Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંજય દત્તને બહેનોએ જેલમાં બાંધી હતી રાખડી:રક્ષાબંધન પર બહેનોને ભેટમાં આપ્યા હતા ચા-નાસ્તાના 2-2 રૂપિયાના કૂપન

    20 hours ago

    રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. ભાઈ પણ પોતાની બહેનને કંઈક ને કંઈક ભેટ આપે છે, પરંતુ સંજય દત્તની જિંદગીમાં એક રક્ષાબંધન એવું પણ આવ્યું હતું, જ્યારે તેની બહેનોએ તેને જેલમાં રાખડી બાંધી હતી અને સંજયે તેમને ભેટમાં 2-2 રૂપિયાના કૂપન આપ્યા હતા. જેલમાં બહેનોને બબ્બે રૂપિયાના કૂપન આપ્યા હતા વર્ષ હતું 1994 અને મહિનો હતો જુલાઈ. ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં સંજય દત્તના વચગાળાના જામીન અદાલતે રદ કરી દીધા અને તેને ઠાણે સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવ્યો. તેને જેલની સૌથી કડક સુરક્ષાવાળી અંડા બેરેકમાં રાખવામાં આવ્યો. આ એ જ જગ્યા હતી, જ્યાં ખતરનાક ગુનેગારો અને ટાડા (આતંકવાદી અને વિઘટનકારી પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) કાયદો)ના આરોપીઓને રાખવામાં આવતા હતા. લગભગ 10x10 ફૂટની એ નાની સરખી ઓરડીમાં ન તો તડકો આવતો હતો કે ન તો બહારની દુનિયા દેખાતી હતી. એક નાનો એવો બલ્બ, એક ગાદલું અને ખૂણામાં ફ્લશ વગરનું શૌચાલય. બહાર પિતા સુનીલ દત્ત સતત દીકરાના જામીન માટે નેતાઓ, વકીલો અને અધિકારીઓના ચક્કર લગાવી રહ્યા હતા. બહેનો પ્રિયા અને નમ્રતા પણ નિયમિતપણે જેલ જતી હતી, પરંતુ અવારનવાર માત્ર દૂરથી જ સંજયને જોઈ શકતી હતી. બીજી તરફ, રક્ષાબંધન પર બહેનોએ જેલમાં તેને રાખડી બાંધી. એ સમયે સંજય પાસે આપવા માટે કોઈ ગિફ્ટ નહોતી. તેણે પોતાની બહેનોને માત્ર જેલની કેન્ટીનના બબ્બે રૂપિયાવાળા ચા-નાસ્તાના કૂપન આપ્યા અને કહ્યું હતું, ‘મારી પાસે હાલમાં બસ આ જ છે.’ બહેનો સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા હતા નોંધનીય છે કે, સંજય દત્ત અને તેની બહેનોના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા હતા. વર્ષ 2008માં સંજય દત્તે માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા હતા. શરૂઆતમાં પરિવારના કેટલાક સભ્યોએ આ સંબંધને સરળતાથી સ્વીકાર્યો ન હતો. પ્રિયા અને માન્યતા વચ્ચે પણ થોડા સમય માટે અંતર રહ્યું હતું. સંજયના રાજકારણમાં આવવાને લઈને પણ પ્રિયા સાથે તેના મતભેદ સામે આવ્યા હતા. પરંતુ બાદમાં પરિવારમાં સંબંધો સુધરતા ગયા. સંજય અને માન્યતાના જોડિયા બાળકોના જન્મ પછી અંતર ઘટ્યું. વર્ષ 2020માં સંજય દત્તને કેન્સર થયું, ત્યારે તેની બહેનો ફરીથી તેની સાથે મજબૂતીથી ઊભી રહી. પ્રિયા અને નમ્રતાએ સારવાર દરમિયાન ભાઈનો સાથ આપ્યો.
    Click here to Read More
    Previous Article
    ફક્ત રક્ષાબંધન પર ખુલે છે નારાયણનું આ મંદિર:15 કિમી પગપાળા ચાલ્યા પછી 11,772 ફૂટની ઊંચાઈ પર બહેનો બાંધે છે પ્રભુને રાખડી; બલિ રાજા સાથે જોડાયેલી છે વાર્તા
    Next Article
    મમતાએ કહ્યું- BJPએ ચૂંટણી 'હાઈજેક' કરી:મત લૂંટવા માટે SIRનો ઉપયોગ, બંગાળમાં પોલીસ દ્વારા ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment