Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુમાળી ચોક પર સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ:પોલીસે AAP નેતા પદ્મિનીબા વાળાને બોચી પકડી ગાડીમાં બેસાડ્યા; કહ્યું-બધાના પટ્ટા ઉતરાવી દઈશ

    1 day ago

    નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગા સાથે દિલ્હીનાં જંતરમંતર ખાતે ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. જેમાં જાણીતા વૈજ્ઞાનિક સોનમ વાંગચૂકને આમરણાંત ઉપવાસ દરમિયાન હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે 21 જુલાઈએ રાજકોટના બહુમાળી ચોકમાં વિરોધ પ્રદર્શન અંગે વિડીયો વાયરલ થતા એક પછી એક યુવક-યુવતીઓ બહુમાળી ચોકમાં આવવા લાગ્યા હતા. જો કે સ્થાનિક પોલીસ અગાઉથી જ સતર્ક હતી અને કોઈપણ પ્રકારે વિરોધ કરવામાં આવે તે પહેલાં જ તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. બધાના પટ્ટા ઉતરાવી દઈશ: પદ્મિનીબા વાળા આ તકે આમ આદમી પાર્ટીનાં પદ્મિનીબા વાળાની અટકાયત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મોદી સાહેબ આપને દેશ મૂકીને જાવું નો પડે જોજો. યુવા પેઢીને તમે મારકૂટ કરી છે, અમે આ યુવાનોની સાથે છીએ અને અમારો તેમને પૂરો સપોર્ટ છે. યુવાનોને અપીલ કરતા તેમણે જણાવ્યું કે, તમે છેલ્લે સુધી લડજો અમે તમારી સાથે છીએ. આ દરમિયાન તેમની સાડી ભરાઈ જતા જણાવ્યું કે, મારી સાડીને કાંઈ થયું તો બધાના પટ્ટા ઉતરાવી દઈશ. સિવિલમાં ફાયર સેફ્ટીની લાઈનમાં લીકેજ, પ્લાસ્ટિકની કોથળી બાંધી સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ, તેમના સ્વજનો, ડોક્ટર અને નર્સ સહિત દરરોજ હજારો લોકો આવે છે, જેથી અહીં લોકોની સુરક્ષા અને સલામતી ખૂબ જ જરૂરી બની જાય છે. અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે આજે હોસ્પિટલનાં ઇમરજન્સી વિભાગ પાસેથી પસાર થતી ફાયર સેફ્ટીની મેઈન લાઈન લીક થતાં તંત્ર દ્વારા તેને સરખી કરવાના બદલે પ્લાસ્ટિકની કોથળી બાંધીને છીંડા ઢાંકવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાણી ભરાતા દર્દીઓ, તબીબોને હાલાકી આ મેઈન લાઈન તૂટવાના કારણે હોસ્પિટલ કેમ્પસમાં ઇમરજન્સી વિભાગના સામેના ભાગમાં મોટી માત્રામાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ત્યાંથી પસાર થતા દર્દીઓ, તબીબો અને અન્ય સગા-સંબંધિઓને ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ, કેતન જોશીની બદલી થતા તપાસ અટકી રાજકોટના બહુચર્ચિત જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન સામે આવેલા VIP બિલ કૌભાંડ મામલે વહીવટી તંત્રમાં મોટી હલચલ જોવા મળી છે. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ગઠિત કરાયેલા તપાસ સમિતિ અધ્યક્ષ અને PGVCLના MD કેતન જોશીની અચાનક બદલી કરી દેવામાં આવી છે. થોડા દિવસો પહેલા તપાસ સમિતિના પૂર્વ અધ્યક્ષ ચેતન નંદાણીને સ્થાને કેતન જોશીને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ભીનું સંકેલવાનો પ્રયાસ શરૂ થયો હોવાની ચર્ચાઓ જોકે, બદલી નજીકમાં હોવાના કારણે કેતન જોશીએ વિવાદિત બિલો અંગે એક પણ નક્કર કાર્યવાહી ન કરતા સમગ્ર મામલો વિવાદમાં સપડાયો હતો. આ નિષ્ક્રિયતાના કારણે તપાસ અટકી પડી હતી. હવે અંતે તેમની બદલી થતાં કૌભાંડી અધિકારીઓ અને સંબંધિત વર્ગે હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ, કોર્પોરેશન તંત્ર દ્વારા સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ શરૂ થયો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. આ ડિમોલિશન કાંડના ખર્ચની નક્કર તપાસ હજુ ખાસ આગળ વધી નથી, તેવામાં જ તપાસ સમિતિના વડા બદલાઈ જતાં હવે શું થશે તે મોટો પ્રશ્ન છે. કેતન જોશી તપાસ સમિતિ સાથે જોડાયેલા રહેશે કે પછી કોઈ નવા IAS અધિકારી આવ્યા બાદ તપાસ આગળ વધશે, તે અંગે હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થયું નથી.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi, other Congress leaders detained after over 2-hour protest outside PM’s residence
    Next Article
    લાઠીચાર્જ પર ઘેરાયેલી સરકાર, સંસદથી PM આવાસ સુધી પ્રદર્શન:શિક્ષણમંત્રીના રાજીનામા પર રાહુલ અડગ, પોલીસ તેમને ઉઠાવીને લઈ ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment