Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'AAP રૂપિયા લઈને ટિકિટ આપે છે':આંદોલનના સાથી મનીષ બ્રહ્મભટ્ટનો અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપ, કહ્યું- જનતાના ચૂંટેલા ઉમેદવારને ટિકિટ નહી તો અલગથી ચૂંટણી લડીશું

    6 days ago

    સોશિયલ એક્ટિવિસ્ટ અને એક સમયના અરવિંદ કેજરીવાલના આંદોલનના સાથી મનીષ બ્રહ્મભટ્ટે જનતા સરકાર આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત કરી છે તેમજ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. અરવિંદ કેજરીવાલ અને AAP રૂપિયા લઈને ટિકિટ આપતી હોવાનો પણ મનીષ બ્રહ્મભટ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. પ્રજાની વાત કરીને કરીને અરવિંદ કેજરીવાલ પ્રજા સાથે વિશ્વાસઘાત કરતી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે તેમજ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય પાર્ટીઓ મેરીટ પ્રથા લાગુ નહીં કરે તો પ્રજા માટે અલગથી પાર્ટી બનાવી ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી છે. કેજરીવાલના ગુૃજરાત પ્રવાસ પહેલા આંદોલનના સાથીએ ખુલાસો કર્યો આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામ બેઠક પર ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહી છે. જેને લઈને અરવિંદ કેજરીવાલ 4 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે પહેલા જ અરવિંદ કેજરીવાલના આંદોલનના સાથીએ મોટો ખુલાસો કર્યો છે. અરવિંદ કેજરીવાલ પ્રજાના બદલે રૂપિયા લઈને ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને ટિકિટ આપતા હોવાનો દાવો અરવિંદ કેજરીવાલના આંદોલનના સાથી મનીષ બ્રહ્મભટ્ટે કર્યો છે. આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ મોટો ખુલાસો કરવામાં આવતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. તેમજ અરવિંદ કેજરીવાલ પ્રજાના હિત માટે કામ ન કરતા હોવાનો પણ દાવો મનીષ બ્રહ્મભટ્ટે દ્વારા કરવામાં આવ્યો છે. પ્રજાના નક્કી ઉમેદવારને ટિકિટ નહી મળે તો અલગથી પાર્ટી બનાવી લડીશું સોશિયલ એક્ટિવિસ્ટ મનીષ બ્રહ્મભટ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે કે, તમામ પાર્ટીઓ મેરીટ પ્રથા લાગુ કરે. જે માટે સમાજના આગેવાનો સાથે તમામ પાર્ટીના પ્રમુખ સાથે મુલાકાત કરવાની પણ તૈયારી શરૂ કરી છે. પ્રજા નક્કી કરે તે ઉમેદવાર ચૂંટણી લડે તે માટે જનતા સરકાર આંદોલન દ્વારા તમામ પાર્ટીને રજૂઆત કરશે. જે પાર્ટી મેરીટ પ્રથા લાગુ કરશે તેના સાથે જોડાઈને ચૂંટણી લડવાની જાહેરાત પણ કરવામાં આવી છે તેમજ જો કોઈપણ પાર્ટી મેરીટ પ્રથા લાગુ નહીં કરે કે જે પ્રજા નક્કી તે ઉમેદવારને ટિકિટ નહીં આપે તો અલગથી પાર્ટી બનાવી ચૂંટણી લડવાની પણ તૈયાર દર્શાવવામાં આવી છે. દરેક સરકારી અધિકારી પ્રજાના સેવક અને નોકર છે અને પ્રજા રાજા કહેવાય સોશિયલ એક્ટિવિસ્ટ મનીષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આંદોલન કરવા માટે લોકો મજબૂર કેમ છે તેનું કારણ માત્ર એક જ છે ટિકિટ પ્રથા. આઝાદી સમયે અનેક લોકોએ બલિદાન આપ્યા ત્યારે આઝાદી મળી હતી. આઝાદી મળી અને લોકશાહી દેશની રચના થઈ પરંતુ, હજુ સુધી લોકશાહી લાગુ થઈ નથી, યોગ્ય આઝાદી હજુ પણ મળી નથી. પહેલા ચિન્હ આધારે ચૂંટણીની શરૂઆત થઈ હતી, જે બાદ હવે માત્ર પક્ષના નેતાઓના આશીર્વાદથી લોકો નેતા બનવા લાવ્યા હતા. નેતાના દીકરા નેતા બને છે, પાંચ વર્ષે જાતિના આધારે વોટ આપીને પછતાય છે અને રેલી આંદોલન કરવા મજબૂર બને છે. ચૂંટણી લડવા માટેની લાયકાત ધરાવતા હોય તે તમામ લોકોને પ્રજામાંથી ચૂંટણી લડવી જોઈએ. દરેક સરકારી અધિકારી પ્રજાના સેવક અને નોકર છે અને પ્રજા રાજા કહેવાય છે. અત્યારે પ્રજા આંદોલન કરવા મજબૂર થઈ જાય છે. મેરીટ પ્રથા લાગુ થાય તેવી માંગ છે અને તો જ પ્રજા રાજા બની શકશે. પ્રજા પોતાની પંસદગીથી નેતા નક્કી કરશે અને તેમના આધારે સરકાર ચાલશે અરવિંદ કેજરીવાલે પર આક્ષેપ કરતા મનીષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટી બનાવવા માટેનો પ્લાન પણ અમે આપ્યો હતો. આંદોલન બંધ કરીને પાર્ટી બનાવવા માટેનું સૂચન કર્યું હતું. પ્રજા પોતાની પંસદગીથી નેતા નક્કી કરશે અને તેમના આધારે સરકાર ચાલશે તેવું કહ્યા બાદ આમ આદમી પાર્ટી બનાવવામાં આવી હતી. 2014માં અરવિંદ કેજરીવાલે રૂપિયા લઈને ગમે તેને ટિકિટ આપવાનું શરૂ કર્યું હતું. આઝાદ ભારતનો સૌથી મોટો વિશ્વાસઘાત નેતા હોય તો તે અરવિંદ કેજરીવાલ છે. પ્રજાનું શાશન ઈચ્છે છે તો પંજાબમાં કાયદો બનાવે, ગુજરાતના તમામ કાર્યકર્તાઓને કહીએ છીએ કે અરવિંદ કેજરીવાલ પ્રજા સાથે વિશ્વાસ કરે છે. પ્રજાનું કામ કરવાના બદલે અરવિંદ કેજરીવાલે પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે દરેક પક્ષ પાસે જઈને માંગ કરીશું કે તમે મેરિટ પ્રથા લાગુ કરો વધુમાં મનીષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આઝાદી પછીથી આજ દિન સુધી પ્રજા લાચાર છે, કેમ પ્રજાની પંસદગીના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતી નથી. 200 બાયોડેટામાંથી અમુક લોકોને ટિકિટ આપીને કાર્યકર્તાઓ સાથે અન્યાય થાય છે, કોઈપણ યોગ્ય માણસને ટિકિટ આપવામાં આવતી નથી. નેતાઓ બુટલેગર અને ગુંડાઓને ટિકિટ આપીને ચૂંટણી લડાવે છે. કોઈપણ પાર્ટીમાં નેતાઓનો જય જય કાર ન કરતા હોય તેવા લોકોને ટિકિટ આપીને ચૂંટણી લડાવવી જોઈએ. અમે દરેક પક્ષ પાસે જઈને માંગ કરીશું કે તમે મેરિટ પ્રથા લાગુ કરો. મેરીટ પ્રથાના 6 રાઉન્ડ બનાવ્યા છે, જેમાં પેહલા રાઉન્ડમાં મે મહિના સુધી સમય આપીશું. કોઈપણ પક્ષ મેરિટ પ્રથા લાગુ કરશે તો અમે તેને સપોર્ટ કરીશું અને જો કોઈ પાર્ટી લાગુ નહીં કરે તો અમે જનતા સરકાર લાગુ કરીશું અને ચૂંટણી લડવાની લાયકાત ધરાવે છે તેમણે ટિકિટ આપવામાં આવશે. દરરોજ 30 લોકોના ઘર સુધી પહોંચવામાં આવશે પોતાની પાર્ટી બનાવવાની વાતને લઈને મનીષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા સિલેકશન આપવામાં આવશે, 10 ટેકેદાર હોય તો તે ઉમેદવારી નોંધાવી શકે છે. એક વિધાનસભામાં એક ઉમેદવાર 10 ટેકેદારને સાથે રાખીને સ્થાનિક લોકોની સમસ્યાને રીલ બનાવશે અને તે સોશિયલ મીડિયામાં મુકવામાં આવશે. દરરોજ 30 લોકોના ઘર સુધી પહોંચવામાં આવશે. જે બાદ બીજા રાઉન્ડમાં સામાજિક પસંદગી આપવામાં આવશે, સમાજના મત ખેંચવા માટે ટિકિટ આપવામાં આવે છે જે પછી કોઈપણ પ્રજાનું સાંભળતા નથી અને તે નેતાઓ પછી પાર્ટીના થઈ જાય છે. દરેક સમાજને પોતાની બેઠક પરના યોગ્ય વ્યક્તિ શ્રેષ્ઠ વ્યક્તિ પસંદ કરવાની તક આપવામાં આવશે, સમાજ નક્કી કરશે તેને ટિકિટ આપવામાં આવશે. ડિજિટલ વોટનો કાયદો બનાવી, પ્રજાના આધારે સરકાર ચાલે એવું આયોજન કરીશું ત્રીજા રાઉન્ડમાં સભા યોજવામાં આવશે અને તેમાં ઉમેદવારો સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવીશું તેના આધારે ઉમેદવાર નક્કી કરવામાં આવશે. જો અન્ય કોઈ પાર્ટી ઉમેદવાર આ રીતે નક્કી નહીં કરે તો જનતા આંદોલન કરીશું અને કોઈ પક્ષ બનાવવો પડશે તો પણ બનાવીશું અને ચૂંટણી લડવા માટે ચિહ્ન પણ લઈશું. ડિજિટલ વોટનો કાયદો બનાવી, પ્રજાના આધારે સરકાર ચાલે એવું આયોજન કરીશું. અધિકારીઓને પ્રજાને ખૂબ હેરાનગતિ છે, ધારાસભ્યનું અધિકારી સાંભળતા નથી તો પ્રજા માટે શું કામ કરતા હશે તે પણ સમજી શકાય. એક એપ્લિકેશન બનાવી અધિકારીઓની કામગીરી કેવી લાગી તેના આધારે રેટિંગ આપવામાં આવે અને તેના આધારે રિપોર્ટ તૈયાર કરી 51 ટકા જો અધિકારીના કામથી સંતુષ્ટ ન હોત તો ટ્રાન્સફર, સસ્પેન્ડ અને ડીસમિસ કરવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    વેડરોડ ગુરુકુળમાં આધ્યાત્મિક મહોત્સવ:સંતો અને હરિભક્તોએ નવ દિવસના કઠિન તપ સાથે વ્રત દીક્ષા ગ્રહણ કરી
    Next Article
    ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિની CMને રજૂઆત:બાટલામાંથી ગેસની ચોરી અટકાવવા અને કસૂરવાર એજન્સીઓના લાયસન્સ રદ કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment