Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ BAPS મંદિરે રામ નવમી, સ્વામિનારાયણ જયંતિની ઉજવણી:મહાઆરતી અને આતિશબાજી સાથે ભક્તિમય માહોલમાં કાર્યક્રમ યોજાયો

    10 hours ago

    ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે રામ નવમી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ જયંતિ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં સાંજના સમયે મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે મંદિરને આકર્ષક લાઈટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. રાત્રિના સમયે આતિશબાજી કરવામાં આવી હતી. હરિભક્તો દ્વારા “જય શ્રી રામ” અને “સ્વામિનારાયણ ભગવાનની જય” ના નાદ ગુંજી ઉઠ્યા હતા. મંદિરના સંતોએ રામ નવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિના મહત્ત્વ વિશે પ્રવચન આપ્યું હતું અને ધર્મ, સંસ્કાર તથા સેવાના માર્ગે આગળ વધવાનો ઉપદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મંદિરના કોઠારી સ્વામી અને અન્ય સાધુ-સંતો સાથે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી પરેશ પટેલ અને મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમાજના સુખ-સમૃદ્ધિ, શાંતિ અને કલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે મંદિર સંચાલકો અને સ્વયંસેવકોએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાનના તેલ પર કબજો કરવો મારી ઇચ્છા:ખાર્ગ દ્વીપ પણ લઈ શકું છું; જો સમજૂતી ન થઈ તો ઈરાન જ નહીં બચે
    Next Article
    જામનગર જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ:સીમકાર્ડ વગરનો ફોન મળ્યો, અજાણ્યા કેદી સામે FIR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment