Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપની પ્રાથમિકતા જનકલ્યાણ નહીં, ફાઇવ સ્ટાર કમલમ બનાવવાની:ભાજપની પ્રાથમિકતા જનકલ્યાણ નહીં, ફાઇવ સ્ટાર કમલમ બનાવવાની - AAP નેતા મનોજ સોરઠીયાનો આક્ષેપ

    15 hours ago

    ગુજરાતમાં ભાજપના 30 વર્ષના શાસનને લઈને આમ આદમી પાર્ટીએ ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાજપ પર લોકોના વિકાસને અવગણીને કરોડો રૂપિયાના ફાઇવ સ્ટાર કમલમ કાર્યાલયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આક્ષેપ કર્યો છે. AAP નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, ગુજરાતના લોકો આજે સવાલ પૂછી રહ્યા છે કે ભાજપના 30 વર્ષના શાસન દરમિયાન રાજ્યના સામાન્ય નાગરિકોનો ખરેખર કેટલો વિકાસ થયો છે. તેમણે શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો અને નાના વેપારીઓની સ્થિતિ અંગે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. 'ભાજપની પ્રાથમિકતા સ્કૂલ-હોસ્પિટલ નહીં, ફાઇવ સ્ટાર કમલમ બનાવવાની' મનોજ સોરઠીયાના જણાવ્યા અનુસાર, શું ગુજરાતના લોકોને ફાઇવ સ્ટાર કક્ષાનું શિક્ષણ મળ્યું છે? શું સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સેવાઓમાં સુધારો થયો છે? શું ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ અને પૂરતું ખાતર મળી રહ્યું છે? તેમજ શું નાના વેપારીઓ આજે પોતાના ધંધા-રોજગારને સરળતાથી ચલાવી શકે છે? ભાજપની પ્રાથમિકતા સ્કૂલ અને હોસ્પિટલ નહીં, પરંતુ પોતાના ફાઇવ સ્ટાર કમલમ બનાવવાની છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે 100 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરીને ભવ્ય કાર્યાલયો બનાવ્યા છે, જ્યારે લોકોની મૂળભૂત જરૂરિયાતો માટે પૂરતું કામ થયું નથી. ગુજરાતને દેવાના ભાર અને આર્થિક મુશ્કેલીઓ તરફ ધકેલ્યું મનોજ સોરઠીયાએ વધુમાં આક્ષેપ કર્યો કે, ભાજપે છેલ્લા ત્રણ દાયકામાં ગુજરાતને વિકાસ નહીં પરંતુ દેવાના ભાર અને આર્થિક મુશ્કેલીઓ તરફ ધકેલ્યું છે. તેમણે કમલમને ગુજરાતમાં થયેલી લૂંટ અને ગુલામીનું પ્રતિક ગણાવ્યું. AAP નેતાએ ગુજરાતની જનતાને ભાજપની નીતિઓ અને કાર્યપદ્ધતિને ઓળખવાની અપીલ કરતાં કહ્યું કે હવે લોકોના હિતમાં જવાબદારીપૂર્વક નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    વીમા કંપનીએ માનસિક સારવારનો ક્લેમ આપવા ઈન્કાર કર્યો:અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને ક્લેમની રકમ 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો
    Next Article
    રાજકોટમાં રવિવારે 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીઓની NEET પરીક્ષા:એરફોર્સ હવાઈ માર્ગે પેપર લાવશે, CISFના જવાનો કેન્દ્રો પર પહોંચાડશે; ઓખા-ગાંધીનગર સ્પે. ટ્રેન દોડાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment