Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુર BAPS મંદિરમાં 'ઉત્સવ ત્રિવેણી' યોજાયો:ચતુર્થ પાટોત્સવે મહાપૂજા, 'પિંજર' સંવાદ આકર્ષણ બન્યો

    9 hours ago

    ધરમપુર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રવિવારે ચતુર્થ પાટોત્સવ નિમિત્તે “ઉત્સવ ત્રિવેણી”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ચતુર્થ પાટોત્સવ, પૂનમ સભા અને રવિસભાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. આ પ્રસંગે મહાપૂજા સંપન્ન થઈ હતી અને ટેક્નોલોજીના અતિરેક સામે જાગૃતિ ફેલાવતો ‘પિંજર’ સંવાદ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઉત્સવના પ્રારંભે સંતો અને યજમાન હરિભક્તો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી મહાપૂજા તથા પાટોત્સવ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ઠાકોરજી સમક્ષ દિવ્ય અન્નકૂટ ધરાવીને આરતી ઉતારવામાં આવી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ આ ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો. આ ઉત્સવ સભાનું મુખ્ય આકર્ષણ યુવાનો દ્વારા રજૂ કરવામાં આવેલો “પિંજર” નામનો નાટ્ય સંવાદ હતો. આ પ્રસ્તુતિમાં દર્શાવવામાં આવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં મોબાઇલ અને સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ કેવી રીતે દરેક બાળક અને યુવાનને એક અદ્રશ્ય પિંજરમાં કેદ કરી દે છે. આ સંવાદ દ્વારા ટેક્નોલોજીનો ત્યાગ કરવાને બદલે તેનો સમય મર્યાદામાં, સંયમિત અને સકારાત્મક ઉપયોગ કરવાથી જ સાચું સ્વાતંત્ર્ય મેળવી શકાય છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. સભામાં ઉપસ્થિત તીથલ મંદિરના કોઠારી પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી કાર્યરત PSVTC સંસ્થા દ્વારા આદિજાતિ વિસ્તારના યુવાન-યુવતીઓને મળતી વ્યાવસાયિક અને સંસ્કારયુક્ત તાલીમની સવિસ્તર માહિતી આપી હતી. સ્વામીજીએ ધરમપુરના પરમભક્ત રાજમાતા કુશળકુંવરબાના સમર્પણને યાદ કરતા જણાવ્યું હતું કે, "જેવા ભગવાન સ્વામિનારાયણ કુશળકુંવરબાને મળ્યા હતા, એવા જ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આજે આપણને સૌને મળ્યા છે અને તેનાથી જ સત્સંગના મૂલ્યો થકી જીવન ઉન્નત બની રહ્યું છે." આ દિવ્ય પ્રસંગે ધરમપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અબાલ-વૃદ્ધ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ સંતોના આશીર્વચન તેમજ દર્શનનો લાભ લીધો હતો. ધરમપુર મંદિરની દિવ્યતા વચ્ચે યોજાયેલા આ ત્રિવેણી ઉત્સવે ભક્તોમાં ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક જાગૃતિનો નવો સંચાર કર્યો.
    Click here to Read More
    Previous Article
    લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સેવાકીય ઉજવણી:અમરેલીના કલોરાણા ગામે બાળકોને ભોજન, પુસ્તક વિતરણ કરાયું
    Next Article
    જામનગરનો 1.33 કરોડની છેતરપિંડીનો આરોપી નવસારીથી ઝડપાયો:કાપડના વેપારી અને બેન્ક ક્રેડિટ કાર્ડ એજન્ટ તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment