Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કોર્ટે કેદી ફરાર કેસમાં ચુકાદો આપ્યો:ઘંટીસિંગ અને 4 પોલીસકર્મી નિર્દોષ, તપાસમાં ગંભીર ખામીઓ

    8 hours ago

    પાટણની જ્યુડિશિયલ કોર્ટે ધારપુર હોસ્પિટલમાંથી કેદી ફરાર થવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ઘંટીસિંગ નારસિંગ ખિચી અને જાપ્તામાં રહેલા ચાર પોલીસ કર્મચારીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. મેજિસ્ટ્રેટ ડો. હિરલબેન પી. જોશીએ પોલીસ તપાસમાં રહેલી ગંભીર ક્ષતિઓ અને પુરાવાના અભાવને ટાંકીને આ ચુકાદો આપ્યો હતો. આ ઘટના જૂન-2023માં બની હતી. પાટણની સુજનીપુર જેલમાં બંધ આરોપી ઘંટીસિંગ ખિચીને 8 જૂન, 2023ના રોજ બીમારીની સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના એક્સ-રે રૂમ પાસેથી તે પોલીસની નજર ચૂકવીને નાસી છૂટ્યો હતો. આ મામલે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ઘંટીસિંગ સહિત જાપ્તાના ચાર પોલીસ કર્મચારીઓ – એ.એસ.આઈ. અભેરામ, હેડ કોન્સ્ટેબલ અમૃતજી, લોકરક્ષક હરેશભાઈ અને કોન્સ્ટેબલ અભેસિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ તરફે એડવોકેટ શૈલેષ એમ. સોલંકી, આર.એસ. વણકર અને જે.સી. ઠાકોરે કોર્ટમાં રજૂઆતો કરી હતી. કોર્ટે પોતાના 47 પાનાના ચુકાદામાં તપાસ અધિકારીઓની ભારે બેદરકારી નોંધી હતી. તપાસ અધિકારીઓ આરોપી ઘંટીસિંગ અગાઉ કયા ગુના હેઠળ જેલમાં હતો તેની પ્રાથમિક માહિતી પણ કોર્ટમાં રજૂ કરી શક્યા નહોતા. ઉપરાંત, તપાસ દરમિયાન હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા નહોતા અને પંચ સાક્ષીઓએ પણ ફરિયાદ પક્ષને સમર્થન આપ્યું નહોતું. કોર્ટના અવલોકન મુજબ, આરોપી નાસી ગયો ત્યારે તેની કસ્ટડી એ.એસ.આઈ. અભેસિંગ પાસે નહોતી, જે ઉલટતપાસમાં સ્પષ્ટ થયું હતું. જેલના નિયમોના ઉલ્લંઘનની બાબત પણ સામે આવી હતી. સુજનીપુર જેલના હવાલદારની જુબાની મુજબ, પાંચ આરોપીઓ માટે પાંચ પીએસઆઈના જાપ્તાની માગણી કરાઈ હતી, પરંતુ પીએસઆઈ વગર જ કેદીઓને મોકલી દેવાયા હતા. નિયમ મુજબ, જો માગ્યા મુજબનો જાપ્તો ન હોય તો કેદીઓને સોંપી શકાય નહીં, તેમ છતાં આ કિસ્સામાં અપૂરતા જાપ્તા સાથે આરોપીઓને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ તમામ ટેકનિકલ ખામીઓ અને તપાસમાં રહેલી ક્ષતિઓને ધ્યાને રાખી કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણ ઝુંબેશ:96 કેન્દ્રમાં રંગબેરંગી ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા
    Next Article
    Swiss Open badminton: Satwik-Chirag survive epic deciding game 28-26 to enter quarterfinals; Tharun Mannepalli also through to last 8

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment