Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જલંધરમાં ભજ્જીના ઘરની બહાર 'ગદ્દાર' લખ્યું:AAP યુથ વિંગનું LPU-હરભજનના ઘરે પ્રદર્શન; પંજાબના ગદ્દાર નારા લગાવ્યા

    2 days ago

    જલંધરમાં આમ આદમી પાર્ટી (AAP) ના યુથ વિંગના કાર્યકરોએ શનિવારે બપોરે પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા 7 રાજ્યસભા સાંસદો વિરુદ્ધ પ્રદર્શન કર્યું. જલંધરમાં કાર્યકરોએ પૂર્વ સાંસદ હરભજન સિંહના નિવાસસ્થાન બહાર સૂત્રોચ્ચાર કર્યા અને તેમના ઘર પર ‘ગદ્દાર’ લખી દીધું. આપ કાર્યકરોએ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી બહાર અશોક મિત્તલ વિરુદ્ધ પણ પ્રદર્શન કર્યું અને તેમનું પૂતળું બાળ્યું. આપ કાર્યકરોએ આ દરમિયાન પંજાબ કે ગદ્દાર જેવા નારા લગાવ્યા. પ્રદર્શનકારી કાર્યકરોનો આરોપ છે કે હરભજન સિંહ, રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠક સહિત કુલ 7 રાજ્યસભા સાંસદોએ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ગદ્દારી કરી છે. મિત્તલની યુનિવર્સિટી બહાર લાગેલા પોસ્ટરો પર પણ કાળી શાહી લગાવી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી અને હરભજન સિંહના ઘરની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાર્ટીના ગદ્દાર, પંજાબના ગદ્દાર જેવા નારા લગાવ્યા. અશોક મિત્તલની યુનિવર્સિટી બહાર લાગેલા પોસ્ટરો પર પણ કાળો સ્પ્રે કરવામાં આવ્યો હતો. રાજ્યસભા સાંસદ અને LPUના માલિક અશોક મિત્તલનું પૂતળું પણ સળગાવવામાં આવ્યું હતું. માથા પર કાળી પટ્ટીઓ બાંધીને પહોંચ્યા AAP કાર્યકરો વિરોધ પ્રદર્શન દરમિયાન AAPના કાર્યકરોએ પોતાના માથા પર કાળી પટ્ટીઓ બાંધી હતી. તેમણે હરભજન સિંહ વિરુદ્ધ નારા લગાવ્યા અને પોતાનો વિરોધ નોંધાવ્યો. પોલીસની હાજરીમાં જ કાર્યકરોએ હરભજન સિંહના ઘરની બહાર 'ગદ્દાર' શબ્દ લખ્યા. આ દરમિયાન, જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે કેટલાક કાર્યકરોની પોલીસકર્મીઓ સાથે બોલાચાલી પણ થઈ હતી. પાર્ટી તોડવાનો આરોપ લગાવી ચૂક્યા છે માન નોંધનીય છે કે ગઈકાલે માને કહ્યું હતું કે ભાજપવાળા અમારી સરકારના કામોથી ડરેલા છે. તેમણે ચોક્કસ સર્વે કરાવ્યો હશે, જેમાં તેમને જાણ થઈ હશે કે તેમની સ્થિતિ મજબૂત નથી. તેથી અમારી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પંજાબી દિલથી પ્રેમ કરે છે, પરંતુ જો કોઈ તેમની સાથે દગો કરે છે, તો તેઓ તેને પેઢીઓ સુધી યાદ રાખે છે. માને કહ્યું કે હું સખત શબ્દોમાં આ મામલાની નિંદા કરું છું. અમિત શાહને આ વાત પસંદ નહીં આવી હોય કે ભગવંત માનનો કોઈ વિકલ્પ નથી. રવનીત બિટ્ટુ ત્રણ-ચાર દિવસ પહેલા રાઘવ ચઢ્ઢાને ગાળો આપી રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાહુલે કહ્યું- મોદી અને મમતા બંને ભ્રષ્ટાચારી:હિમંતાએ કહ્યું- આસામમાં સદી, બંગાળમાં બેવડી સદી ફટકારીશું; ચૂંટણી પંચે 5 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા
    Next Article
    આવતીકાલે 44 ડિગ્રીમાં શેકાવા તૈયાર રહેજો!:અમદાવાદ-ગાંધીનગરમાં આજે યલો એલર્ટ, દરિયાકાંઠાના ભેજવાળા પવનો હજુ 48 કલાક લોકોને અકળાવશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment