Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે વિશ્વ ટીબી દિવસ:સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષે 95 ટકા ટીબીના દર્દીઓ સાજા થયા

    2 weeks ago

    છેલ્લા ત્રણ વર્ષમાં સાબરકાંઠા જિલ્લામાં ટીબીના દર્દીઓને શોધવા અને તેમને સમયસર સચોટ સારવાર આપીને સાજા કરવાના ગ્રાફમાં સુધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025માં જિલ્લામાં ટીબીના દર્દીઓનો રિકવરી રેટ 95% સુધી પહોંચ્યો છે. એટલે કે ગત વર્ષે 95 ટકા ટીબીના દર્દીઓ સાજા થયા હતા. વર્ષ 2023માં 4501 દર્દી હતા. જે 2024માં ઘટીને 4346 તથા 2025માં ઘટીને 4259 દર્દીઓ થયા. વર્ષ 2023માં 4501 દર્દીમાંથી 4231 દર્દીઓ એટલે કે, 94% દર્દીઓ સાજા થયા હતા. જ્યારે વર્ષ 2024માં 4346 દર્દીઓમાંથી 4058 દર્દીઓ એટલે કે 93% તથા વર્ષ 2025માં 4259 દર્દીઓમાંથી 4058 દર્દીઓ ટીબીના રોગમાંથી મુક્ત થયા હતા જે દર છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધારે 95 % રહ્યો હતો. ટીબીના દર્દીઓને માત્ર મફત દવા જ નહીં, પરંતુ નિક્ષય પોષણ યોજના અંતર્ગત આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે નિક્ષય મિત્રો દ્વારા દર્દીઓને દત્તક લઈને પૌષ્ટિક આહાર પૂરો પાડવાની પ્રવૃત્તિઓના લીધે વર્ષ 2025ના પરિણામો સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ​ સાબરકાંઠામાં સાબરકાંઠામાં તલોદ તાલકુાના 24, હિંમતનગર તાલુકાના 15, વિજયનગર તાલુકાના 1, ઇડર તાલુકાના 13, પ્રાંતિજ તાલુકાના 13 તથા વડાલી તાલુકાના 4 ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:ડેટા એન્ટ્રીના નામે 30 લાખ પડાવી મહિલાએ ‘સંત તુકારામ’ ફિલ્મ બનાવી, છેતરપિંડી કરીને ભાગ્યા બાદ 22 વર્ષે મુંબઈથી ઝડપાઈ
    Next Article
    People going back to firewood, every sector under pressure: Opposition

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment