Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતર વસાવાને સજા સામે અરવલ્લીમાં AAPનો વિરોધ:મોડાસામાં પદયાત્રા યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

    3 days ago

    આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવતા તેના વિરોધમાં અરવલ્લી જિલ્લા AAPના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. મોડાસા શહેરમાં કાર્યકરોએ વિશાળ પદયાત્રા યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વનકર્મીઓ પર હુમલાના કેસમાં ચૈતર વસાવા, તેમની પત્ની તેમજ અન્ય સાત કાર્યકરો સહિત કુલ નવ લોકોને કોર્ટે દોષિત ઠેરવી સજા ફટકારી હતી. સજા જાહેર થયા બાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કરવા માટે અરવલ્લી જિલ્લાના AAP કાર્યકરોએ મોડાસામાં પદયાત્રાનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને આ નિર્ણયને અન્યાયપૂર્ણ ગણાવ્યો હતો. આ પ્રસંગે AAPના નેતા જયદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સરકારી તંત્ર દ્વારા ચૈતર વસાવા વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરીને તેમને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર રાજકીય દ્વેષભાવના હેઠળ કાર્યવાહી કરી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે,જો એક ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવશે, તો અનેક ચૈતર વસાવા પેદા થશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ બેંક ચૂંટણી: 35 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા:5 જુલાઈએ મતદાન થશે; સત્તાવાર યાદી બોર્ડ પર પ્રસિદ્ધ
    Next Article
    વલસાડમાં 41,316 બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો:ત્રણ દિવસીય પ્રવેશોત્સવ સફળતાપૂર્વક સંપન્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment