Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રહ્મ સમાજની અનોખી પહેલ:900થી વધુ દીકરીઓને 'બેહદ' ફિલ્મ બતાવી 'લવ-જિહાદ' અને છેતરપિંડી સામે જાગૃત કરાઈ

    12 hours ago

    બ્રહ્મ સમાજ દ્વારા 900 જેટલી યુવતીઓ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત યુવતીઓને "બેહદ" નામની ગુજરાતી ફિલ્મ બતાવવામાં આવી હતી, જેનો હેતુ તેમને પ્રેમના નામે થતી છેતરપિંડી અને ભ્રમણાઓથી સજાગ કરવાનો હતો. સમાજની સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી આ પહેલ કરવામાં આવી હતી. આજના સમયમાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા યુવતીઓને ભ્રમિત કરવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે તેમને સાચી હકીકત સમજાવીને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનોએ યુવતીઓને સંબોધતા જણાવ્યું હતું કે જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો વિચારપૂર્વક અને પરિવારના માર્ગદર્શન સાથે લેવા જોઈએ. તેમણે પ્રેમના નામે થતા કોઈપણ ભ્રમ કે દબાણથી દૂર રહી પોતાની ઓળખ, સંસ્કૃતિ અને પરિવારના મૂલ્યો જાળવવા માટે જાગૃત રહેવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમનો વિચાર નિવૃત ચીફ ઓફિસર રમેશભાઈ જોશીને આવ્યો હતો, ત્યાર બાદ સમાજના યુવાનોએ એકત્ર થઈને તેનું આયોજન કર્યું હતું. રમેશભાઈ જોશી અને સ્નેહલભાઈ મહેતા આ કાર્યક્રમના મુખ્ય દાતા હતા. આ અંગે મનોજભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, "પ્રેમના નામે ખોટા ધંધા શરૂ થયા છે, જેનાથી ભારતની પરંપરા તૂટી રહી છે અને પરિવાર ભાવના વિખેરાઈ રહી છે. સોશિયલ મીડિયાના જમાનામાં આપણે સૌ જાગૃત થઈએ અને ભાગેડુ લગ્નનો વિરોધ કરીએ." જોકે આ અંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ કહ્યું કે સમાજની આ પહેલથી સમાજના સૌ વડીલોએ આપણી આવનારી પેઢી, આપણી સંસ્કૃતિને જાળવી રાખી, આપણા રીતિ-રિવાજો જાળવી રાખી, આપણું કલ્ચર જાળવી રાખીએ એના માટે કરીને આજે જે કેટલાક કિસ્સાઓ લવ-જિહાદના બને છે એ એક પહેલા સ્ટેજની અંદર દરેકને સારું લાગતું હોય, આ ઉંમર હોય છે દરેકની કે ભાઈ હું મારા પસંદગીના માણસ સાથે પરણું. આ એક ઉંમર હોય છે પણ આની પાછળના જે ષડયંત્રો હોય છે એ સારી રીતે કદાચ કેરલા સ્ટોરીમાં પણ કીધેલું છે એની ટ્રુ સ્ટોરી આવી છે. એના પછી આ એક બેહદ પિક્ચર આવ્યું છે એ બહુ સારી રીતે કહે છે કે એના પછી શું થતું હોય છે. પ્રેમના કોઈ વિરોધી ન હોઈ શકે પણ પ્રેમના નામે ષડયંત્ર થતું હોય તો શું થતું હોય છે એ આજે દેખાડવાની જે આગેવાનોએ કોશિશ કરી છે એ આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમારી આ કોશિશ જે છે એ આવનારી પેઢીને સુરક્ષિત કરશે, સમાજને સુરક્ષિત કરશે, સમાજની દીકરીઓને સુરક્ષિત કરશે, એના માટેનું જે પગલું આપે ભર્યું છે એના માટે હૃદયપૂર્વકના ખુબ ખુબ અભિનંદન આપું છું. ખુબ આગળ વધો અને હજીએ આ જ પ્રકારે કદાચ પિક્ચર દેખાડવા આપણે ન પડે પણ જાતે સ્વયંભૂ શક્તિ જ એ કહી દે એનો તેજ એટલો હોય કે આવા લવ-જિહાદના ષડયંત્રો એની સામે આવી જ ન શકે એવી પેઢી તૈયાર કરવા માટે પણ વિનંતી કરું છું. એના માટે બાલ સંસ્કાર કેન્દ્રો હોય, એના માટે ગર્ભ સંસ્કાર કેન્દ્રો હોય જેવી પ્રવૃત્તિ પણ આપ ચાલુ કરો એવી આ તબક્કે વિનંતી પણ હું કરું છું. જોકે આ અંગે સમાજના આગેવાન મનોજભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, સમાજની દીકરીઓમાં જાગૃતિ આવે અને બહેન-દીકરીઓ જે વર્તમાન સમયની જે સ્થિતિ છે, લવ જેહાદના નામે જે ખેલ ચાલે છે, પ્રેમને ખોટી રીતે પ્રસ્તુત કરીને ખોટા જે ધંધા ચાલુ થયા છે. એમાંથી જાગૃતિ મળે માટે બ્રહ્મ સમાજની આજે 900થી વધુ બહેનો 'બેહદ' પિક્ચર જે ગુજરાતી ચલચિત્ર છે એનું આયોજન અહીંયા બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને સમગ્ર આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. આ આયોજન પાછળનો એકમાત્ર હેતુ એ છે કે સમાજની દીકરી-બહેનો પ્રેમ વિશે જાગૃત થાય, પ્રેમના નામે જે લોકો ખોટું કામ કરી રહ્યા છે એ લોકો બહાર લાવવા ખૂબ જ જરૂરી છે અને વર્તમાન સમયના ટેક્નોલોજીના સમયમાં જ્યારે આ પ્રકારની વ્યવસ્થા થતી હોય, અમારા નિવૃત્ત ચીફ ઓફિસર રમેશભાઈ જોશીને આ વિચાર આવેલો કે દીકરીઓને આ પિક્ચર બતાવીએ અને પિક્ચરના માધ્યમથી એક સંદેશ આપવાનો પ્રયત્ન હતો. એટલે દાતા સ્નેહલભાઈ મહેતા, આર.પી. જોશી સાહેબ, મંત્રી પણ આવ્યા છે, ધારાસભ્ય તમામ આગેવાનો છે, બધા ભેગા મળીને દીકરીઓ પ્રેમ વિશે જાગૃત થાય અને સમયની સાથે બદલાવ લાવે, સંસ્કારો અને પરંપરાની જાળવણી કરે એ જ હેતુથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર, પૂજ્ય વિજય સોમજી મહારાજ, કૃણાલભાઈ ભટ્ટ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દીલશુખભાઈ અગ્રવાલ, રમેશભાઈ પંડ્યા, આર.એસ.એસ.માંથી કૈલાશજી જોશી, ડાહ્યાભાઈ ગામી અને મહિલા અગ્રણી રાજીલબેન દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના સભ્યો અને વાલીઓ દ્વારા આ અનોખી પહેલને વ્યાપક સરાહના મળી હતી, અને આગેવાનોએ આવી જાગૃતિ પ્રવૃત્તિઓ સમાજને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મેંદરડા રાજકારણમાં જ્ઞાતિવાદનો ગંભીર આક્ષેપ:બે દલિત પ્રમુખોને ટર્મ પૂરી થાય તે પહેલા પદ છોડવા મજબૂર કરાયા, અનુ . જાતિ સમાજના પ્રમુખનો જિ.પં. પ્રમુખ સામે મોરચો
    Next Article
    9 PM Gujarati News LIVE | 9 વાગ્યાના ગુજરાતના મોટા સમાચાર | Fatafat Latest News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment