Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોઢવા–સુત્રાપાડા સ્ટેટ હાઇવે બન્યો 'મરણિયો માર્ગ':35 ગામના લોકો ત્રાહિમામ્, ભારે ટ્રકોના ભાર હેઠળ રસ્તો બેસી ગયો, તાત્કાલિક રીપેરીંગ-પહોળાઈ વધારવાની માગ

    2 days ago

    સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેને જોડતો અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન લોઢવા-સુત્રાપાડા સ્ટેટ હાઇવે છેલ્લા પાંચ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓ અને સાંકડી પહોળાઈના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અહીંથી પસાર થવું જીવના જોખમ સમાન બની ગયું છે. ઔદ્યોગિક ભાર અને સાંકડો રસ્તો: અકસ્માતનું કારણ આ માર્ગ વેરાવળ-કોડીનાર-ઉના નેશનલ હાઈવેને સુત્રાપાડા તાલુકા મથક સાથે જોડે છે. આશરે 10.5 કિલોમીટર લાંબો આ રસ્તો માત્ર 5 મીટરની પહોળાઈ ધરાવે છે. સ્થાનિક અગ્રણીઓનો રોષ થરેલી ગામના માજી સરપંચ રામ બાંમભણીયા અને અમરપુરના યુવા અગ્રણી રાજસી જેઠવાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી 35થી વધુ ગામોના લોકો આ નર્ક જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ માટે પણ આ રસ્તો અવરોધરૂપ બની રહ્યો છે. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવે છે. તંત્રની કબૂલાત અને હૈયાધારણ માર્ગ અને મકાન વિભાગ (RB)ના નાયબ કાર્યપાલક ઈજનેર બી.એમ. ભીમાણીએ સ્વીકાર્યું હતું કે, ભારે ઔદ્યોગિક વાહનોના સતત અવરજવરના કારણે રસ્તાની સ્થિતિ ખરાબ થઈ છે. તેમણે ખાતરી આપી છે કે, વિભાગ દ્વારા ટૂંક સમયમાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત લાવી શકાય. લોકોની મુખ્ય માંગણીઓ: વર્ષોથી મુશ્કેલી વેઠી રહેલા સુત્રાપાડા પંથકના લોકો હવે 'આર યા પાર' ના મૂડમાં છે. જો વહેલી તકે મરામત શરૂ નહીં થાય, તો આગામી દિવસોમાં આંદોલન છેડાય તેવી પણ શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે RB વિભાગની આ હૈયાધારણ ક્યારે અમલમાં મુકાય છે.
    Click here to Read More
    Previous Article
    માતાની હત્યા કરનાર દોષિત પુત્ર જેલમુક્ત થયો:હાઇકોર્ટે નોંધ્યું આ મર્ડર નહીં, અચાનક ઝઘડાનું પરિણામ; ભાવનગર કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી'તી
    Next Article
    SAL હોસ્પિટલે કેન્સર જાગૃતિ સિમ્પોઝિયમ યોજ્યું:500થી વધુ લોકોએ ભાગ લીધો, નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment