Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘નંદીઘોષ’માં બિરાજી જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ:‘દર્પદલન’માં બહેન સુભદ્રાજી, ‘તાલધ્વજ’માં ભાઈ બલભદ્રજી; શણગારેલા ટ્રકો AMC ઓફિસ પહોંચ્યા

    1 day ago

    જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત 'પહિંદ' વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. ‘નંદીઘોષ’માં બિરાજી ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. સાથે ‘દર્પદલન’માં બહેન સુભદ્રાજી અને ‘તાલધ્વજ’માં ભાઈ બલભદ્રજી પણ છે. ભગવાન ભક્તોના દ્વારે પહોંચી રહ્યા છે ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પુરીમાં જગન્નાથજીને 9 વાગ્યે રથમાં બિરાજમાન કરાશે:ભારે વરસાદ વચ્ચે શ્રદ્ધાળુઓ રથયાત્રામાં સામેલ થવા પહોંચ્યા; વારાણસીમાં ત્રણ દિવસની રથયાત્રા શરૂ
    Next Article
    24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 1.73 ઇંચ:ગીર સોમનાથમાં સવારથી વરસાદ; આજે અમદાવાદમાં જગન્નાથની રથયાત્રામાં જળાભિષેક થઈ શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment