Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ વિતરણમાં પારદર્શકતા લાવવા AAPનું કલેક્ટરને આવેદનપત્ર:સંકટના સમયે વચેટીયાઓ જનતાના હકો ન ઝૂંટવે તે માટે 'રિયલ ટાઈમ' ઓનલાઈન ડેટા જાહેર કરવા અને હેલ્પલાઈન શરૂ કરવા માગ

    11 hours ago

    વર્તમાન રાષ્ટ્રીય સંકટની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોને પાયાની જરૂરિયાતો મેળવવામાં મુશ્કેલી ન પડે અને ગેસ વિતરણ જેવી આવશ્યક સેવાઓમાં ભ્રષ્ટાચાર કે કાળાબજારી ન થાય તે હેતુથી સુરત આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં આજે મોટી સંખ્યામાં આપના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પારદર્શકતા માટે રિયલ ટાઈમ ડેટાની માગ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં સૌથી મહત્વની માંગણી ગેસ વિતરણ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવવાની છે. ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ ગેસ એજન્સીઓને દરરોજ કેટલી બોટલોનો જથ્થો ફાળવવામાં આવે છે, તેમાંથી કેટલા બુકિંગ કન્ફર્મ થયા છે અને વાસ્તવમાં કેટલા ગ્રાહકોને વિતરણ કરવામાં આવ્યું છે, તેના આંકડા પળેપળ ઓનલાઈન અપડેટ થવા જોઈએ. પક્ષનું માનવું છે કે, જો આ માહિતી જાહેર જનતા માટે ઉપલબ્ધ હશે, તો એજન્સીઓ દ્વારા કરવામાં આવતી સંભવિત ગેરરીતિઓ પર લગામ લગાવી શકાશે. ગ્રાહકોને ખબર હોવી જોઈએ કે સ્ટોક હોવા છતાં તેમને ના પાડી શકાય નહીં. ઇમરજન્સી હેલ્પલાઈન અને કડક દંડની જોગવાઈ ગેસ પુરવઠામાં ક્યાંય પણ વિસંગતતા જણાય અથવા કોઈ એજન્સી કે ડિલર દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોય, તો તેની તાત્કાલિક ફરિયાદ કરવા માટે એક સમર્પિત ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ધર્મેશ ભંડેરીએ ચેતવણી આપતા કહ્યું કે, માત્ર હેલ્પલાઈન શરૂ કરવાથી ચાલશે નહીં, પરંતુ તેના પર આવતી ફરિયાદોનો નિકાલ 24 કલાકમાં થવો જોઈએ. જે લોકો રાષ્ટ્રીય સંકટના સમયે ગેસની કાળાબજારી કરી સામાન્ય લોકોના ખિસ્સા ખંખેરે છે, તેમની સામે કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ અને તેમને મસમોટો દંડ ફટકારીને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. દિવ્યાંગો-વૃદ્ધોને લાઈનમાં ન ઉભવું પડે તેવી વ્યવસ્થા કરવા માગ આ આવેદનપત્રમાં માનવીય અભિગમ દાખવીને કેટલીક વિશેષ શ્રેણીઓ માટે પ્રાથમિકતા આપવાની રજૂઆત કરવામાં આવી છે કે, હોસ્પિટલોમાં દર્દીઓના ભોજન અને અન્ય સેવાઓ માટે ગેસની અછત ન સર્જાય, તેમજ વૃદ્ધાશ્રમો, અનાથાલયો અને સદાવ્રતોમાં ગેસનો પુરવઠો અવિરત રહેવો જોઈએ. દિવ્યાંગ વ્યક્તિઓ, એકલા રહેતા વૃદ્ધો અને એકલી રહેતી મહિલાઓને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનોમાં ન ઊભા રહેવું પડે અથવા તેમને વિતરણમાં પ્રથમ પ્રાધાન્ય મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માગ કરાઈ છે. લાગવગ પણ બંધ કરાવવા માગ ધર્મેશ ભંડેરીએ પોતાના સંબોધનમાં ભૂતકાળના કડવા અનુભવોને યાદ કરતા સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આપણે જોયું છે કે લાગવગ ધરાવતા લોકોને હોસ્પિટલના બેડ, ઓક્સિજન સિલિન્ડર અને રેમડેસિવિર ઇન્જેક્શન સરળતાથી મળી જતા હતા, જ્યારે સામાન્ય લોકો રસ્તા પર દમ તોડી રહ્યા હતા. નોટબંધી સમયે પણ સામાન્ય માણસ લાઈનમાં ઉભો રહ્યો હતો અને લાગવગવાળા લોકો પાછલા બારણેથી નાણાં બદલાવી રહ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગેસ વિતરણમાં પણ આવી જ ભ્રષ્ટ પ્રથા ન સર્જાય તે જોવાની જવાબદારી તંત્રની છે. જો અત્યારથી જ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો વચેટીયાઓ અને મળતિયાઓ સક્રિય થઈ જશે અને ગરીબ માણસના ઘરનો ચૂલો સળગવો મુશ્કેલ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    ‘તેરા તુજ કો અર્પણ’:ગાંધીનગરના મોલમાં ભુલાયેલી સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને પરત કરી
    Next Article
    9 PM Gujarati News LIVE | 9 વાગ્યાના આજના સૌથી મોટા સમાચાર | Fatafat News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment