Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દિલ્હીમાં આતંકી હુમલાનું હાઈ એલર્ટ; રાજ્યમાં હિટવેવની આગાહી; પંજાબમાં AAP મંત્રીની ધરપકડ

    7 hours ago

    નમસ્તે, દિલ્હીમાં આતંકી હુમલાનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભાજપ કાર્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ, યુપીમાં આજે યોગી કેબિનેટમાં 6 નવા મંત્રીઓ સામેલ થશે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે પંજાબમાં સંજીવ અરોરાની ધરપકડ શા માટે કરવામાં આવી છે... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. આસામમાં BJP ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 12 મેના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. 2. PM મોદી તેલંગાણામાં 9400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. વિજય તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બનશે:આવતીકાલે સવારે 10 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ, TVKને 5 પક્ષોનું સમર્થન તમિલનાડુમાં TVK ચીફ સી. જોસેફ વિજય રવિવારે રાજ્યના 9મા મુખ્યમંત્રી પદના શપથ લેશે. ચેન્નઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગ્યે થશે. વિજયે શનિવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે લોકભવનમાં મુલાકાત કરી અને સરકાર બનાવવા માટે 121 ધારાસભ્યોનો સમર્થન પત્ર સોંપ્યો. બહુમતી સાબિત કરવા માટે 118 ધારાસભ્યોની જરૂર હતી. 4 મેના રોજ આવેલા ચૂંટણી પરિણામમાં વિજયની પાર્ટીને સૌથી વધુ 108 બેઠકો મળી હતી. પરંતુ તે બહુમતીથી 10 ઓછી હતી. TVKને કોંગ્રેસના 5, CPI અને CPI(M)ના 2-2 ધારાસભ્યોનું સમર્થન 8 મે સુધી મળી ચૂક્યું હતું. શનિવારે VCK અને IUMLએ TVKને પોતાના 2-2 ધારાસભ્યોનું સમર્થન આપ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ:ઇન્ટેલિજન્સ એજન્સીઓએ કહ્યું- આત્મઘાતી હુમલો થઈ શકે, ભાજપ મુખ્યાલય-સરકારી ઇમારતોની સુરક્ષા વધારી ઇન્ટેલિજન્સ એજન્સીઓએ દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોના આધારે આ માહિતી આપી છે. એજન્સી અનુસાર, ભાજપ મુખ્યાલય અને આસપાસની સરકારી ઇમારતોની સુરક્ષા સઘન કરવામાં આવી છે. એજન્સીઓને શંકા છે કે DDU માર્ગ પર સ્થિત કાર્યાલયોને આત્મઘાતી હુમલાઓ, કાર બ્લાસ્ટ, ગોળીબાર અથવા IED દ્વારા નિશાન બનાવી શકાય છે. કોઈપણ ખતરાને ટાળવા માટે સુરક્ષા દળોએ દેખરેખ અને સાવચેતીના પગલાં વધારી દીધા છે. પોલીસ અને સુરક્ષા દળોએ વધારાના જવાનોની તૈનાતી, ચેકિંગ અને સીસીટીવી સર્વેલન્સ વધારી દીધું છે. શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે બેરિકેડિંગ અને વાહનોની રેન્ડમ ચેકિંગની સાથે-સાથે સુરક્ષા એજન્સીઓ કોઈપણ સંભવિત ખતરાને રોકવા માટે કામ કરી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. યોગી મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ:6 નવા મંત્રી બનશે, સપાના બળવાખોર મનોજ પાંડેય-પૂજા પાલ મંત્રી બની શકે છે યોગી સરકાર રવિવારે બીજી વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. સીએમ યોગી શનિવારે સાંજે રાજ્યપાલ આનંદીબેન પટેલને રાજભવનમાં મળશે. આ વખતે 5 થી 6 નવા મંત્રીઓ બનાવવામાં આવશે. જ્યારે, કેટલાક મંત્રીઓને છૂટા પણ કરવામાં આવી શકે છે. સપામાંથી બળવો કરનાર ધારાસભ્યો મનોજ પાંડેય અને પૂજા પાલનું મંત્રી બનવું લગભગ નિશ્ચિત છે. આ ઉપરાંત, નાઈ સમાજમાંથી MLC રામચંદ્ર પ્રધાન, વિશ્વકર્મા સમાજમાંથી વારાણસીના MLC હંસરાજ વિશ્વકર્માને મંત્રી બનાવી શકાય છે. જાટ સમાજમાંથી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીને સ્થાન મળી શકે છે. બ્રાહ્મણ સમાજમાંથી પૂર્વ મંત્રી શ્રીકાંત શર્મા, ભાજપના પ્રદેશ મહામંત્રી ગોવિંદ નારાયણ શુક્લા પણ મંત્રી પદની રેસમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પંજાબ- ED રેડ પછી AAPના મંત્રી અરોરાની ધરપકડ:કેજરીવાલ બોલ્યા- પીએમ મોદી પાર્ટી તોડવામાં લાગેલા છે; ₹100 કરોડની નકલી GST ખરીદીનો આરોપ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારના મંત્રી સંજીવ અરોરા પર શનિવારે EDએ દરોડા પાડ્યા. સૂત્રો અનુસાર, દરોડા સમયે તેઓ ચંદીગઢમાં તેમના સરકારી બંગલા પર જ હતા, જ્યાંથી તેમને પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. દરોડા ચંદીગઢમાં તેમના સરકારી ઘર, દિલ્હી અને ગુરુગ્રામના ઠેકાણાઓ પર થયા છે. ચંદીગઢના સેક્ટર-2માં ED ટીમની 15 ગાડીઓ એકસાથે પહોંચી અને આખું ઘર ઘેરી લીધું. ત્યારબાદ બહાર CRPFના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા. કોઈને પણ ઘરની અંદર જવા કે બહાર આવવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. સંજીવ અરોરા પર વર્ષમાં ત્રીજી અને મહિનામાં બીજી વખત EDએ દરોડા પાડ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. બંગાળના ભાજપના પહેલા CM બન્યા સુવેન્દુ:દિલીપ ઘોષ સહિત 5 મંત્રી બન્યા; મોદીએ બંગાળની ધરતીને મસ્તક અડાડીને જનતાનો આભાર માન્યો સુવેન્દુ અધિકારી શનિવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. તેમના સિવાય દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનીયા, ખુદીરામ ટુડૂ અને નિશિથ પ્રમાણિકે પણ મંત્રી પદના શપથ લીધા. સુવેન્દુએ બંગાળીમાં ઈશ્વરના નામે શપથ લીધા. શપથ લીધા પછી, સુવેન્દુ પીએમ પાસે ગયા અને તેમને નમીને પ્રણામ કર્યા. બંગાળના રાજ્યપાલ આર.એન. રવિએ સુવેન્દુ ઉપરાંત અન્ય 5 ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવ્યા. આમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનીયા, ખુદીરામ ટુડુ અને નિશિથ પ્રમાણિકના નામનો સમાવેશ થાય છે. આ શપથવિધિમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ હાજર રહ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. આજથી શેકાવા તૈયાર રહેજો, રાજ્યમાં હિટવેવની આગાહી: ગઈકાલે 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર, કંડલા એરપોર્ટનું સૌથી વધુ 44.4 ડિગ્રી માવઠા બાદ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગુજરાતમાં આગામી અઠવાડિયા દરમિયાન માથુ ફાડી નાખે તેવી ગરમીની આગાહી કરવામાં આવી છે. રવિવારથી રાજ્યમાં હિટવેવની શક્યતા વ્યકત કરવામાં આવી છે. ગરમીનો પારો 41 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે, આજે (9 મે) કચ્છ, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવને લઈ યલો એલર્ટ જારી કર્યું છે. આગામી 15 મે સુધી રાજ્યમાં આકરો તાપ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે. આજે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 11મેએ સોમનાથમાં PMનો ભવ્ય સત્કાર:સદભાવના ગ્રાઉન્ડમાં 60 હજાર લોકોની બેઠક વ્યવસ્થા;ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને સાંસ્કૃતિક કાર્યક્રમોની તડામાર તૈયારી દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં 11 મેના રોજ એક ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે વિશાળ જાહેર સભાને સંબોધશે. આ કાર્યક્રમને લઈને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ સભા માટે 60,000 થી વધુ લોકો સમાઈ શકે તેવું મેદાન તૈયાર કરાઈ રહ્યું છે. ખાસ કરીને 25,000 લોકોની બેઠક ક્ષમતા ધરાવતા ત્રણ મહાકાય ડોમ ઉભા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગરમીને ધ્યાનમાં રાખીને પંડાલ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાનું વિશેષ આયોજન કરાયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં ફેરફાર કર્યો:ફાઉન્ડર ચેરપર્સન ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ, CM ઓફ વેસ્ટ બંગાળ (15મી, 16મી, 17મી વિધાનસભા) કર્યું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઓપરેશન સિંદૂરમાં ચીને પાકિસ્તાનને મદદ કરી હોવાનો ખુલાસો:ચીની ઇજનેરે સ્વીકાર્યું- વિમાનોને ટેકનિકલી તૈયાર કર્યા; રિયલ ટાઇમ ઇનપુટ આપ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : AIIMSના પ્રોફેસરે કહ્યું- હંટા વાયરસથી ડરવાની જરૂર નથી:આ કોવિડ જેવો નથી, એટલાન્ટિકમાં ક્રુઝ શિપ પર 2 ભારતીયો પોઝિટિવ મળ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકાએ UFO આધારિત પ્રથમ ફાઇલો જાહેર કરી:દાવો- સ્પેસક્રાફ્ટમાંથી 4 ફૂટ લાંબા રહસ્યમય જીવો ઉતર્યા, સ્પેસ સૂટ અને હેલ્મેટ પહેર્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : UPI-ATM દ્વારા આ જ મહિનાથી PF કાઢી શકશે:નવી સિસ્ટમ લોન્ચ કરવાની તૈયારી પૂરી, 7.8 કરોડ સબસ્ક્રાઇબર્સને તરત પૈસા મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPLમાં રીલ બનાવવા-પોસ્ટ કરવા પર BCCIનો પ્રતિબંધ:નિયમ તોડવા પર ખેલાડીઓ-કોમેન્ટેટર્સ અને ટીમ પર દંડની સાથે કાયદેસરની કાર્યવાહી પણ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : લાલચના 'મેળા'માં ન રોકાતા લોકો જ સિંહાસન મેળવે છે!:નિઃસંતાન વૃદ્ધ રાજાને ઉત્તરાધિકારીની ચિંતા, જાણો ગુરુએ કેવી રીતે યોગ્ય વ્યક્તિને રાજા બનાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ સલૂનમાં કટિંગ અને મસાજ કરાવે છે વાંદરો કર્ણાટકમાં એક વાંદરો સલૂનમાં કટિંગ અને મસાજ કરાવે છે. ચામરાજનગરના 'દેવુ મેન્સ હેરકટ સલૂન'ના માલિક દેવરાજ રોજ તેને ખાવાનું ખવડાવે છે, તેથી વાંદરો અહીંનો નિયમિત ગ્રાહક બની ગયો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: કેરળમાં કોંગ્રેસ મુખ્યમંત્રી કેમ નક્કી કરી શકતી નથી? રેસમાં ત્રણ નામ; શું રાહુલ ગાંધી આસામવાળી ભૂલનું પુનરાવર્તન કરશે? 2. MATCH મસાલા : IPLની 10,000 ટિકિટનો ભાંડો ફુટ્યો: ના હોય, ધોનીએ આ શું કર્યું?; રોહિતે ગ્રાઉન્ડ સ્ટાફને ઈન્જર્ડ કરી નાખ્યો 3. પારકી પંચાત : પીધેલા મામલતદાર ગાળ બોલ્યા: આઉટ ઓફ કન્ટ્રોલ સાહેબે કહ્યું-'એય બંધ કરને *%$#@', નરેશભાઈ મારતે ઘોડે સુરત પહોંચ્યા, રોડ તૂટી જતાં પબ્લિક વીફરી 4. 19 હજાર માટે હાડપિંજર કાઢ્યું, હવે 15 લાખ રૂપિયા મળ્યા: મૃત બહેનને બેંક બોલાવનાર મેનેજર રજા પર, જીતુ મુંડાનું જીવન કેટલું બદલાયું ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: સિંહ, મકર અને મીન રાશિના ભાગ્યના દ્વાર ખુલશે, મિથુન અને તુલા જાતકોના પૈતૃક સંપત્તિના વિવાદો ઉકેલાશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Yogi Cabinet expansion today, 6 new ministers likely to take oath
    Next Article
    Mamata calls for unity among all Opposition parties to fight BJP, CPM rebukes her

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment