Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:વાશી APMCના પુનઃનિર્માણને લઈ વેપારીઓની સરકાર પાસે આશા

    3 days ago

    નવી મુંબઈના વાશી સ્થિત કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) સંકુલની પાંચ મુખ્ય માર્કેટોના પુનઃનિર્માણનો પ્રશ્ન વર્ષોથી લટકતો રહ્યો છે. બજાર સમિતિના બોર્ડના કેટલાક વ્યવસ્થાપક સભ્યોની નીતિઓ અને વેપારીઓની માંગણીઓ પ્રત્યેની ઉદાસીનતાને કારણે અંદાજે 10,000 લાઈસન્સધારક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું વેપારી સંગઠનોનું કહેવું છે. વેપારીઓના આક્ષેપ મુજબ માર્કેટ સંકુલની ઇમારતો વર્ષોથી જર્જરિત હાલતમાં છે અને કીમતી જમીન પર બિલ્ડર લોબીની નજર છે. વાશી મહાપાલિકા દ્વારા અનેક વખત સી-1 શ્રેણીની જોખમી ઇમારતો અંગે નોટિસો પાઠવવામાં આવી છે. અનેક પ્રસંગોએ વિવિધ માર્કેટોમાં પ્લાસ્ટર તૂટી પડવાની ઘટનાઓ પણ બની છે. તેમ છતાં વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના સ્થળ ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તાજેતરમાં રાજ્ય સરકારે આ બજારને રાષ્ટ્રીય બજાર તરીકે માન્યતા આપતાં તેની જવાબદારી બજાર સમિતિ મંત્રી જયકુમાર રાવળને સોંપી છે. કેન્દ્ર, રાજ્ય અને મહાપાલિકામાં મહાયુતિ સરકાર હોવાથી વેપારીઓને આશા છે કે વિશ્વસ્તરીય સુવિધાઓ ધરાવતું આધુનિક બજાર સંકુલ વિકસાવવામાં આવશે. વેપારી આગેવાનોની શું છે માગ મર્ચન્ટ ચેમ્બર અને મૂડીબજારના ચેરમેન કીર્તિ રાણાએ જણાવ્યું કે, વાશી મહાપાલિકા તરફથી સી-1 કેટેગરીની અનેક નોટિસો આપવામાં આવી છે. કાયદાકીય જોગવાઈઓનો આધાર લઈ વેપારીઓને સ્થળ ખાલી કરવા દબાણ કરવામાં આવે છે. વેપારીઓ પાસેથી જાનમાલના નુકસાનની જવાબદારી પોતાની હોવાનું લેખિતમાં લેવામાં આવ્યું છે. વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના બજાર ખાલી કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. જોકે રાષ્ટ્રીય બજાર સમિતિની રચના બાદ આ પ્રક્રિયા પર હાલ રોક લાગી છે.તેમણે વધુમાં જણાવ્યું કે, કરાર મુજબ ઇમારતોની જાળવણીની જવાબદારી એપીએમસીની છે. વર્ષો સુધી થયેલી કથિત બેદરકારી અને ભ્રષ્ટાચારનો ભોગ વેપારીઓ બન્યા છે. વેપારી સંગઠનોમાં આંતરિક મતભેદ ઊભા થતા તેમની એકતા પણ નબળી પડી હતી. હવે નવા નિમાયેલા મંત્રી અને સરકાર પાસેથી વેપારીઓને માર્કેટના પુનઃવિકાસ અને આધુનિકીકરણ અંગે મોટી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    નાગરિકત્વની સાબિતી માટે હવેથી ફોટોવાળો પુરાવો રજૂ કરવો પડશે:રાજ્ય સરકારે માહિતી અધિકાર અરજીના શુલ્કમાં વધારો કર્યો
    Next Article
    હાઈ કોર્ટે કમિશનર પાસે એફિડેવિટ પર ખુલાસો માગ્યો:છેલ્લા 16 વર્ષથી રસ્તા પહોળા કરવામાં અતિક્રમણની અડચણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment