Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિની CMને રજૂઆત:બાટલામાંથી ગેસની ચોરી અટકાવવા અને કસૂરવાર એજન્સીઓના લાયસન્સ રદ કરવા માંગ

    1 week ago

    ગુજરાતમાં હાલ રસોઈ ગેસ અને કોમર્શિયલ સિલિન્ડરોની ભારે તંગી વચ્ચે કાળાબજારનો ખેલ વ્યાપક બન્યો છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખના જણાવ્યા અનુસાર, સરકાર નિયંત્રિત 14.200 kg ના ડોમેસ્ટિક સિલિન્ડરનો ભાવ 920/- રૂપિયા હોવા છતાં, બજારમાં તે 1500/- થી 2000/- રૂપિયામાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. આ કાળાબજારીયાઓ પોલીસ અને પુરવઠા વિભાગની પકડથી દૂર રહીને સામાન્ય જનતાને લૂંટી રહ્યા છે. સીલબંધ બાટલામાંથી ગેસની ચોરી અને છેતરપિંડી ચોંકાવનારી બાબત એ છે કે ગેસ એજન્સીઓના હેલ્પરો અને ડિલીવરી બોય સીલબંધ બાટલામાંથી 'પેન્સિલ-બંસરી' જેવા સાધનો વડે 2 થી 3 કિલો ગેસની ચોરી કરે છે. સરકારી પરિપત્રો મુજબ ગ્રાહકની નજર સામે ડિજિટલ કાંટાથી વજન કરીને બાટલો આપવો ફરજિયાત છે, પરંતુ જમીની સ્તરે આ નિયમનો શૂન્ય અમલ જોવા મળે છે. ગ્રાહકોને ઓછા વજનના અને ઘણીવાર લીકેજ ધરાવતા જોખમી બાટલા પધરાવી દેવામાં આવે છે. તંત્રની નિષ્ક્રિયતા સામે ઉગ્ર રજૂઆત મુકેશ પરીખે મુખ્યમંત્રી, ગ્રાહક બાબતોના મંત્રી અને ઓઈલ કંપનીઓને આવેદનપત્ર પાઠવીને યુદ્ધના ધોરણે પગલાં ભરવા માંગ કરી છે. તેમણે જિલ્લા કલેક્ટરો અને પુરવઠા અધિકારીઓને સૂચના આપી કાળાબજાર કરનારાઓ પર 'પાસા' હેઠળ કાર્યવાહી કરવા અને સંડોવાયેલી એજન્સીઓના લાયસન્સ રદ કરવા આગ્રહ કર્યો છે. વધુમાં, ડિલીવરી મેન માટે ડ્રેસ કોડ, પ્રમાણિત વજન કાંટો અને લીકેજ ટેસ્ટિંગ સાધનો ફરજિયાત બનાવવાની માંગ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારની શિથિલતા અંગે હવે PMO અને CMO માં પણ રજૂઆત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'AAP રૂપિયા લઈને ટિકિટ આપે છે':આંદોલનના સાથી મનીષ બ્રહ્મભટ્ટનો અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપ, કહ્યું- જનતાના ચૂંટેલા ઉમેદવારને ટિકિટ નહી તો અલગથી ચૂંટણી લડીશું
    Next Article
    પાટડી વર્ણીન્દ્રધામ ખાતે 9 દિવસીય બ્રહ્મમહોત્સવ:ભક્તોએ તપ-જપ દ્વારા ભગવાનને પ્રસન્ન કર્યા, 10 દિવસમાં 25 હજાર મંત્રજાપનું અનુષ્ઠાન પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment