Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે 2 દિવસમાં 2 કિશોરીને શોધીને પરિવારને સોંપી:મોબાઈલ વાપરવા બાબતે ઠપકો આપતા રિસાયેલી સગીરાને અમદાવાદથી શોધી કાઢી; અન્ય બાળકીનું પણ પરિવાર સાથે મિલન

    16 hours ago

    વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલા ધોરણ- 6માં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થિની મોબાઈલ વાપરવા બાબતે ઠપકો આપતા રિસાઈને ઘરેથી નીકળી ગઈ હતી, ત્યારબાદ ફોન પણ ઉપાડતી ન હોવાથી માતા-પિતા સહિતનો પરિવાર ચિંતિત બન્યો હતો. છાણી પોલીસને જાણ કરતા પોલીસે આખી રાત દોડધામ કરીને સગીરાને શોધી કાઢી હતી અને સગીર દીકરીને ગણતરીના કલાકોમાં 120 કિમી દૂર અમદાવાદ CTM ચાર રસ્તા પાસેથી શોધી કાઢી તેને તેના માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું. બીજી તરફ વડોદરા શહેરના સમતા ગ્રાઉન્ડ વિસ્તારમાંથી પોતાના વાલી-વારસની જાણ બહાર નીકળી ગયેલી એક 13 વર્ષીય કિશોરીને વડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવી માનવીય અભિગમ સાથે સરાહનીય કામગીરી કરી છે. 13 વર્ષની બાળકી ઘરેથી નીકળી ગઈ વડોદરા શહેરના સમતા ગ્રાઉન્ડ વિસ્તારમાંથી આશરે 13 વર્ષની એક બાળકી અચાનક ગુમ થઈ હતી. આ બાબતની જાણ પોલીસને થતા જ ગોરવા પોલીસ સ્ટેશન, મકરપુરા પોલીસ સ્ટેશન અને ઝોન-1 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. બાળકીને શોધવા માટે પોલીસે સમય સૂચકતા વાપરી તુરંત જ બાળકીના નામ અને ફોટા સાથેનું એક પોસ્ટર તૈયાર કર્યું હતું. આ પોસ્ટરને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મીડિયા ગ્રુપોમાં વ્યાપકપણે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પોલીસની આ વ્યૂહરચના કારગત નીવડી હતી અને ટૂંક સમયમાં જ બાળકીની ભાળ મળી ગઈ હતી. પોલીસની ટીમોને પ્રશંસા પત્ર અને ઇનામ આપવાની જાહેરાત બાળકી મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને સુરક્ષિત રીતે તેના વાલી-વારસાને સોંપી હતી. પોતાની વ્હાલસોયી દીકરીને હેમખેમ પાછી મેળવતા પરિવારે પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ગોરવા પોલીસ, LCB ઝોન 1 અને મકરપુરા પોલીસની આ સંયુક્ત અને ઝડપી કામગીરીની શહેરભરમાં પ્રશંસા થઈ હતી. વડોદરા શહેર પોલીસ કમિશનરે છાણી પોલીસ, ગોરવા પોલીસ અને ખાસ કરીને LCB ઝોન-1ની ટીમને અભિનંદન પાઠવ્યા અને આ ટીમોને પ્રશંસા પત્ર અને ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. સગીરા માનસિક રીતે અસ્થિર હોવાથી રાત્રે ઘરેથી નીકળી ગઈ હતી DCP ઝોન 1 જે.એમ.ચાવડાએ જણાવ્યું હતું કે, આ બાળકી તેના દાદી સાથે રહે છે, તેના માતા-પિતા નથી. તે માનસિક રીતે અસ્થિર હોવાથી ગઈકાલે રાત્રે ઘરેથી નીકળી ગઈ હતી અને એક રિક્ષામાં બેસી ગઈ હતી. આજે બપોર સુધીમાં તે મકરપુરા વિસ્તારમાંથી મળી આવી હતી. બાળકી ગુમ થયાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ચાર અલગ-અલગ ટીમો બનાવી હતી. અમે સોશિયલ મીડિયાનો પણ વ્યાપક ઉપયોગ કર્યો અને મેસેજ વાઇરલ કર્યા હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે, તે રિક્ષામાં બેસીને રેલવે સ્ટેશન તરફ ગઈ હતી. અંતે, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક પોલીસની મદદથી તેને મકરપુરા પાસેથી શોધી લેવામાં આવી હતી. બીજી ઘટનામાં છાણી વિસ્તારમાં કિશોરી ઘરેથી નીકળી ગઈ હતી બે દિવસ પહેલા રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં સગીરાના પિતા છાણી પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, તેમની ધોરણ-6માં અભ્યાસ કરતી દીકરી રાત્રે આશરે 12:30 વાગ્યે ઘરેથી નીકળી ગઈ છે અને ફોન પણ ઉપાડતી નથી. આ બાબતની ગંભીરતા સમજીને ડીસીપી ઝોન 1 જે.એમ. ચાવડાની ચૂચનાથી PI આર.એલ. પ્રજાપતિએ તાત્કાલિક પોલીસ ટીમને સક્રિય કરી દીકરીના મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી હતી. રામોલ પોલીસ સ્ટેશન તથા હાઈવે ટોલનાકાઓને પણ એલર્ટ કરાયા શરૂઆતમાં લોકેશન દેના બ્રિજ અને ત્યારબાદ એરફોર્સ બ્રિજ વિસ્તારનું મળ્યું હતું. ત્યારબાદ લોકેશન કરજણ તરફ જતા હોવાને કારણે કરજણ ટોલનાકા અને કરજણ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી. આગળ મળેલા લોકેશન મુજબ દીકરી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તરફ જતી હોવાની જાણ થતાં રામોલ પોલીસ સ્ટેશન તથા હાઈવે ટોલનાકાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. દીકરીને સુરક્ષિત રીતે વડોદરા પરત લાવી તેની યોગ્ય કાઉન્સેલિંગ કર્યા છાણી પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોસ્ટેબલ ભાવેશભાઈ દેવજીભાઈને દીકરીને શોધવા માટે તેના માતા-પિતા સાથે અમદાવાદ તરફ રવાના કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદના CTM ચાર રસ્તા નજીક દીકરીનું લોકેશન મળતા પોલીસ દ્વારા તપાસ કરતા અંતે દીકરી સવારે 6 વાગ્યે મળી આવી હતી. જેથી દીકરી મળી આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને માતા-પિતાએ છાણી પોલીસ સ્ટેશનની કામગીરી માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ દીકરીને સુરક્ષિત રીતે વડોદરા પરત લાવી તેની યોગ્ય કાઉન્સેલિંગ કર્યા બાદ તેને માતા-પિતાને સોંપવામાં આવી છે. માતા-પિતા સાથે ભાવનાત્મક જોડાણ તૂટતા ભાગી જવાના કિસ્સાઓ સામાન્ય ડીસીપી ઝોન 1 જે.એમ.ચાવડાએ જણાવ્યું હતું કે, માતા-પિતા સાથે ભાવનાત્મક જોડાણ તૂટી જવાને કારણે હવે કિશોરો ઘરેથી ભાગી જવાના કિસ્સાઓ સામાન્ય બની ગયા છે. અમારી પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે, કિશોરી અને તેના માતા-પિતા વચ્ચે મોબાઇલ ફોનના ઉપયોગને કારણે મતભેદો ઉભા થયા હતા. અમે પહેલા કિશોરીને તેના માતા-પિતાને સોંપી છે અને તેમને ઘરે મોકલી દીધા છે.
    Click here to Read More
    Previous Article
    NBEMS GPAT 2026 Exam: Answer Key Out, Check Download Link Here
    Next Article
    અમરેલી આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણ ઝુંબેશ:96 કેન્દ્રમાં રંગબેરંગી ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment