Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ:ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરના ACમાં ટેકનિકલ ખામીથી સર્જરી મોડી થતા દર્દીઓને હાલાકી

    2 days ago

    સુરત સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદના વંટોળમાં સંપડાઇ છે. નવી સિવિલમાં ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં સાત દિવસથી વધુ સમય એસીમાં ટેકનિકલ ખામી સર્જાતા વિવિધ પ્રકારની સર્જરી મોડી થતા દર્દીઓ અને તેના સગા-સંબંધીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરના એસીમાં ટેકનિક્લ ખામી સર્જાઈ મળતી માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પ્રતિદિન સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજિત ત્રણ હજારથી વધુ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ વિવિધ ક્લીફોની સારવાર માટે આવતા હોય છે. ત્યારે સિવિલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં એક અઠવાડિયાથી એસીમાં ટેકનિક્લ ખામી સર્જાઈ છે. જેના લીધે બે ટેબલમાં ઓપરેશન થતા નથી અને હાલમાં માત્ર એક ટેબલ પર અસ્માત અને તત્કાલ દર્દીઓની સર્જરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. એક ટેબલ પર 8થી 10 સર્જરી તો માંડ થઇ શકે છે નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં અગાઉ 3 ટેબલ પર દરરોજ નાનીમોટી થઈને 20થી વધુ તબીબ દ્વારા સર્જરી કરવામાં આવતી હતી. પણ હાલમાં એક ટેબલ પર 8થી 10 સર્જરી તો માંડ થઇ શકે છે. જયારે એક તરફ સુરત શહેરમાં ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો હોવાથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યાં છે. એવા સંજોગોમાં આ ખામીના કારણે ઓપરેશન ઓછા થતા અન્ય દર્દીઓના ઓપરેશન ડીલે થઈ રહ્યા છે. દર્દીઓ અને તેના સગા-સંબંધીઓને હાલાકી વેઠવાનો વારો સિવિલમાં એસી ઓફિસમાં બેસતા જવાબદાર અધિકારી આ અંગે ગંભીરતા દાખવતા નથી અને પોતાની રીતે કામગીરી કરતા હોવાના લીધે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. 'ઓપરેશન થિયેટરમાં એસી રીપેરિંગની કામગીરી ચાલુ' આ બાબતે સિવિલના અધિકારીએ જણાવ્યું હતું કે, ઓપરેશન થિયેટરમાં એસી રીપેરિંગની કામગીરી ચાલુ છે અને તે ઝડપથી રીપેરીંગ થઈ જશે. હાલમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે સર્જરીના ઓપરેશન થિયેટરમાં ઓર્થો. ઓપરેશન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બુધવારનું રાશિફળ:કર્ક રાશિના પૈતૃક સંપત્તિના વિવાદો ઉકેલાશે, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે
    Next Article
    Bengaluru Cafe's Brief Viral Fame Turns Out Gas After U-Turn On Bill

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment