Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધર્મ પૂછ્યો, કલમા પઢવાનું કહ્યું, ના પાડતા છરી મારી:મુંબઈમાં બે સિક્યોરિટી ગાર્ડ્સ પર હુમલો, ATSએ કહ્યું- આરોપીના ઘરેથી ધાર્મિક દસ્તાવેજો મળ્યા

    10 hours ago

    મુંબઈના મીરા રોડ પર એક યુવકે બે સિક્યોરિટી ગાર્ડ્સને તેમનું નામ અને ધર્મ પૂછ્યા બાદ છરી મારીને હુમલો કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી જૈબ ઝુબેર અંસારી (31)એ સોમવારે સવારે લગભગ 4 વાગ્યે એક નિર્માણાધીન ઇમારત પાસે તહેનાત ગાર્ડ્સને કલમા પઢવાનું કહ્યું. તેમણે ના પાડતા આરોપીએ બંને પર છરીથી હુમલો કર્યો. ઘાયલ ગાર્ડ્સ રાજકુમાર મિશ્રા અને સુબ્રતો સેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ હુમલો ગયા વર્ષે પહેલગામમાં થયેલા આતંકી હુમલા જેવો છે. ત્યાં પણ આતંકીઓએ પર્યટકોનો ધર્મ પૂછ્યો હતો. કલમા ન પઢનારાઓને ગોળીઓ મારી હતી. આ મામલાની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર ATS આ ઘટનાને આતંકી હુમલો માની રહી છે. ATSએ જણાવ્યું કે આરોપી સાયન્સ ગ્રેજ્યુએટ છે અને ઘણા વર્ષો સુધી અમેરિકામાં રહ્યો હતો. અમેરિકામાં નોકરી ન મળવાને કારણે તે 2020માં ભારત પાછો ફર્યો. મીરા રોડમાં એકલા રહીને તે ઓનલાઈન કેમેસ્ટ્રીનું કોચિંગ આપતો હતો. આરોપીએ નોટ્સમાં ISISમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી એવું માનવામાં આવે છે કે આરોપી તેના એકલપણા દરમિયાન ઇન્ટરનેટ દ્વારા કટ્ટરપંથી બન્યો હતો. એજન્સીઓ હવે તેના મોબાઇલ ફોન અને લેપટોપના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સની તપાસ કરી રહી છે જેથી નક્કી કરી શકાય કે તેનો સરહદ પારના કોઈ હેન્ડલર સાથે સીધો સંપર્ક હતો કે નહીં. તપાસ એજન્સીઓએ આરોપીના ઘરની તપાસ કરી. આ તપાસ દરમિયાન, ઘણી હાથથી લખેલી કેટલીક નોટ્સ મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નોંધોમાં આરોપીએ ISISમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે સુરક્ષા ગાર્ડ્સ પરના હુમલાને આતંકવાદી સંગઠનમાં જોડાવા તરફનું તેનું પ્રથમ પગલું ગણાવ્યું હતું. આરોપીના ઘરેથી કેટલાક પુસ્તકો અને ગુનાહિત સામગ્રી પણ મળી આવી હતી. CM બોલ્યા- આરોપી હિન્દુઓ પર હુમલો કરવા માંગતો હતો ઘટના અંગે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે આરોપી જેહાદના નામે હિન્દુઓને નિશાન બનાવવા માંગતો હતો. CMએ જણાવ્યું કે આ મામલો આત્મ-ઉગ્રવાદીકરણ (સેલ્ફ-રેડિકલાઇઝેશન)નો લાગે છે. આરોપીના ઘરેથી કેટલીક પુસ્તકો અને વાંધાજનક સામાન મળી આવ્યો છે. તે અમેરિકામાં રહેતો હતો અને હાલમાં જ ભારત પાછો ફર્યો હતો. CM મુજબ પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે તે કટ્ટરપંથી બની ગયો હતો અને જેહાદના નામે હિન્દુઓ પર હુમલો કરવા માંગતો હતો. આ મામલાની તપાસ હાલમાં મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને NIA કરી રહી છે. ATSએ સુરક્ષા ગાર્ડ્સ પર થયેલા હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. સુરક્ષા એજન્સીઓ તેને સંભવિત ‘લોન વુલ્ફ’ આતંકી હુમલો માની રહી છે. નજરેજોનાર મુજબ, આરોપીએ પહેલા ગાર્ડ્સને રસ્તો પૂછ્યો અને પછી પાછો આવીને તેમનો ધર્મ પૂછ્યો.
    Click here to Read More
    Previous Article
    Why Indian airlines may stop flying: Air India, IndiGo send SOS to government
    Next Article
    સો.મીડિયા સ્ટાર અંકિતા પરમાર અને મધુ શ્રીવાસ્તવની દીકરીની જીત:વડોદરામાં સ્કૂલવાન ચાલક જીત્યો, વડોદરા મનપામાં 14 વોર્ડના પરિણામ જાહેર, ભાજપ 49 કોંગ્રેસની 6 સીટ પર જીત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment