Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ તિથલ BAPS મંદિરે રક્ષાબંધન પર્વની ઉજવણી:10 હજારથી વધુ ભક્તોએ દર્શન, રક્ષા સૂત્રનો લાભ લીધો

    20 hours ago

    વલસાડના તિથલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં રક્ષાબંધન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 10,000થી વધુ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા અને સંતોના હસ્તે રક્ષા સૂત્ર બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા. તિથલ મંદિરના વિવેકસવામીએ જણાવ્યું હતું કે, આ મંદિરમાં વર્ષોથી રક્ષાબંધનનો તહેવાર ભવ્યતાથી ઉજવાય છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વિવેકસવામીએ વધુમાં ઉમેર્યું હતું કે, રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાનું પર્વ નથી, પરંતુ સનાતન અને વૈદિક સંસ્કૃતિ અનુસાર ભગવાન અને સંતો પણ ભક્તોની આધ્યાત્મિક રક્ષા કરે છે. હાલ મહંત સ્વામી મહારાજ અમદાવાદ ખાતે છે, જ્યાં પણ હજારો ભક્તોએ દર્શન અને આશીર્વાદનો લાભ લીધો છે. આ પર્વ નિમિત્તે મંદિરમાંથી સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. વિવેકસવામીએ સંદેશ આપતાં જણાવ્યું કે, પરસ્પરમાં એકબીજાના સ્વભાવને અનુકૂળ થઈને હળીમળીને રહેવાથી અને સદાચાર દાખવવાથી કૌટુંબિક પ્રશ્નો ઉકેલાય છે અને ભગવાન-સંતોની રક્ષા પ્રાપ્ત થાય છે.
    Click here to Read More
    Previous Article
    અનાવાડા ગૌશાળામાં બળેવ નિમિત્તે યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો:બ્રાહ્મણ, ક્ષત્રિય સહિત અનેક જ્ઞાતિના યુવકોએ જનોઈ ધારણ કરી
    Next Article
    કોબા કેનાલ 12-લેન બ્રિજ, 90 ટનનું પોન્ટૂન બ્રિજ પાણીમાં લોન્ચ:400 ટન ક્ષમતાની બે જાયન્ટ ક્રેનથી નર્મદા મુખ્ય નહેરમાં વિશાળ સ્ટ્રક્ચરનું સ્થાપન; હવે બોટલનેકમાંથી મળશે મુક્તિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment