Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલીતાણાની વિદ્યાર્થીનીએ ગુરુકુળ શિક્ષણ પર નવો કોન્સેપ્ટ રજૂ કર્યો:ઋષભ જન્મોત્સવમાં શત્રુંજય AI સેન્ટર પ્રોજેક્ટ માટે દ્વિતીય સ્થાન મળ્યું

    18 hours ago

    પાલીતાણાની અંકુર વિદ્યાલયની વિદ્યાર્થીની રિયા ત્રિવેદીએ ઋષભ જન્મોત્સવ દરમિયાન આયોજિત પ્રોજેક્ટ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. રિયાએ ગુરુકુળ શિક્ષણ પરંપરા અને શત્રુંજય AI સેન્ટર પર એક નવો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમ 10 અને 11 માર્ચના રોજ રાજવાડી ખાતે યોજાયો હતો. ઋષભ જન્મોત્સવ નિમિત્તે પાલીતાણા શત્રુંજય યુવક મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષભાઈ અને તેમની ટીમે પાલીતાણાની 92 જેટલી શાળાઓના બાળકોને આ પ્રદર્શન નિહાળવા આમંત્રિત કર્યા હતા. આ પ્રદર્શનમાં બાળકો માટે ચિત્ર અને પ્રોજેક્ટ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં રિયા ત્રિવેદીએ 'આધુનિક શિક્ષણ સાથે સંસ્કારોનું મહત્વ' વિષય પર પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તેણે આદપુર સિદ્ધવડ, મૂળિયાં અને ગિરિરાજના મોડેલ દ્વારા મહત્વપૂર્ણ સંદેશો પાઠવ્યો હતો. રિયાએ ભારપૂર્વક જણાવ્યું કે આધુનિક શિક્ષણ ત્યારે જ ટકી શકશે જ્યારે તે આપણા પ્રાચીન મૂલ્યો અને મૂળિયાં સાથે જોડાયેલું હશે. તેણે શત્રુંજય AI સેન્ટર જેવા વિષય પર પણ ધ્યાન દોર્યું હતું. નિર્ણાયક ટીમ દ્વારા રિયાના પ્રોજેક્ટને દ્વિતીય નંબર માટે પસંદ કરવામાં આવ્યો હતો. સંતોના હસ્તે રિયા ત્રિવેદીને ₹7000ની રકમ આપી સન્માનિત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    શામળાજીના વિકાસ માટે અરવલ્લી કોંગ્રેસે ભગવાનને પત્ર આપ્યો:શામળિયાના શિખરે ધજા ચડાવી, જિલ્લાના વિકાસની પ્રાર્થના કરી
    Next Article
    ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ઈ-મેલ મળતા ખળભળાટ, કોર્ટ પરિસર ખાલી કરાયું, બોમ્બ સ્કોડ- ડોગ સ્કોડ સાથે તપાસ હાથ ધરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment