરી, CCTV:અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન દરમિયાન મહિલાના ગળામાંથી મહિલા ચોરોએ સોનાનું મંગળસૂત્ર તફડાવ્યું
    Next Article
    Qatari National Killed From Shrapnel Injuries Due To "Military Operation"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment