Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અઝરબૈજાનનું વિમાન મુશ્કેલીમાં હોવાનો મેસેજ મળતા દોડધામ:સુરત ATCને સેટેલાઈટ મારફત સૂચના મળી, એરપોર્ટ પર ઈમરજન્સી પ્લાન લાગુ કરાયો

    1 day ago

    દક્ષિણ ગુજરાત અને દમણના દરિયાઈ વિસ્તારમાં આજે એક મોટી વિમાની કટોકટી સર્જાઈ હોવાની આશંકાને પગલે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે દોડધામ મચી ગઈ હતી. દમણ નજીક એક વિમાનમાંથી ઈમરજન્સી એલર્ટ (ડિસ્ટ્રેસ સિગ્નલ) મળતાની સાથે જ સુરત એરપોર્ટ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું હતું. સંભવિત હોનારત કે ઈમરજન્સી લેન્ડિંગની સ્થિતિને પહોંચી વળવા માટે એરપોર્ટની તમામ સુરક્ષા અને રાહત એજન્સીઓને હાઈએલર્ટ પર મૂકી દેવામાં આવી હતી. અઝરબૈજાનના પ્લેનમાંથી આવ્યું ડિસ્ટ્રેસ સિગ્નલ મળતી માહિતી મુજબ, આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને એક ઈમરજન્સી મેસેજ મળ્યો હતો. અઝરબૈજાન દેશમાં રજિસ્ટર્ડ થયેલા એક વિમાનના ઈમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર (ELT) દ્વારા આ સિગ્નલ છોડવામાં આવ્યું હતું. આ એલર્ટ ગ્લોબલ સેટેલાઇટ સિસ્ટમ 'COSPAS-SARSAT' મારફતે રિસીવ થયું હતું, જેનું લોકેશન દમણ નજીકના દરિયાઈ વિસ્તારનું હોવાનું ટ્રેક થયું હતું. વિમાન મુશ્કેલીમાં હોવાનો સંકેત મળતા જ તંત્ર તાબડતોડ હરકતમાં આવ્યું હતું. સુરત એરપોર્ટ પર એક્ટિવ કરાયો ઇમરજન્સી પ્લાન, ફાયર-મેડિકલ સ્ટાફ એલર્ટ વિમાનમાંથી ખતરાની ઘંટી સમાન 'ડિસ્ટ્રેસ પોઝિશન અપડેટ એલર્ટ' મળતાની સાથે જ સુરત એરપોર્ટ પર નિર્ધારિત એરપોર્ટ ઇમરજન્સી પ્લાન (AEP) અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાગુ કરી દેવાયા હતા. કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે CISF (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ), એરપોર્ટ ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ, મેડિકલ ઈમરજન્સી ટીમ અને એર ટ્રાફિક કંટ્રોલ સહિતના તમામ સ્ટેકહોલ્ડર્સને તાત્કાલિક સ્પોટ પર તૈનાત કરી દેવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરોને પણ સજ્જ રાખવામાં આવ્યા હતા. દરિયાઈ વિસ્તાર પર કડક નજર, એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન નોર્મલ એરપોર્ટ સત્તાધીશોના જણાવ્યા અનુસાર, દમણ નજીકના દરિયાઈ વિસ્તારમાંથી જે Emergency Locator Transmitter (ELT) એલર્ટ મળ્યું હતું, તે અંગે કોસ્ટ ગાર્ડ અને અન્ય સંબંધિત સંરક્ષણ એજન્સીઓ સાથે સતત સંકલન સાધીને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે આ હાઈએલર્ટ વચ્ચે પણ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટોનું સંચાલન સામાન્ય દિવસોની જેમ જ થઈ રહ્યું છે. મુસાફરોને કોઈ તકલીફ પડી નથી અને હાલ સ્થિતિ સંપૂર્ણપણે કાબૂ હેઠળ છે. સુરત એટીએસની એલર્ટ મળ્યા બાદ તમામ એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી હતી. જોકે ઘણો સમય થઈ જવા છતાં પણ કઈ સામે ન આવતા અને દેશની તમામ એરપોર્ટ સાથે સંપર્કમાં રહેતા આ વિમાનનું દેશમાં ક્યાંય પણ લેન્ડિંગ થયું નથી. જેથી આ વિમાન પરત ફર્યું હોઈ શકે અથવા ભારતની નજીકમાં આવેલા કોઈપણ દેશમાં લેન્ડ થયું હોઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોનાની સાવરણીથી અડાલજ રથયાત્રાની 'પહિંદ વિધિ' કરી:અડાલજ અને ઓડિયા સમાજના ૨૫ હજારથી વધુ ભક્તો પ્રભુની નગરચર્યામાં જોડાયા
    Next Article
    અમદાવાદ રથયાત્રામાં 3 કિ.મી.ને ત્રણ કલાકમાં બે વાર મારામારી:પ્રેમદરવાજાએ મહિલાએ વાળ ખેંચી યુવકને માર્યો, ઘીકાંટા પાસે રથ ખેંચવા બાબતે યુવક પર ખલાસીઓનું ટોળું તૂટી પડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment