Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણ ઝુંબેશ:96 કેન્દ્રમાં રંગબેરંગી ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા

    9 hours ago

    રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમરેલી તાલુકામાં "આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ" હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત આઈ.સી.ડી.એસ ઘટક-2 હેઠળના 96 આંગણવાડી કેન્દ્રોમાં રંગરોગાન અને ચિત્રકામ સહિતની કામગીરી ચાલી રહી છે, જે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પંડ્યા અને જિલ્લા કાર્યક્રમ અધિકારી હીરલબેન રાજયગુરુના માર્ગદર્શન હેઠળ, બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી નિરાલીબેન કીકાણીની દેખરેખ હેઠળ આ કેન્દ્રોમાં કલરકામ, ચિત્રકામ અને રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલી તાલુકામાં પોતાના મકાનમાં કાર્યરત તમામ 96 આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતા સાથે આકર્ષક માહોલ ઊભો કરાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ₹8,500ની ગ્રાન્ટ હેઠળ 45 કેન્દ્રોમાં કલરકામ અને ચિત્રકામ સહિતના સમારકામના કામો પૂર્ણ થયા છે. જ્યારે અન્ય 51 કેન્દ્રોમાં આ કામગીરી પ્રગતિમાં છે. આ ઉપરાંત, રીપેરીંગ અને મેન્ટેનન્સ માટે ₹2 લાખની ગ્રાન્ટ હેઠળ 5 કેન્દ્રોમાં રીપેરીંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. આ નવીનીકરણથી આંગણવાડીમાં આવતા બાળકોને રંગબેરંગી ચિત્રો દ્વારા સરળતાથી અક્ષરજ્ઞાન અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં મદદ મળી રહી છે. દીવાલો પરના શૈક્ષણિક ચિત્રો જોઈને બાળકો પ્રેરણા મેળવે છે અને તેમની સર્જનાત્મકતા પણ વિકસે છે. આંગણવાડીની દીવાલો પર કરાયેલા કલાત્મક ચિત્રો બાળકોને કેન્દ્ર તરફ આકર્ષે છે અને તેમને આનંદદાયક તેમજ ભયમુક્ત વાતાવરણ પૂરું પાડે છે. આ રંગીન ચિત્રો બાળકોના મનને ઉત્સાહિત કરે છે અને તેમની એકાગ્રતા વધારવામાં પણ મદદરૂપ બને છે. આ ચિત્રો માત્ર શોભા માટે નહીં, પરંતુ શૈક્ષણિક સામગ્રી તરીકે પણ ઉપયોગી બની રહ્યા છે. આ પ્રયાસોથી આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવીને બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે 2 દિવસમાં 2 કિશોરીને શોધીને પરિવારને સોંપી:મોબાઈલ વાપરવા બાબતે ઠપકો આપતા રિસાયેલી સગીરાને અમદાવાદથી શોધી કાઢી; અન્ય બાળકીનું પણ પરિવાર સાથે મિલન
    Next Article
    પાટણ કોર્ટે કેદી ફરાર કેસમાં ચુકાદો આપ્યો:ઘંટીસિંગ અને 4 પોલીસકર્મી નિર્દોષ, તપાસમાં ગંભીર ખામીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment