Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેનેજમેન્ટની ABCD:સાવધાન, ગ્રાન્ડપાની ગાડી કેમ્પસ કોર્નર ઉપર છે

    1 day ago

    બી.એન. દસ્તુર રસ્તે ભટકાયો એક દોસ્ત. પૂછ્યું, ‘તારા ગ્રાન્ડપા આજકાલ કેમ દેખાતા નથી? તબિયત તો ઓકે છે ને?’ જવાબ: ‘એમ તો મજેની છે પન એવન એકલા રહેવાનું પસંદ કરેચ. ક્લબમાં જતા નથી. પત્તાં રમતા નથી. ડાઇનિંગ ટેબલ પર જમતા નથી. ટી.વી.ની સામે બેસીને જમી લેયચ.’ મેં વોર્નિંગ આપી. ‘તારા ગ્રાન્ડપાની કાર કેમ્પસ કોર્નર પર છે.’ મુંબઈમાં કેમ્પસ કોર્નરનું બસ સ્ટેન્ડ અમારા અંતિમ વિદાય-સ્થાન દોખ્માથી ખૂબ નજદીક છે. કમનસીબે મારી આગાહી સાચી પડી. ગ્રાન્ડપા છ મહિનામાં ફોટો ફ્રેમમાં ચાલી ગયા. તમારા કુટુંબમાં કોઈ સિનિયર વડીલ, ધીરે ધીરે દોસ્તોથી દૂર થતા જાય, વાતચીત ઓછી કરવા માંડે, મુસાફરી કરવા આનાકાની કરે, સામાજીક પ્રસંગોમાં હાજરી આપવાનું ટાળે તો સાવધાન. આ લક્ષણો ઘડપણનાં નથી. દિમાગની કેમિસ્ટ્રી એકધારી બદલાવાનાં છે. 70 વર્ષની ઉંમરે દિમાગમાં ઓક્સિટોસિન (oxytocin) હોર્મોનનું પ્રોડક્શન ઘટવા માંડે છે. આ હોર્મોન માનવીને સમાજ સાથે દોસ્તી કરાવે છે. એક અન્ય હોર્મોન છે ડોપામાઈન (dopamine). આ હોર્મોન એનર્જી અને મોટિવેશનનું નિયંત્રણ કરે છે. સંબંધોમાં ઓટ આવે ત્યારે દિમાગને મળતાં હકારાત્મક સિગ્નલો ઓછાં થવા માંડે અને ડોપામાઈનનું પ્રોડક્શન પણ ઘટવા માંડે, મૂડ મરવા માંડે, ઉન્માદ, એનર્જીમાં ઓટ આવે અને શરીર સાચવતી ઈમ્યુન સિસ્ટમ બગડવાની શરૂઆત થાય. ઈમ્યુન સિસ્ટમને સામાજીક સંબંધો સાથે ચોલી-દામનનો સંબંધ છે. ઈમ્યુનોલોજીમાં એક લાંબો શબ્દ છે ‘સાઈકોહોર્મોઈમ્યુનોલોજી પાથવે’ (Psychohormoimmunology pathway) સાદી ભાષામાં, શરીરને સાચવતી ઈમ્યુન સિસ્ટમ સાઈકોલોજી ઉપર, દિમાગને મળતાં સિગ્નલ ઉપર આધારિત છે. ડોપામાઈન ‘રિવૉર્ડ કેમિકલ’થી પણ ઓળખાય છે. એની ગેરહાજરીમાં, જિંદગી જીવવાની મજા મરી જાય છે. ઉત્સાહ અને ઊર્જાની બાદબાકી થવા માંડે છે. સાદી ભાષામાં, લાગણી અને ઈમ્યુન સિસ્ટમ વચ્ચેનો પુલ નબળો પડે છે. શરીરને એવાં સિગ્નલ મળે છે કે દુનિયાની એને જરૂર નથી. તમારાં સગાં-સંબંધીઓમાં કોઈ વડીલ દોસ્તીથી, સંબંધોથી, સમાજથી દૂર રહેવાનું પસંદ કરે તો એ ‘ઘડપણ’ની નિશાની ગણી નજરઅંદાજ કરવાની મનાઈ છે. દુનિયાભરમાં કરવામાં આવેલાં સંશોધનોએ પુરવાર કર્યું છે કે એકલવાયું વાતાવરણ પસંદ કરનાર વડીલની, આવતા 365 દિવસમાં ઉકલી જવાની શક્યતાઓ 35 ટકા વધારે છે. 75 વર્ષ અને વધારે ઉંમરના વડીલો, અઠવાડિયામાં ફક્ત ત્રણ વાર, વાતોનાં વડાં કરે તો પણ ઈમ્યુન સિસ્ટમ સાવ નબળી પડતી નથી. વડીલોને વાત વાતમાં સલાહ આપવાની ટેવ હોય છે. એમની પાસે સાચી કે ઊપજાવેલી સમસ્યાઓ લઈ પહોંચી જાવ. શું કરવું, શું ન કરવું, શું કરતા રહેવું એવા સવાલો પૂછો. એમના જમાનાની વાતો કરાવો. મોગલે આઝમ અને ધુરંધર ફિલ્મો વચ્ચેનો તફાવત પૂછો. બેગમ સાહેબા, પરવીન સુલતાનાની અફલાતૂન ભવાની સ્તુતિ, પંડિત જસરાજની ‘મેરો અલ્લાહ મહેરબાન’ અને બડે ગુલામ અલીની હરિ-ઓમ-તત્સતની રચનાઓની ચર્ચા કરો. દિમાગ તરવરતું હશે તો ડોહા સેન્ચુરી મારશે.
    Click here to Read More
    Previous Article
    મનદુરસ્તી:બાળકના ‘આંતરડામાંથી ઊભા થતા ચીડિયાપણાં’ વિશે જાણો છો?
    Next Article
    ઓક્સિજન:ઈશ્વર શરણ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment