Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​ગિરનારમાં સિંહના હુમલા બાદ વન વિભાગ સફાળું જાગ્યું:AI કેમેરા, થર્મલ ડ્રોન અને નવી ચેકપોસ્ટો સાથે અભેદ્ય કિલ્લો તૈયાર; અંધારામાં પણ પ્રાણીઓની ગતિવિધિ ટ્રેક કરી શકાશે

    8 hours ago

    ​તાજેતરમાં ગિરનાર સીડીના 50 પગથિયા નજીક સિંહ દ્વારા બાળક પર હુમલો કરવાની એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. આ ભયાનક ઘટનાના પગલે જુનાગઢ વન વિભાગ હવે સફાળું જાગ્યું છે અને વન્યજીવોના સંરક્ષણની સાથે માનવ જિંદગીની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રિમતા આપીને વન વિસ્તારમાં એક અભેદ્ય કિલ્લો તૈયાર કરવા માટે કટિબદ્ધ બન્યું છે. વન વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ કડક નીતિ અને અત્યાધુનિક ઓપરેશનલ સિસ્ટમને કારણે ભવિષ્યમાં વન્યજીવો અને માનવ વસવાટ વચ્ચે કોઈપણ પ્રકારની કરણગઢ કે હાનિ ન પહોંચે તે માટે માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. સાસણ ગીર અને ગિરનાર ક્ષેત્રના સિંહો માત્ર આપણું ગૌરવ જ નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે વન્ય સંપદાની અનમોલ ધરોહર છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વન વિભાગે હવે પરંપરાગત અને રોજિંદી ઢબની કામગીરી પડતી મૂકીને ડિજિટલ યુગની અત્યાધુનિક ટેકનોલોજીનો વ્યાપક સહારો લેવાનું શરૂ કર્યું છે. સંવેદનશીલ જગ્યાઓ પર નવી ચેકપોસ્ટ ઊભી કરાઈઃ CCF ​જુનાગઢ વન વિભાગના CCF રામ રતન નાલાયે જણાવ્યું કે, ​હાલમાં જ ગિરનાર ક્ષેત્રમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે, જેમાં સિંહના હુમલાને કારણે એક 11 વર્ષીય બાળકનું મૃત્યુ નીપજ્યું છે. આવી ગંભીર ઘટનાઓ ભવિષ્યમાં ફરી ક્યારેય ન બને તે માટે વન વિભાગ દ્વારા અત્યારથી જ ઘણા મહત્વના અને કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. ​વન્ય પ્રાણીઓની હિલચાલ પર નજર રાખવા અને સ્થાનિકોની સુરક્ષા માટે અલગ-અલગ સંવેદનશીલ જગ્યાઓ પર વન વિભાગની નવી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે. જો કોઈ નાગરિક કે મુસાફરને સિંહ, દીપડો અથવા અન્ય કોઈ વન્ય પ્રાણી દેખાય, તો તેઓ તાત્કાલિક આ ચેકપોસ્ટ પર જઈને ત્યાંના સ્ટાફને જાણ કરી શકશે. ચેકપોસ્ટ પરથી વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ધોરણે નજીકના ટ્રેકર્સ અને અન્ય કર્મચારીઓને એલર્ટ કરશે, જેથી સમયસર પગલાં લઈ શકાય. ‘થર્મલ ડ્રોન્સથી અંધારામાં પણ પ્રાણીઓને શોધી શકાશે’ ​રાત્રિના સમયે વન્યજીવોની ચોક્કસ હિલચાલ જાણવા માટે વન વિભાગ દ્વારા થર્મલ ડ્રોન્સનો ઉપયોગ કરવાની યોજના અમલમાં મૂકાશે. આ ખાસ ડ્રોન રાત્રિના અંધકારમાં પણ પ્રાણીઓને શોધી કાઢશે અને તેમની ગતિવિધિ ટ્રેક કરશે. ડ્રોન દ્વારા મળતા સંકેતો સીધા જ નજીકમાં ફરજ બજાવતા ટ્રેકર્સ અને ફોરેસ્ટ સ્ટાફને મોકલવામાં આવશે, જેનાથી વન્યજીવોને માનવ વસવાટ કે ઘટનાસ્થળથી સુરક્ષિત રીતે દૂર જંગલ તરફ તારવી શકાશે. ‘AI મોનિટરિંગ સિસ્ટમ સીધુ વન વિભાગના સ્ટાફને એલર્ટ મોકલશે’ ​વન્યજીવોના આધુનિક ટ્રેકિંગ માટે AI આધારિત મોનિટરિંગ સિસ્ટમ પર પણ કામ ચાલી રહ્યું છે. આ અંતર્ગત જુદા-જુદા વિસ્તારોમાં સ્માર્ટ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા વન્ય પ્રાણીઓની તસવીરો ઝડપી લેશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આપોઆપ વન વિભાગના સ્ટાફ તેમજ આજુબાજુના ગ્રામજનોને એલર્ટ/સિગ્નલ મોકલી દેશે. આ સિગ્નલ મળવાથી સ્થાનિક લોકો સમયસર સાવચેત થઈ શકશે અને પોતાની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરી શકશે. આ સાથે જ જંગલમાં ટ્રેકર્સની સંખ્યામાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. ‘શંકાસ્પદ પ્રાણીઓના રેસ્ક્યૂ માટે ખાસ પ્રોટોકોલ’ ​જ્યારે પણ આવી કોઈ માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટના બને છે, ત્યારે તેમાં એક કે તેથી વધુ પ્રાણીઓ અથવા આખું ગ્રૂપ સામેલ હોઈ શકે છે. આવા સમયે શંકાસ્પદ પ્રાણીઓને રેસ્ક્યૂ કર્યા બાદ વન વિભાગના ખાસ પ્રોટોકોલનું પાલન કરવું પડે છે. રેસ્ક્યૂ કરાયેલા પ્રાણીઓને ચોક્કસ સમય માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવે છે, તેમના લોહી અને અન્ય જરૂરી સેમ્પલ્સ લેવામાં આવે છે. આ સેમ્પલ્સના રિપોર્ટ અને તેમના વર્તનના આધારે જ ભવિષ્યમાં તેમને કેદમાં રાખવા કે જંગલમાં ફરી મુક્ત કરવા તે અંગેનો આખરી નિર્ણય લેવાય છે. ‘પ્રાણીઓ રોડ ક્રોસ કરે ત્યારે વાહનો ઊભા રાખવા અપીલ’ ​બિલખા રોડ અને તેની આસપાસના રસ્તાઓ પર અવારનવાર સિંહોની અવરજવર રહેતી હોય છે. વાહનોની ગતિ પર કાબૂ રાખવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા ત્યાં સ્પીડ બ્રેકર્સ પણ બનાવવામાં આવ્યા છે. અધિકારીએ લોકોને ખાસ અપીલ કરી છે કે, જ્યારે પણ વન્યજીવો રસ્તો ક્રોસ કરી રહ્યા હોય, ત્યારે વાહનચાલકોએ થોડીવાર થોભી જવું જોઈએ અને તેમને રસ્તો ઓળંગવા દેવો જોઈએ. વન્યજીવોને કોઈ પણ રીતે છંછેડવા ન જોઈએ, કારણ કે તેઓ સામાન્ય રીતે થોડી જ વારમાં આપોઆપ રસ્તો ખાલી કરીને ચાલ્યા જાય છે, ત્યારબાદ લોકો ફરીથી રસ્તાનો ઉપયોગ સુરક્ષિત રીતે કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ભારતનું પહેલું ખાનગી ઓર્બિટલ રોકેટ લોન્ચિંગ સફળ:લો અર્થ ઓર્બિટમાં પહોંચ્યું મેડ-ઇન-ઇન્ડિયા 'વિક્રમ-1'; ભારત વિશ્વનો ત્રીજો દેશ બન્યો, PM મોદીએ કૉલ કરીને શુભેચ્છા પાઠવી
    Next Article
    નકલી સોગંદનામું બનાવી વારસાઈનો ખેલ:દહેગામના કડજોદરા ગામમાં મૃતકના નામે નકલી સોગંદનામું બનાવી કરોડોની જમીન હડપવાનો કારસો, કલેક્ટર સીટના આદેશથી ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment