Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પોલીસનું વિશેષ અભિયાન:ટ્રાફિક પોલીસ અને ટ્રુહોમ ફાઈનાન્સ દ્વારા 1000 કર્મચારીઓને નિઃશુલ્ક હેલ્મેટનું સુરક્ષા કવચ

    5 days ago

    સુરત શહેરમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનચાલકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ સુરત ટ્રાફિક પોલીસ અને ટ્રુહોમ ફાઈનાન્સના સંયુક્ત ઉપક્રમે નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફ માટે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન અંતર્ગત એલિક્ઝિર ફાઉન્ડેશનના સહયોગથી હોસ્પિટલના 1000 જેટલા કર્મચારીઓને નિઃશુલ્ક હેલ્મેટ એનાયત કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના વિવિધ વિભાગોને મળ્યું સુરક્ષા કવચ સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) સજ્જનસિંહ પરમાર અને નાયબ પોલીસ કમિશનર પન્ના મોમૈયા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સિવિલ હોસ્પિટલના સફાઈકર્મીઓ, એક્સ-રે ટેક્નિશિયન, નર્સિંગ સ્ટાફ, ક્લેરિકલ સ્ટાફ અને ડેટા ઓપરેટર જેવા પાયાના કર્મચારીઓને આવરી લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસ વિભાગ દ્વારા ગત વર્ષે પણ 1000 હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે પરંપરા આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી છે. હેલ્મેટ: બોજ નહીં પણ જીવનનું રક્ષાકવચ નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માથાની ઇજા ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે. સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દરરોજ અકસ્માતના ગંભીર કિસ્સાઓનો સાક્ષી બને છે, ત્યારે તેઓ પોતે હેલ્મેટ પહેરીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જાગૃતિ અભિયાનોને કારણે છેલ્લા 1 વર્ષમાં માથાની ગંભીર ઇજાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ કાર્યક્રમમાં નર્સિંગ એસોસિએશનના નિલેશ લાઠીયા, વિરેન પટેલ, સંજય પરમાર અને ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ટ્રુહોમ ફાઈનાન્સ કંપનીએ પોતાની CSR પ્રવૃત્તિ હેઠળ આ સામાજિક જવાબદારી નિભાવી સુરતીઓની સુરક્ષામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં શહીદ દિવસ નિમિત્તે પદયાત્રાનું આયોજન:એમ.પી. શાહ કોલેજ અને માય ભારત દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
    Next Article
    ગઢડામાં યુવા ભાજપ દ્વારા શહીદ દિવસની ઉજવણી:શહીદ ભગતસિંહની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment