Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર ITIમાં 'STEM' લેબ અને પીડીલાઇટ કોર્સ શરૂ:આજે મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ઉદ્ઘાટન, 208 યુવાનોનું મારુતિ સુઝુકીમાં પ્લેસમેન્ટ; ઈસરો સહિતમાં રોજગારીની તકો

    9 hours ago

    શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન આજરોજ 14 ઓગસ્ટ શહેર-જિલ્લાની જુદી જુદી ITIની મુલાકાત લીધી હતી. સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), ભાવનગર ખાતે આજરોજ ટેકનોલોજી અને રોજગારીના ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે અત્યાધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મેસન, કાર્પેન્ટર અને પ્લમ્બરની નવીનતમ લેબનું ઉદ્ઘાટન કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર આઈટીઆઈ ખાતે વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે પ્રાયોગિક જ્ઞાન અને કૌશલ્ય વિકસાવી શકાય તે માટે સંસ્થામાં એક સુંદર 'STEM' લેબનું માનનીય મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાલીમાર્થીઓની કૌશલ્યવર્ધન તાલીમ માટે પીડીલાઇટ સંસ્થાના સહયોગથી મેસન, કાર્પેન્ટર અને પ્લમ્બર એમ ત્રણ મહત્વના વ્યવસાયો માટેની નવીનતમ લેબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 208 તાલીમાર્થીઓને મારુતિ સુઝુકી કંપનીમાં નોકરી મળી રાજ્યમાં પ્રથમ વખત કોઈ એક જ સંસ્થામાંથી વિશાળ સંખ્યામાં એટલે કે 208 તાલીમાર્થીઓને મારુતિ સુઝુકી કંપની બહુચરાજી પ્લાન્ટ ખાતે પ્લેસમેન્ટ ઓફર પ્રાપ્ત થઈ છે. આ વિદ્યાર્થીઓને આકર્ષક માસિક વેતન (નેગોશિયેશન બાદ વધારો) શરૂઆતમાં તાલીમાર્થીઓ માટે રૂ.25,300નો માસિક પગાર નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ITI સ્ટાફ અને સંસ્થાના પ્રતિનિધિઓની સઘન નેગોશિયેશન ચર્ચાને અંતે તે વધારીને રૂ.28,300ના આકર્ષક માસિક પગાર સાથે નિમણૂક આપવામાં આવી છે. ચાર સ્પેશિયલ બસોથી ટ્રાન્સપોર્ટેશનની નિશુલ્ક વ્યવસ્થા આ તાલીમાર્થીઓ આગામી 24મી ઓગસ્ટે પોતાના વતનથી સીધા પ્લાન્ટ ખાતે જોડાવાના છે, ત્યારે તેમના સુવિધાજનક પ્રવાસ માટે સંસ્થા ખાતેથી જ મારુતિ સુઝુકી કંપનીના સહયોગથી ચાર સ્પેશિયલ બસોથી ટ્રાન્સપોર્ટેશનની નિશુલ્ક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આ ભવ્ય આયોજનથી ભાવનગર ITIના યુવા તાલીમાર્થીઓમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ છે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આ એક મહત્વનું પગલું સાબિત થયું છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા જિલ્લો શિક્ષણક્ષેત્રે રાજ્યમાં ફરી પ્રથમ:92% ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો, 3906 બાળકોને પુનઃપ્રવેશ
    Next Article
    અમદાવાદમાં ACBનો સપાટો:GST એકાઉન્ટ અનફ્રીઝ કરવા ₹25 હજારની લાંચ લેતાં સ્ટેટ ટેક્સ ઓફિસર અને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment