Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીને લઈને પોલીસનું જાહેરનામું:આવતીકાલે 3 ઓગસ્ટે ભવન્સ સ્કૂલ આસપાસ નો-પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે, જાણો કયા છે વૈકલ્પિક રસ્તાઓ

    9 hours ago

    વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની આવતીકાલે મતગણતરી થશે, જેને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા આવતીકાલે 3 ઓગસ્ટના રોજ સવારે 5 વાગ્યાથી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી માંજલપુર વિસ્તારમાં આવેલ ભવન્સ સ્કૂલ ખાતે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ટ્રાફિક અવરોધ ન સર્જાય તે માટે ભવન્સ સ્કૂલ અને આસપાસના વિસ્તારોમાં નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ તમામ પ્રકારના વાહનો, ભારદારી વાહનો અને GSRTC બસો માટે વૈકલ્પિક માર્ગોની પણ જાહેરાત કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 33(1)(બ) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, 3 ઓગસ્ટે સવારે 5 વાગ્યાથી ભવન્સ વિદ્યાલય ખાતે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી યોજાશે. પરિણામ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની શક્યતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે જાહેરનામામાં જણાવ્યું છે કે, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ તથા અન્ય ઇમરજન્સી સેવાઓ તેમજ મતગણતરી કામગીરી સાથે સંકળાયેલા અધિકૃત વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), ભારતીય ન્યાય સંહિતા (BNS), ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 135, મોટર વાહન અધિનિયમ-1988 સહિતની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા નાગરિકોને જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી ટ્રાફિક પોલીસના સૂચનોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આણંદ BAPS મંદિરે હિંડોળા ઉત્સવ શરૂ:એક માસ સુધી ભવ્ય કલાત્મક હિંડોળાના દર્શન ચાલુ રહેશે
    Next Article
    ભરૂચના દયાદરા ગામમાં રહેણાંક મકાનમાં અજગર ઘૂસ્યો:જીવદયા પ્રેમીઓએ અજગરનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે છોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment