Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા જિલ્લો શિક્ષણક્ષેત્રે રાજ્યમાં ફરી પ્રથમ:92% ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો, 3906 બાળકોને પુનઃપ્રવેશ

    8 hours ago

    નર્મદા જિલ્લાએ શિક્ષણક્ષેત્રે બે મોટી સિદ્ધિઓ હાંસલ કરીને રાજ્યમાં પોતાનું ગૌરવ વધાર્યું છે. ગત મે મહિનામાં ધોરણ 10ના પરિણામમાં 90.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ, હવે 4,224 ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓમાંથી 3,906 વિદ્યાર્થીઓને શાળામાં પુનઃપ્રવેશ આપી 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને ફરી એકવાર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાથી વંચિત રહેલા બાળકોને શિક્ષણ વ્યવસ્થામાં ફરી જોડવા માટે ગયા મહિને રાજ્યવ્યાપી સમરસ વિદ્યાસેતુ મેગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ, આવા બાળકોની ઓળખ કરીને તેમના વાલીઓ અને સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉત્કૃષ્ટ કાર્ય કરનાર શિક્ષકોને રાજપીપળાના ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003માં નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી શાળા પ્રવેશોત્સવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી નર્મદાનું શિક્ષણ સ્તર નીચે ઉતરી ગયું હતું. પ્રાથમિક અને માધ્યમિક બંને વિભાગોએ સઘન પ્રયાસો કરીને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડ્યો છે અને શિક્ષણનું સ્તર પણ ઊંચું લાવવામાં સફળતા મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુરમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત યાત્રા યોજાઈ:શહેર દેશભક્તિના રંગમાં રંગાયું, ધારાસભ્ય સહિત અનેક આગેવાનો, નગરજનો જોડાયા
    Next Article
    ભાવનગર ITIમાં 'STEM' લેબ અને પીડીલાઇટ કોર્સ શરૂ:આજે મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ઉદ્ઘાટન, 208 યુવાનોનું મારુતિ સુઝુકીમાં પ્લેસમેન્ટ; ઈસરો સહિતમાં રોજગારીની તકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment