Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજીના દેલવાડામાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો:4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, આરોગ્ય તંત્રમાં દોડધામ મચી

    2 days ago

    મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના દેલવાડા ગામમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ગામની એક 4 વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકીને ખેંચ, તાવ આવતા સેમ્પલ લેબમાં મોકલાયા 26 જુલાઈના રોજ બાળકીની તબિયત અચાનક બગડી હતી, જેમાં તેને ખેંચ અને તીવ્ર તાવની અસર જોવા મળી હતી. બાળકી બેભાન અવસ્થામાં હોવાથી પરિવારજનો તેને તાત્કાલિક મહેસાણાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. ત્યાં બાળકીના જરૂરી રિપોર્ટ કરી સેમ્પલ ચકાસણી માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો આજે આ સેમ્પલનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવતા જ સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું. ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી બાળકીને વધુ અને યોગ્ય સારવાર મળી રહે તે માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે ગામમાં સર્વે હાથ ધર્યો બીજી તરફ કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગની ટીમે દેલવાડા ગામમાં સર્વે હાથ ધર્યો છે. વાયરસનો ફેલાવો અટકાવવા ગામમાં જરૂરી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને ગ્રામજનોને પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી-રાજકોટ હાઈવે બિસ્માર, સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું:લાંબા સમયથી ખરાબ માર્ગને કારણે વાહનચાલકો પરેશાન
    Next Article
    Oman Pitches Malacca-Style Plan To End Iran's Sole Grip On Hormuz: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment