Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેમકા ગામે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રવેશદ્વારનું લોકાર્પણ:મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

    14 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના મેમકા ગામે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નવનિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂજ્ય સંતો, ગામના આગેવાનો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વઢવાણના ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગામના સર્વાંગી વિકાસમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આવા લોકહિતના કાર્યોને પ્રેરણાદાયી ગણાવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આ નવું પ્રવેશદ્વાર માત્ર ગામનો પ્રવેશબિંદુ જ નહીં, પરંતુ ગામની આસ્થા, સંસ્કૃતિ, એકતા અને ગૌરવનું પ્રતીક બની રહેશે. આ નિર્માણ ગામના વિકાસમાં નવી ઓળખ ઊભી કરશે અને આવનારી પેઢીને સંસ્કાર તથા સેવાભાવની પ્રેરણા આપશે.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદની સ્થિતિ સમયે શાળાઓ માટે DEOની ગાઈડલાઈન:જરૂર પડે તો રજા અંગે જાતે નિર્ણય લેવા શાળાઓને સૂચના, નવા રોડની કામગીરીને લઈ વાલીઓને સાવચેત કરાશે
    Next Article
    રામમંદિરમાં લૂંટની જવાબદારી PM મોદીએ લેવી જોઈએ:રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી વાસનિકે કહ્યું - રાજ્યમાં ખેડૂતોને પાકના ભાવ ન મળતા આત્મહત્યા કરવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment