Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા ચૂંટણી પહેલા ગરમાવો:'હવે પાટીદારો AAP કે કોંગ્રેસને વોટ નહીં આપે', અલ્પેશ કથિરીયાનો શંખનાદ

    12 hours ago

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને ભાજપના યુવા નેતા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા છે. અલ્પેશ કથિરીયાએ ફેસબુક પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, હવે પાટીદાર સમાજ જાગૃત થઈ ગયો છે અને આગામી ચૂંટણીમાં સમાજ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી (AAP)ને મત નહીં આપે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગત વખતે ભલે વિપક્ષને 27 બેઠકો મળી હોય પરંતુ, આ વખતે સુરતની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે અને વિપક્ષના સુપડા સાફ થઈ જશે. AAPનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા અલ્પેશનો હુંકાર નોંધનીય છે કે, અલ્પેશ કથિરીયા અગાઉ આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા અને ગત મનપા ચૂંટણીમાં 'આપ'ના પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, હવે કેસરીયો ધારણ કર્યા બાદ તેમના સૂર બદલાયા છે. તેમણે શંખનાદ કરતા જણાવ્યું કે, આ વખતે સુરત મહાનગરપાલિકામાં ભાજપને 100 ટકા બેઠકો મળશે અને વિપક્ષને એક પણ સીટ ફાળે નહીં જાય. પાટીદાર બહુલ વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત હોવાનો દાવો કરીને તેમણે રાજકીય ગરમાવો લાવી દીધો છે, જેનાથી આગામી દિવસોમાં સુરતનું રાજકારણ વધુ તેજ બને એવા એંધાણ છે. કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી ઝીરો સીટ ઉપર લડી રહી છે અલ્પેશ કથિરીયાએ જણાવ્યું હતું કે, જે પોસ્ટ મૂકી છે એ બાબતમાં એવું છે કે, આવનારા દિવસમાં SMCની ચુંટણી આવી રહી છે અને છેલ્લી બે ટર્મથી જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે. ગુજરાતમાં વધારે પાટીદાર સમાજ વસે છે. 9થી 10 જેટલા વોર્ડ છે તો એની અંદરના જ્યારે ઇલેક્શન હતું ત્યારે કોંગ્રેસ આવી હતી. ત્યારબાદ AAP આવી હતી. બંને સમયે પાટીદાર સમાજે એમને સહકાર આપ્યો હતો અને આ વખતે સમાજ કોઈપણ પ્રકારના સહકારમાં નથી બની શકે. અમુક લોકો હોઈ શકે પરંતુ, કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી ઝીરો સીટ ઉપર લડી રહી છે. આખા સુરતની અંદર આવનારા દિવસમાં ભગવો કઈ રીતે લહેરાય એ માટેનો અમારો પ્રયાસ રહેશે અને એ માટે સંપૂર્ણ ટીમ કાર્યરત રહેશે. પાટીદાર સમાજે એક તાંતણે બંધાયેલો સમાજ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ વોટ એટલા માટે નહિ આપે કે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારની અંદર કોર્પોરેશનના વિસ્તારની અંદર પાટીદાર સમાજને સૌરાષ્ટ્રની વસ્તી વસે છે એવા વિસ્તારની અંદર કોંગ્રેસ અને આપનું શાસન રહ્યું છે, જેનાથી વિસ્તારને પણ ઘણા બધા નુકશાન રહ્યા છે. બે-ત્રણ ગણ્યાગાંઠિયા કોર્પોરેટરને બાદ કરતા કોઈપણ કોર્પોરેટરે 5 વર્ષમાં એવા કોઈ કાર્ય કર્યા નથી કે, જેનાથી સશક્ત વિસ્તારનું જે-તે લાભ મળી શકે નિર્માણ થઇ શકે તો એ માટે આ વખતે એમનાથી વોટ કઈ રીતે ના મળે એ માટેનો પ્રયાસ રહેશે અને લોકો પણ વિકાસની સાથે છે અને વિકાસને મત આપશે. પાટીદાર સમાજે એક તાંતણે બંધાયેલો સમાજ છે. હું ઘણા સમયથી કહેતો આવું છું કે, સામાજિક રીતે જ્યારે પણ સમાજને જ્યાં ફાયદો થતો હોય છે ત્યાં મતનું સ્થળાંતર થતું હોય છે. બંનેને એક-એક વખત મોકો આપ્યો છે પણ એનાથી જનતાને કોઈ ફાયદો નથી થયો એટલે આ વખતે જનતા રાષ્ટ્રની સાથે વિકાસની સાથે ભાજપની સાથે રહેશે. બંને સમાજ એક જ છે, બંને સમાજમાં ઉમા ખોડલની પૂજા કરે છે. સરદાર સાહેબના સો વંશજો છે અને સાથે સૌરાષ્ટ્રનો પણ જે વિસ્તાર છે, બીજા પણ સમાજો છે એ પણ આ બાબતે તકેદારી રાખશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત ATSએ યુપીમાંથી ડ્રગ્સ ફેક્ટરી ઝડપી:6 કિ.ગ્રા. MD, 50 કિ.ગ્રા. લિક્વિડ ને 200 કિ.ગ્રા. રોમટીરીયલ સાથે બેની ધરપકડ, અમદાવાદમાંથી પકડાયેલા ડ્રગ્સના તાર UP પહોંચ્યા
    Next Article
    ગુજરાત બનશે ગ્લોબલ AI હબ: મુખ્યમંત્રી:સ્ટાર્ટઅપ્સને 1 કરોડ સુધીની સહાય અને રાજ્યમાં આધુનિક સોવરેન એઆઈ પાર્ક સ્થપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment