Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તૌસીફે કહ્યું- શિવ ભગવાન નથી, બ્રહ્માજીને અપશબ્દો કહ્યા':હનીમૂનની વિગતો પૂછતો, પ્રાઈવેટ પાર્ટ સામે જોતો; TCS કેસમાં અત્યાર સુધીમાં કેટલા ખુલાસા થયા

    6 days ago

    ‘મે 2025ની વાત છે, મેં સોમવારનું વ્રત રાખ્યું હતું. ત્યારે જ તૌસીફ અત્તાર પાસે આવ્યો અને મારા ટેબલ પર રાખેલી મહાદેવની મૂર્તિ જોઈને બોલ્યો કે શું આ ખરેખર ભગવાન છે. જો પાર્વતીએ ગણેશને જન્મ આપ્યો, તો આમને કેમ ખબર નહોતી. પછી હસવા લાગ્યો. તે અવારનવાર હિંદુ ધર્મ અને દેવી-દેવતાઓનો મજાક ઉડાવતો હતો. એક દિવસ તેણે કહ્યું કે બ્રહ્માએ પોતાની પુત્રી સાથે ખોટું કામ કર્યું હતું.’ ‘તૌસીફ ઓફિસમાં બિઝનેસ પ્રોસેસ લીડર છે. અમે એક ટીમમાં નહોતા, છતાં તે મારી પાસે આવતો અને અંગત જીવન વિશે વાતો કરતો. પૂછતો કે શું તારો બોયફ્રેન્ડ છે. તે ઓફિસની છોકરીઓને માથાથી પગ સુધી ઘૂરતો અને આંખ મારતો. મેં સીનિયર્સને ફરિયાદ કરી, પરંતુ કંઈ થયું નહીં, તેથી પોલીસ પાસે જવું પડ્યું.’ આ આપવીતી 25 વર્ષની તે છોકરીની છે, જેની ફરિયાદ બાદ નાસિક પોલીસે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના 7 અધિકારીઓની ધરપકડ કરી છે. 26 માર્ચથી 3 એપ્રિલની વચ્ચે 9 મહિલાઓએ FIR નોંધાવી. તેમણે કંપનીના મુસ્લિમ ટીમ લીડર્સ અને HR મેનેજર પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સહિત ધર્મ પરિવર્તન જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. નવી મહિલા કર્મચારીઓને ટાર્ગેટ કરી બ્રેઈનવોશ કરવાની પેટર્ન અમે તપાસ કરી રહેલી નાસિક પોલીસની SIT ના અધિકારી સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે આ મામલાના તાર હ્યુમન ટ્રાફિકિંગ, ધર્માંતરણ અને વિદેશી ફંડિંગ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. આરોપીઓના બેકગ્રાઉન્ડ અને ઓફિશિયલ રેકોર્ડ્સ જોવામાં આવી રહ્યા છે. પીડિત મહિલાઓ મહારાષ્ટ્ર પોલીસની દેખરેખ હેઠળ છે. SIT સાથે જોડાયેલા સૂત્રો કહે છે, ‘પહેલી FIR 26 માર્ચના રોજ દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ત્યારબાદ વધુ 8 મહિલાઓએ ફરિયાદ નોંધાવી. તેમના નિવેદનો પરથી જાતીય શોષણ, જોર-જબરદસ્તી અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની પેટર્ન સામે આવી છે.’ ‘મોટાભાગની જુબાનીઓમાં જાણવા મળ્યું છે કે પીડિત મહિલાઓને પહેલા અલગ-અલગ રીતે એપ્રોચ કરવામાં આવી હતી. ત્યારબાદ નોકરીના દબાણ, પ્રમોશન અને કામ શીખવવાના બહાને ટાર્ગેટ કરવામાં આવી. પોલીસે નિવેદનોના આધારે TCS કંપનીના દાનિશ શેખ, તૌસીફ અત્તાર, રઝા મેમણ, શાહરૂખ કુરેશી, આસિફ અંસારી, શફી શેખ અને અશ્વિની ચનાનીની ધરપકડ કરી છે. કંપનીની HR મેનેજર નિદા ખાન હાલ ફરાર છે.’ 9 માંથી 3 મહિલાઓની FIR મળી... પહેલી પીડિત સીનિયર પૂછતા- હનીમૂન પર ક્યાં ગઈ હતી, શું-શું કર્યું પીડિત મહિલાએ 2 એપ્રિલના રોજ નાસિકના મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. તેના જણાવ્યા અનુસાર, જૂન 2025 થી 31 માર્ચ 2026 સુધી તે TCS ઓફિસમાં એસોસિયેટ હતી. તેના પતિ કામ અર્થે પુણેમાં રહે છે. FIR માં તેણે જણાવ્યું, ‘24 જૂન 2025 ના રોજ મને 3 મહિનાના ટ્રેનિંગ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી હતી. રઝા મેમણને મારી ટ્રેનિંગ સાથે કોઈ લેવાદેવા નહોતા, છતાં તે મારી પાસે આવીને પર્સનલ લાઈફ વિશે પૂછતા. કહેતા હતા કે પતિ સાથે કેમ નથી રહેતી, હનીમૂન પર ક્યાં ગઈ હતી. ત્યાં શું કર્યું, કેવી રીતે કર્યું. રઝા મેમણની સાથે શાહરૂખ કુરેશી પણ હતો.’ ટ્રેનિંગમાં આસિફ અંસારી પણ અવારનવાર મારી પાસે આવી જતો. અડીને બેસતો અને ખોટી રીતે સ્પર્શ કરતો. ક્યારેક જાંઘ કે ખભા પર હાથ મૂકી દેતો. એક દિવસ લંચ વખતે હાથ ખોળામાં મૂકી દીધો. પછી બોલ્યો- જો કોઈ ફિઝિકલ નીડ હોય, તો જણાવજે, પૂરી કરી દઈશ. મહિલાએ જણાવ્યું, ‘સીનિયર તૌસીફ અત્તારે પણ ખરાબ વર્તન કર્યું. તે પણ ટીમમાં નહોતો, છતાં પાસે આવીને ખાવા માટે પૂછતો. અશ્લીલ રીતે પૂછતો, 'શું સંતરા લાવી છે? નાના લાવી છે કે મોટા?' તે નજીક આવતો અને સ્પર્શ કરતો હતો. જ્યારે મેં સવાલ કર્યો, તો કહ્યું, 'શું તારે આગળ નથી વધવું?’ પીડિતના જણાવ્યા અનુસાર, શાહરૂખ કુરેશી, રઝા મેમણ, આસિફ અંસારી, તૌસીફ અત્તાર અને શફી શેખે તેને ફિઝિકલી અને મેન્ટલી ટોર્ચર કરી હતી. હિંદુ દેવી-દેવતાઓ માટે અપશબ્દો કહ્યા, જેનાથી તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. તેણે HR સેલમાં ફરિયાદ કરી, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. ત્યારે તેણે મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. બીજી પીડિત ‘ઈશ્વર એ જ જે અદ્રશ્ય છે, હિંદુ દેવી-દેવતા ખોટા છે’ મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધી તેનું ઓફિસમાં જાતીય શોષણ થયું હતું. મહિલા કંપનીમાં ક્રેડિટ કાર્ડ કસ્ટમર્સની ફરિયાદો સાંભળતી હતી. તેણે જણાવ્યું, ‘તૌસીફ અત્તાર પોતાના ધર્મને ઊંચો બતાવતો અને હિંદુ ધર્મને નીચો. તે કહેતો કે સાચો ઈશ્વર એ જ છે, જે અદ્રશ્ય છે. હિંદુ ધર્મમાં દેવતાઓ દેખાય છે, તેથી તે ખોટા છે.’ ‘ડિસેમ્બર 2025ની વાત છે. હું લંચ પછી છાશ પી રહી હતી, ત્યારે જ તૌસીફ આવ્યો અને પૂછ્યું- ‘શું પી રહી છે?’ મેં કહ્યું- ‘છાશ પી રહી છું.’ તેણે અજીબ નજરોથી જોયું અને કહ્યું- મારી પાસે પણ છાશ છે, શું પીવા માંગીશ? આ કહેતા તેણે પ્રાઈવેટ પાર્ટ તરફ ઈશારો કર્યો.’ ત્રીજી પીડિત ભગવાન કૃષ્ણ અને શિવ વિશે ખોટી વાતો કરી ત્રીજી FIR માં પીડિતે જણાવ્યું, ‘હું ડિસેમ્બર 2024 માં ઓફિસમાં હતી. ત્યારે શફી શેખ કામના બહાને પાસે આવીને બેસી ગયો અને જાણીજોઈને મારા પગ સાથે પોતાનો પગ ઘસવાની કોશિશ કરી. પછી મારા કીપેડ વાપરવાના બહાને ખોટી રીતે સ્પર્શ કર્યો. મેં ખુરશી દૂર કરી લીધી, તો તે હસતો હસતો ચાલ્યો ગયો.’ ‘ફેબ્રુઆરી 2026 માં તૌસીફે મારા ધર્મને નીચો બતાવવાનો પ્રયત્ન કર્યો. તેણે કહ્યું કે કૃષ્ણે 16 હજાર મહિલાઓ સાથે લગ્ન કર્યા, તેના પરથી ખબર પડે છે કે કૃષ્ણ કેવા હતા. શું ભગવાન શંકરને એ ખબર નહોતી કે ગણેશ પાર્વતીના પુત્ર છે? જો ખબર નહોતી તો દેવી પાર્વતીને પુત્ર કેવી રીતે થયો? તેમણે ગણેશનું માથું કેમ કાપી નાખ્યું?’ 40 દિવસના 'અન્ડરકવર ઓપરેશન' થી ખુલાસો આ મામલાની તપાસ કરી રહેલા SIT ચીફ અને મદદનીશ પોલીસ કમિશનર સંદીપ મિટકે કહે છે કે નાસિક પોલીસને તપાસ દરમિયાન મહત્વની બાબતો જાણવા મળી છે. તપાસ ટીમની એક સીનિયર ઓફિસર નામ ન આપવાની શરતે કહે છે, ‘ફેબ્રુઆરીમાં કેટલીક છોકરીઓએ ગુપ્ત રીતે અમારો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે કંપનીમાં વાતાવરણ ખૂબ ખરાબ છે, છોકરીઓ ખુલીને બોલતા ડરે છે. આરોપોની સત્યતા જાણવા માટે અમે પોલીસ કમિશનર સંદીપ કાર્ણિકના નિર્દેશ પર એક પ્લાન બનાવ્યો.’ 7 મહિલા પોલીસકર્મીઓને અન્ડરકવર તૈનાત કરવામાં આવી. તેઓ હાઉસકીપિંગ સ્ટાફ અને અન્ય નાના હોદ્દા પર કામ કરતા કર્મચારીઓ તરીકે કંપનીની અંદર ગઈ. ‘ઓફિસર્સે 40 દિવસો સુધી નજર રાખી કે શું આરોપીઓ મીટિંગમાં કે મહિલા કર્મચારીઓના વર્ક સ્ટેશન પર ગેરવર્તન કરી રહ્યા હતા. આ અન્ડરકવર ડ્યુટી પછી તેઓ દરરોજ સીનિયર્સને અપડેટ આપતી હતી.’ તપાસ દરમિયાન એક મહિલા કર્મચારીએ 26 માર્ચના રોજ દેવલાલી પોલીસ સ્ટેશનમાં પહેલી FIR નોંધાવી. તેણે કંપનીના સીનિયર અધિકારી પર બળાત્કારનો આરોપ લગાવ્યો. 2 એપ્રિલ સુધી કુલ 9 કેસ નોંધાયા. તેમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી સ્ટાફ સસ્પેન્ડ, TCS ચેરમેન બોલ્યા- કેસ પરેશાન કરનારો છે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું કે આ કેસ પરેશાન કરનારો છે. અમે પોલીસને સહયોગ કરી રહ્યા છીએ. TCS કોઈપણ પ્રકારની પજવણી અને જબરદસ્તી પ્રત્યે લાંબા સમયથી 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવતું આવ્યું છે. આ મામલે પણ કંપની કડક વલણ અપનાવી રહી છે. સરકારી વકીલ બોલ્યા- કંપનીની ઓપરેશન્સ હેડે આરોપીઓની મદદ કરી પીડિત પક્ષના સરકારી વકીલ કિરણ બેંડભર કહે છે, ‘આ એક ગંભીર મામલો છે, જેમાં પીડિતના જાતીય શોષણ અને માનસિક ઉત્પીડનના આરોપો સામેલ છે. સાથે જ આરોપીઓએ કાર્યસ્થળ પર કથિત રીતે વાંધાજનક વર્તન કર્યું.’ ‘તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીની ઓપરેશન્સ હેડે POSH એટલે કે જાતીય સતામણી નિવારણ સમિતિની સભ્ય હોવા છતાં ફરિયાદ પર ધ્યાન આપ્યું નહીં, ઊલટું આરોપીઓની મદદ કરી. તેનાથી તેમની હિંમત વધી અને તેઓ બીજી મહિલાઓને પણ પરેશાન કરવા લાગ્યા.’
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી ચિત્ર સ્પષ્ટ:જિલ્લામાં ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ હવે જંગ ખરાખરીનો
    Next Article
    શું બંગાળમાં BJP-RSSનું માઈક્રો મેનેજમેન્ટ બનશે ગેમચેન્જર:12 રણનીતિઓ પર ફોકસ; હિન્દુઓનું વોટિંગ વધારવા, ડર ખતમ કરવા માટે ટીમો બનાવી

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment